અહીં વહે છે પાણી સાથે સોનું, જાણો ક્યાં આવેલી ભારતની આ ગોલ્ડ રિવર?
ભારત નદીઓનો દેશ છે. અહીંની નદીઓ તેની વિશેષતાઓ માટે દુનિયાભરમાં જાણીતી છે. આજે આપણે જે નદી વિશે વાત કરી રહ્યા છીયે તેના વિશે કહેવાય છે કે તેના પાણીમાં સોનું વહે છે.
ભારતમાં એક એવી કોઈ નદી છે જ્યાં સોનું વહે છે. આપણે ઝારખંડમાં વહેતી સ્વર્ણરેખા નદીની વાત કરી રહ્યા છીએ. આ નદી ઝારખંડમાં વહે છે અને 474 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી છે.

સ્વર્ણરેખા નદીમાં સોનાના કણો પાણી સાથે વહે છે અને એટલે જ તેને સ્વર્ણરેખા નામ મળ્યું છે. આ નદી રાંચીથી લગભગ 16 કિલોમીટર દૂર વહે છે. જેની લંબાઈ 474 કિલોમીટર છે. ઝારખંડમાં વહેતી આ નદી ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક વિસ્તારોમાંથી પણ પસાર થાય છે.
આ નદીના પાણીમાં સોનું ક્યાંથી આવે છે એ સવાલનો જવાબ આપતા ભૂસ્તરશાસ્ત્રીઓ રહે છે કે, આ નદી અનેક ખડકોમાંથી પસાર થાય છે. આ સમય દરમિયાન ઘર્ષણને કારણે, સોનાના કણો પાણીમાં ભળીને નદીના પાણી સાથે વહેવા લાગે છે.
જો કે, આ નદીમાં સોનું વહેવાનું ધાર્મિક કારણ વૈજ્ઞાનિક કારણોથી અલગ છે. મહાભારત કાળ મુજબ હજારો વર્ષોથી પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે અસ્તિત્વ ધરાવતી સ્વર્ણરેખાના ઉદગમ સ્થાન રાણી ચુઆનો પોતાનો ઇતિહાસ છે.
કહેવાય છે કે પાંડવોએ તેમના વનવાસ દરમિયાન થોડો સમય અહીં વિતાવ્યો હતો. આ સમય દરમિયાન, પાંડવોની માતા કુંતીને તરસ લાગી અને તેણે તેના પુત્રોને પાણી લાવવા કહ્યું. પરંતુ ત્યાં પાણીનો કોઈ સ્ત્રોત મળ્યો નહીં.
આ પછી માતા કુંતીએ પોતાના પુત્ર અર્જુનને આદેશ આપ્યો અને પછી અર્જુને તીર મારીને ભૂગર્ભમાંથી પવિત્ર જળ બહાર કાઢ્યું, માતા કુંતીએ જમીનમાંથી નીકળેલા આ પાણીથી પોતાની તરસ છીપાવી.
માનવામાં આવે છે કે અર્જુન દ્વારા મારવામાં આવેલા તીરની ગતિ એટલી વધારે હતી કે આ પવિત્ર પવિત્ર જળની સાથે સોનાના નાના કણો પણ બહાર આવવા લાગ્યા હતા. ત્યારથી આ નદી સ્વર્ણરેખા ચુંગા તરીકે ઓળખાવા લાગી.
અર્જુન દ્વારા મારવામાં આવેલા તીરને કારણે તેમાંથી નીકળતા પાણીની ગતિ એટલી ઝડપી હતી કે તે નદી બની ગઈ હતી. પાછળથી તે ઝારખંડ રાજ્યની સૌથી લાંબી નદી સ્વર્ણરેખાના નામથી પ્રખ્યાત થઈ. સમય વીતવા છતાં પણ આ નદીનું પાણી ક્યારેય ઘટ્યું નથી અને હજુ પણ અવિરત વહે છે.












Click it and Unblock the Notifications
