શું લગ્ન બાદ ઇન્દિરા ગાંધીએ કર્યો હતો ઇસ્લામ ધર્મ અંગીકાર?
વિવેક શુક્લા: શું ફિરોઝ ગાંધી મુસ્લિમ હતા અને ઇન્દિરા ગાંધીએ લગ્ન સમયે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો? હૈદરાબાદથી પ્રકાશિત થનારા પ્રતિષ્ઠિત ઉર્દૂ અખબાર 'દૈનિક મુંસિફ'એ આ પ્રકારનો દાવો કર્યો છે.
લેખમાં નેહરૂ ડાયનેસ્ટીના લેખક કે એન રાવના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે ઇન્દિરા અને ફિરોઝે લંડનમાં એક મસ્જીદમાં જઇને નિકાહ કરી લીધા હતા અને ઇન્દિરાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડ્યો હતો.

જ્યારે આ વાતની જાણકારી મહાત્મા ગાંધીને મળી તો તેમણે બંનેને ભારત બોલાવીને વૈદિક પદ્ધતિથી તેમના લગ્ન કરાવ્યા. ફિરોઝ જહાંગીર ખાનનું નામ બદલીને ફિરોઝ ગાંધી કરી દેવામાં આવ્યું. 1942માં રાજીવના જન્મ બાદ બંને પતિ-પત્ની અલગ થઇ ગયા હતા. મોહમ્મદ યૂનુસે પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે સંજય ગાંધીનું મુસલમાન ઢબે ખતના કરવામાં આવ્યું હતું. ફિરોઝ ગાંધીના પિતા જહાંગીર ખાન મુસલમાન હતા. જ્યારે તેમની માતા રત્તીમાઇ જે પહેલા પારસી હતી, બાદમાં મુસલમાન બની ગયા હતા. ફિરોઝ ગાંધીના દેહને અલ્હાબાદના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા, જ્યારે પારસીઓને કબ્રમાં દફનાવવામાં નથી આવવતા.
બાબાના નામથી વાંધો
આ લેખમાં એક પ્રકારે સવાલ પૂછવામાં આવ્યો છે કે વરૂણ ગાંધીએ પોતાના નામની સાથે ઇંદિરા, નેહરુ શબ્દ તો જોડ્યા પરંતુ ક્યારેય પોતાના બાબાના નામથી કેમ ખુદને નહીં જોડ્યા. જોકે કેટલાંક કોંગ્રેસ નેતા તેમને યાદ કરતા રહેતા હતા અને દરવર્ષે પોતાના રૂપિયા ખર્ચીને કોઇ રેસ્ટોરન્ટમાં તેમના જન્મદિવસ પર નાનકડી પાર્ટી લેતા હતા. તેમાંથી એક દિવંગત બ્રજમોહનજીનો પણ સમાવેશ થાય છે.

મુંસિફમાં છપાયેલ લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિરોઝ ગાંધીના સસુર જવાહરલાલ નેહરુ તેમને જરા પણ પસંદ ન્હોતા કરતા. મૂંધરા કાંડ, જીપ કૌભાંડ જેવા નેહરુ સરકારના ભ્રષ્ટાચારના મામલા ઉઠાવવાના કારણે જવાહરલાલ નેહરુ તેમનાથી ખૂબ જ નારાજ હતા.
લેખકે આગળ લખ્યું છે કે 12 સપ્ટેમ્બર 2012 ફિરોઝ ગાંધીની જન્મસતાબ્દી હતી પરંતુ તેને કેન્દ્રમાં સત્તારૂઢ કોંગ્રેસ સરકારે યાદ કરવાની કોઇ જરૂરીયાત ના સમજી. એવું માલુમ પડે છે કે ફિરોઝ ગાંધીના પરિવારજનોએ તેમને ભુલાવી દીધા છે અથવા તેઓ જાણી જોઇને તેમને નકારી રહ્યા છે.

આખરે કારણ શું છે કે રાજીવ ગાંધી અને ઇન્દિરા ગાંધીની વર્ષગાંઠ પર સમાચાર પત્રોને 8-8 કરોડની જાહેરાત આપનારી સરકાર ફિરોઝ ગાંધીને બિલકૂલ ટાળી રહી છે. જોકે એ સમયે સત્તા ફિરોઝ ગાંધીની પુત્રવધૂ સોનિયાના હાથોમાં હતી. લેખકે આ વાત પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે ફિરોઝ ગાંધીને શરૂઆતથી જ તેમનો પરિવાર ટાળતો આવ્યો છે. તેમના નામ પર તો કોઇ માર્ગનું નામ પણ નથી.
થોડા વર્ષો પહેલાની વાત છે કે રાહુલ ગાંધી અલ્હાબાદના પ્રવાસ પર હતા તો રાત્રિના અંધારામાં તેઓ ફિરોઝ ગાંધીની કબર પણ જોઇ આવ્યા. આ સમાચાર માત્ર એક પારસી સમાચાર પત્રએ જ પ્રકાશિત કર્યા હતા. ફિરોઝ ગાંધી કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને તેમનાથી ખુદ જવાહરલાલ નેહરૂ ભયભીત રહેતા હતા. ફિરોઝ ગાંધી અનેકવાર લોકસભાના સભ્ય ચૂંટાયા.
ફિરોઝ ગાંધીને ભ્રષ્ટાચારના વિરુદ્ધ યુદ્ધ છેડનાર પ્રથમ વ્યક્તિ માનવામાં આવે છે. તેમણે પોતાના યુગના આર્થિક ઘોટાળાનો પ્રર્દાફાશ કર્યો હતો, અને તેના કારણે તત્કાલિન નાણા મંત્રી ટીટી કૃષ્ણામચારીને રાજીનામુ આપવું પડ્યું હતું. ફિરોઝના આ વલણથી નેહરુ ખૂબ જ પરેશાન હતા. 1960માં જ્યારે ફિરોઝ ગાંધીનું નિધન થયું તો બંનેએ રાહતના શ્વાસ લીધા.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
