Hathras : કેવી રીતે સર્જાય છે ભાગદોડની ઘટના? કેમ વારંવાર મોટી સંખ્યામાં લોકો મોતને ભેટે છે?
Hathras : ઉત્તર પ્રદેશના હાથરસમાં ભાગદોડમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટના એક સત્સંગ દરમિયાન બની.
હાથરસમાં થયેલી નાસભાગમાં મોટી સંખ્યામાં બાળકો અને મહિલાઓના મોત થયા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ડેટા અનુસાર, 2000 થી 2013 સુધીમાં લગભગ 2,000 લોકો આવી નાસભાગમાં મૃત્યુ પામ્યા છે.

ઇન્ટરનેશનલ જર્નલ ઑફ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનમાં પ્રકાશિત થયેલો 2013નો એ અભ્યાસ જણાવે છે કે ભારતમાં 79% નાસભાગ ધાર્મિક મેળાવડા અને તીર્થયાત્રાઓને કારણે થાય છે. અન્ય વિકાસશીલ દેશોની હાલત પણ લગભગ આવી જ છે. આ સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે નાસભાગ દરમિયાન શું થાય છે જે મૃત્યુ તરફ દોરી જાય છે?
ધાર્મિક કાર્યક્રમોમાં નાસભાગનું મોટુ કારણ
નિષ્ણાતોનું કહેવું છે કે કોઈપણ ઘટનામાં નાસભાગ થવાના મુખ્ય બે કારણો હોઈ શકે છે. પ્રથમ, ખૂબ ભીડ અને બીજું, સ્થળ પર બહાર નીકળવાની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે. ભીડના કારણે લોકો એકબીજા સાથે અથડાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
જેના કારણે તેમના શરીરને યોગ્ય માત્રામાં ઓક્સિજન મળતો નથી અને તેઓ તરત જ બેભાન થઈ જાય છે. આવી ભીડમાં ઊભા થવાનો મોકો ભાગ્યે જ મળે છે.
નાસભાગમાં મૃત્યુના કારણ
હાડકાની ઇજા
આરોગ્ય નિષ્ણાતો અનુસાર, નાસભાગમાં મૃત્યુનું એક કારણ ગરદનના હાડકા ઈજાછે. જ્યારે કોઈ વ્યક્તિ નાસભાગ દરમિયાન પડી જાય છે, ત્યારે ભીડ તેને કચડી નાખે છે. આ દરમિયાન પડી ગયેલા વ્યક્તિની ગરદન અથવા છાતી પર વધુ વજન પડે છે. તેના કારણે ગરદનનું હાડકું તૂટી શકે છે અને તેનું મૃત્યુ થઈ શકે છે. આ જ કારણ છે કે નાસભાગ દરમિયાન ઘણા મૃત્યુ થાય છે.
કોમ્પ્રેસિવ એસ્ફીક્સિયા
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, ગરદનનું હાડકું તૂટવા સિવાય કોમ્પ્રેસિવ એસ્ફીક્સિયા પણ મૃત્યુનું કારણ બની શકે છે. આ એવી સ્થિતિ છે જ્યારે શરીર પરના દબાણને કારણે શ્વાસ લેવાનું શક્ય નથી હોતું, ગૂંગળામણ થાય છે અને નીચે પડેલા વ્યક્તિનું મૃત્યુ થાય છે. નિષ્ણાતોના મતે નાસભાગ દરમિયાન પગ છાતી પર આવે છે.
આના કારણે ફેફસાંની નજીકનો ડાયાફ્રેમ સંકોચવા લાગે છે એટલે કે કડક થઈ જાય છે, જ્યારે તે સપાટ થઈ જાય છે ત્યારે તે યોગ્ય રીતે કામ કરી શકતો નથી અને ઓક્સિજન શરીર સુધી પહોંચી શકતો નથી અને મગજ સુધી પહોંચાડતો નથી. જેના કારણે મગજ ડેડ થઈ જાય છે અને તે મૃત્યુ પામે છે.
-
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ -
અમેરિકાએ ભારતને આપી ભેટ! આટલા દિવસો સુધી રશિયા પાસેથી ખરીદી શકશે તેલ, Hormuzનું ટેન્શન ખતમ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે ભારતમાં સોનું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 7 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IND vs NZ Final: અમદાવાદમાં ફાઈનલ જોવા પહોંચશે PM મોદી? સવા લાખ દર્શકો સાથે વધારશે ટીમનો ઉત્સાહ! -
Petrol Diesel Price: 6 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Delhi Ring Metro: દિલ્હીને મળશે દેશની પ્રથમ રિંગ મેટ્રો, PM મોદી 5 નવા મેટ્રો પ્રોજેક્ટ્સની આપશે ભેટ -
Weather Today: દેશમાં કાળઝાળ ગરમીની શરૂઆત! 12 રાજ્યોમાં લૂનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: આકરી ગરમી માટે રહો તૈયાર, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ








Click it and Unblock the Notifications
