અહીં બાળકોને અપાય છે લગ્ન માટેની ટ્રેનિંગ, નાની ઉમરમાં જ મહિલા શિક્ષકો તમામ બાબતો શિખવાડે છે
દુનિયાના વિવિધ દેશોમાં વસતી વિવિધ આદીવાસી જનજાતિઓ તેમની વિચિત્ર પરંપરાઓ માટે જાણીતી છે. આવી જ એક જનજાતિ મનગાઈયા આદિવાસી છે.
આજે પણ કેટલાક લોકો એવા છે જે પોતાના રિવાજો અને પરંપરા છોડવા ક્યારેય તૈયાર નથી. આ લોકોએ આધુનિક જીવનશૈલીને ઠુકરાવી છે અને શહેરથી દૂર પોતાની આદિવાસી કબિલાઓમાં રિવાજો સાથે રહે છે.

વિશ્વની આ જાતિઓની યાદીમાં મનગાઈયા આદિજાતિ પણ સામેલ છે, આ જનજાતિમાં કેટલાક વિચિત્ર રિવાજો છે, જેના કારણે તે ઘણા વિવાદોમાં રહે છે. શહેરના સૌથી આધુનિક લોકો કરતાં પણ વધુ મુક્ત વિચારસરણીવાળા લોકો આ જનજાતિમાં રહે છે, પરંતુ તેને કોઈપણ રીતે નૈતિક કહી શકાય નહીં.
અહીંના રિવાજોને કારણે આમ કહી શકાય છે. અહીં બાળકોને નાનપણથી જ પુરુષ બનવાની તાલીમ આપવામાં આવે છે. જેને કદાચ આપણે શહેરમાં બાળ શોષણ પણ ગણાવી દઈએ.
આ રિવાજ પાછળ કારણ એ છે કે આ આદિજાતિના લોકો નથી ઈચ્છતા કે તેમના પુત્રો લગ્ન પછી તેમની પત્નીઓને ખુશ રાખવામાં નિષ્ફળ જાય. આ કારણોસર છોકરાઓને લગ્ન પહેલા વ્યાપક તાલીમ આપવામાં આવે છે.
આ ઉપરાંત તેમને લગ્ન પહેલા એકથી વધુ પાર્ટનર બદલવાની પણ છૂટ છે. જો કે, આ તાલીમ છોકરીઓ માટે માન્ય નથી. આ જનજાતિમાં 13 વર્ષના છોકરાઓની સુન્નત ફરજિયાત છે.












Click it and Unblock the Notifications
