આખરે કઈ રીતે થયું હતું ચાણક્યનું મૃત્યુ, 2 કહાની છે ફેમસ
ચાણક્યને રાજનીતિ અને અર્થતંત્રના પંડિત માનવામાં આવે છે. ભારતમાં જ નહી પરંતુ દુનિયામાં પણ તેમના જ્ઞાનની ચર્ચા છે. રાજનીતિ અને અર્થતંત્રમાં આજે પણ તેમને બતાવેલા નિયમોની મિસાલ આપવામાં આવે છે.
જ્યાં ચાણક્યના જીવનની મિસાલ આપવામાં આવે છે. ત્યાં જ તેમનું મૃત્યુ કેવી રીતે થયું તે પણ એક મોટું રહસ્ય છે. અને આ અંગે ભાગ્યેજ કોઇ ઠોસ માહિતી પ્રાપ્ત છે. આજે પણ કોઈ નથી જાણતું કે ચાણક્યનું મૃત્યુ કઈ રીતે થયું હતું.
એક નજર કરો ચાણક્યના મૃત્યુ સાથે જોડાયેલા રાઝ પર....
પહેલી કહાની
એક વાત મુજબ ચાણક્યએ ઇચ્છા મૃત્યુ સ્વીકારી હતી. જે મુજબ ચાણક્યએ ત્યાં સુધી અન્ન અને જળનો ત્યાગ કરી દીધો જ્યાં સુધી તેમનું મૃત્યુ ના થઇ.
બીજી કહાની
બીજી કહાની મુજબ ચાણક્ય દુશ્મનના ષડયંત્રનો શિકાર થયા હતા. જેના કારણે તેમનું મૌત થયું.
સત્ય કોઈને પણ ખબર નથી
આ બંને કહાનીમાંથી કઈ કહાની સાચ્ચી છે તે કોઈને પણ ખબર નથી.
મૌર્યવંશ
ચાણક્યએ મૌર્યવંશની સ્થાપનામાં મોટું યોગદાન આપ્યું હતું.
મળ્યું નવું રૂપ
ચાણક્યની શીખથી મૌર્યવંશને એક નવું અને શક્તિશાળી રૂપ મળ્યું હતું.
બિન્દુસારને પણ બનાવ્યો મહાન રાજા
ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર બિન્દુસારને પણ રાજા બનાવવામાં ચાણક્યનો હાથ હતો.
ચાણક્ય વિરુદ્ધ ષડયંત્ર
બિન્દુસારના મંત્રીને ચાણક્ય રાજા બિન્દુસારની નજીક આવે તે પસંદ ન હોવાથી તેમને ચાણક્ય વિરુધ ષડયંત્ર રચ્યું જેનાથી રાજા બિન્દુસાર ચાણક્યથી દૂર થઇ જાય.
ચાણક્ય વિરુધ ષડયંત્ર
જે મુજબ ચાણક્યએ મહેલ છોડવાનો નિર્ણય કર્યો અને એક દિવસ તેઓ ચુપચાપ મહેલ છોડીને ચાલ્યા ગયા. તેમને આજીવન ઉપવાસ કરવાનો પ્રણ લીધો અને અંતમાં પોતાના પ્રાણ ત્યાગી દીધા.
મંત્રીઓએ ચાણક્યને જીવતા સળગાવવાનો પ્રયાસ
એક બીજી કહાની મુજબ બીજા મંત્રીઓએ ચાણક્યને જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો હતો અને જેમાં તેઓ સફળ પણ થયા હતા.