ગાંધીનગર, 27 એપ્રિલ: ભારતમાં હાલ લોકસભાની ચૂંટણીની જે રેસ ચાલી રહી છે તે નવી તો નથી પરંતુ લોકસભા ચૂંટણી દરવખત કરતાં અત્યારે વધુ મહત્વ જોવા મળી રહ્યું છે. જે પ્રકારે જનતા જાગૃત દેખાઇ રહી છે આ ભારતીય લોકતંત્ર માટે શુભ સંકેત છે. આ લોકસભા ચૂંટણીની સૌથી મોટી વિશેષતા એ છે કે આ ચૂંટણી સકારાત્મક અને નકારાત્મક બંને જ પક્ષોથી વિશેષ રૂપથી એક વ્યક્તિને કેન્દ્રમાં રાખીને ચાલી રહી છે અને તે વિશેષ વ્યક્તિ છે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી.
આવું પ્રથમ વાર થઇ રહ્યું છે કે એક વ્યક્તિને જનતાનો પ્રેમ અને તેની નારાજગી બંને સાથે મળી રહી છે. કારણ કે એક તરફ 2001થી ગુજરાતમાં તેમનું સારું પ્રદર્શન છે જેને જનતાના મનમાં તેમના પ્રત્યે ઉંડી આસ્થાને જન્મ આપ્યો છે અને નારાજગીનું કારણ પણ ગુજરાતમાં જ 2002માં ગુજરાતમાં થયેલા કોમી રમખાણો. જેમાં મૃતકોની સંખ્યા 1000થી વધુ હતી અને તેમાં પણ વધુ મુસલમાનો હતા. ભલે નરેન્દ્ર મોદી પોતાને આ હિંસા માટે દોષી ન માનતા હોય પરંતુ મુસ્લિમ સમુદાય હજુ પણ તેના માટે માફી કરી શક્યો નથી.
જ્યાં નરેન્દ્ર મોદીના સમર્થક તેમને મસીહા માની રહ્યાં છે તો બીજી તરફ તેમને નાપસંદ કરનાર લોકો તેમને ધાર્મિક વિવિધતાવાળા દેશ ભારત માટે કોઇ ખતરાથી ઓછા સમજતા નથી તેમને ડર છે કે નરેન્દ્ર મોદી દેશને ધર્મના આધાર પર વહેંચી રહ્યાં છે. નરેન્દ્ર મોદીના પ્રશંસકો મોદીને વિસ્તૃત લહેરને સ્વિકાર કરી રહ્યાં છે પરંતુ બીજી તરફ વિરોધીઓ મોદીની લહેરને સ્વિકારવા માટે તૈયાર નથી.
મીડિયાની દેન મોદી
અહીં કહેવું ખોટું નથી કે જે ઉત્સાહ સાથે મીડિયાએ નરેન્દ્ર મોદીના પ્રચારને કવર કર્યું છે, જનતા સુધી પહોંચાડ્યા છે. તેનાથી નરેન્દ્ર મોદીના પ્રચારને ઘણો ફાયદો પહોંચ્યો છે. પરંતુ ભલે જ નરેન્દ્ર મ્દોઈની જનપક્ષધરતા ભલે ગમે તેટલી વિસૃત કેમ ન હોય પરંત ભારત સૌથી મોટો દેશ છે. નરેન્દ્ર મોદીના વિરોધીઓની સંખ્યા પણ કંઇ કમ નથી તો અત્યારે નરેન્દ્ર મોદી અને ભાજપ બંને પર સંકટના વાદળ છે તમે અત્યારે ચેનથી શ્વાસ લઇ શકશો નહી.
મહારાષ્ટ્ર અને કર્ણાટક બન્યા મુસીબત
જો પશ્વિમ બંગાળના તટીય રાજ્ય મહારાષ્ટ્ર અને કર્ણાટકની કરીએ તો બંને ફરી એકવાર ભાજપ દ્વારા શાસિત રહી ચૂક્યાં છે તો બીજી તરફ જનતાનું મન કઇ તરફ છે તે સ્પષ્ટપણે કહી શકાય નહી અહીં સ્થાનિક પાર્ટી પણ ભાજપને ટક્કર આપી રહી છે.
ગુજરાત મોડલના દમ પર મોદી
નરેન્દ્ર મોદી ગુજરાત મોડલના સહારે આગળ વધી રહ્યાં છે. તેમાં કોઇ શક નથી કે વિકાસ તો ગુજરાતમાં થયો છે જેના લીધે જ આજે ચારેય તરફ નમો નમોનો રાગ આલાપવામાં આવી રહ્યો છે.
ભ્રષ્ટાચાર અને જાતિય રાજકારણ
બીજી તરફ ભાજપ વિરૂદ્ધ ભ્રષ્ટાચારના આરોપ અને જાતિય રાજકારણનો મુદ્દો અહીં ભાજપ માટે મુસિબત બની શકે છે. કેરલ અને તમિલનાડુ આ બંને રાજ્યોમાં નરેન્દ્ર મોદીનો પ્રભાવ તો જોવા મળી રહ્યો છે બાકી અહીંની જનતા ભાજપ કે મોદી માટે કેટલી જાગૃત જોવા મળી રહી છે તેની ખબર 16 મેના રોજ ખબર પડી જશે.
ગોવામાં ભાજપની રાહ આસાન નહી
ગુજરાત ઉપરાંત ગોવામાં ભાજપની સત્તા કાયમ છે પરંતુ અહીંયા પણ હાલ કૈથોલિક ચર્ચ દ્વારા ધર્મ નિરપેક્ષ પાર્ટીઓને પસંદ કરવાની જે ખુલ્લી અપીલ થઇ છે તે રાજકીય પરિવર્તન લાવી શકે છે તો અહીં પણ ભાજપ સંકટમાં છે.
મોદીની લહેર પ્રભાવી નહી
આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સા અહીં નરેન્દ્ર મોદીની લહેર પ્રભાવી જોવા મળી રહી નથી. અહીં સ્થાનિક પાર્ટીઓઅ અને મુદ્દાઓ વચ્ચે સમાઇ ગયેલી જોવા મળી રહી છે. પશ્વિમ બંગાળની વાત કરીએ તો મમતાજીની તૃણમૂળ કોંગ્રેસ અહીં મજબૂત જોવા મળી રહી છે.
272માંથી 200 સીટ મળશે તો જ મોદી બનશે વડાપ્રધાન
કુલ મળીને જોઇએ તો ભારતના પશ્વિમ અને દક્ષિણ ભાગમાં ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવ, દાદર અને નગર હવેલી અને પાંડેચેરી જ જ્યાં ચૂંટણી એક સીટ પર જ થઇ રહી છે તો બીજી તરફ ભાજપની જીત માટે ફાયદાકારક થઇ શકે છે બાકી જે અન્ય 9 રાજ્યોની ચર્ચા અમે કરી તો મોટાભાગે ભાજપને 543માંથી 269 સીટ મેળવવામાં સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. વિશ્લેષકોનું માનીએ તો ભાજપને આ લોકસભા ચૂંટણીમાં જીત માટે ગઠબંધન વિના 272 માંથી 200 સીટ પોતાના દમ પર પ્રાપ્ત કરવી પડશે ત્યારે એનડીએ સ્તર પર પણ ભાજપનો સિક્કો જામશે.