પૃથ્વી પર કુલ કેટલા લીટર પાણી છે? જાણો તેમા વધારો-ઘટાડો થાય કે નહીં?
માનવ જીવનના અસ્તિત્વમાં સૌથી મોટો ફાળો પાણીનો છે. પૃથ્વી પરની તમામ જીવ સૃષ્ટી પાણીને કારણે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. આ સ્થિતીમાં પાણી વિશે કેટલીક એવી બાબતો છે જે આપણે જાણવી જોઈએ.
પાણીને લઈને તમને સવાલ થતો હશે કે આખરે પૃથ્વી પર કેટલુ પાણી છે અને આ પાણીમાં પીવાલાયક કેટલુ છે? અહીં એક મોટો સવાલ એ પણ છે કે પૃથ્વી પર પાણીની વધઘટ થાય છે કે કેમ?

જાણી લો કે પૃથ્વીની સપાટીનો લગભગ એક તૃતીયાંશ ભાગ પાણીથી ઢંકાયેલો છે. જો ટકાવારીમાં વાત કરીએ તો 71 ટકા ભાગ પર પાણી છે. અને 1.6 ટકા ભૂગર્ભ અને 0.001 ટકા પાણી વરાળના રૂપમાં અને વાદળોના રૂપમાં હાજર છે.
પૃથ્વી પર હાજર પાણીમાંથી સૌથી મોટો ભાગ સમુદ્ર અને મહાસાગરોમાં ખારા પાણીનો છે. તેનો ઉપયોગ પીવા માટે કરી શકાતો નથી. તમને જાણીને નવાઈ લાગશે કે તે કુલ પાણીના માત્ર 3 ટકા પાણી જ પીવાલાયક છે.
આ પાણીમાંથી પણ 2.4 ટકા હિમનદીઓ અને ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં સંગ્રહિત છે. બાકીનું 0.6 ટકા પાણી નદીઓ, તળાવો અને સરોવરોમાં છે. જેનો જરૂર પડ્યે ઉપયોગ કરી શકાય છે.
એક અહેવાલ અનુસાર, પૃથ્વી પર કુલ 326 મિલિયન ગેલન પાણી છે. એક ગેલનમાં અંદાજે 4.54 લિટર પાણી હોય છે. ખાસ વાત એ છે કે આ માત્રામાં વધારો કે ઘટાડો થતો નથી. મહાસાગરોમાંથી પાણી વરાળ બનીને આકાશમાં ઉડે છે, વાદળો બનાવે છે અને પૃથ્વી પર વરસાદ પડે છે અને પછી મહાસાગરોમાં જાય છે. આ ચક્ર ચાલુ રહે છે.
પૃથ્વી પર પીવાના પાણીની માત્રામાં દરરોજ ઘટાડો થઈ રહ્યો છે. પૃથ્વી અન્ય કોઈપણ ગ્રહ કરતાં વધુ પાણી છે. વિશ્વના મોટા દેશો પાણી બચાવવા અને ગ્લેશિયર્સને પીગળતા રોકવા માટે તેમના સ્તરે કામ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
