હિન્દુઓએ કમાણીમાંથી કેટલુ દાન કરવુ જોઈએ? જાણો શું કહે છે શાસ્ત્રો?
ભારતીય પરંપરામાં દાનનું વિશેષ મહત્વ છે. લોકો ઉતરાયણ જેવા પ્રસંગોએ વિવિધ ધાર્મિક સંસ્થાઓથી લઈને સામાજીક સંસ્થાઓને મોટુ દાન આપે છે.
ભારતીય શાસ્ત્રોમાં પણ દાનનો મહિમા લખાયો છે. ભગવદ ગીતાથી લઈને પુરાણો સુધીમાં દાનનો ઉલ્લેખ મળે છે. તમામ શાસ્ત્રો કમાણીનો એક ભાગ દાન કરવાની વાત કરે છે.
આજે આપણે ભારતીય પંરપરા અનુસાર શાસ્ત્રોમાં કેટલુ દાન કરવા કહ્યું છે તે અને તેમાં શું ઉલ્લેખ છે તે જાણવાના છીએ.

તમને જાણીને નવાઈ લાગશે કે ધાર્મિક ગ્રંથોમાં દાનનું વિશેષ મહત્વ છે અને તેના માટે ખાસ નિયમો પણ જણાવાયા છે. આ નિયમો તમને દાન કરવાની રીત જણાવે છે.
ભગવદ ગીતામાં ત્રણ પ્રકારના દાનનો ઉલ્લેખ છે. પ્રથમ દાન સાત્વિક દાન છે. આ દાનને કોઈપણ અપેક્ષા વિના અને યોગ્ય સ્થાન અને સમયે કરવામાં આવે છે. બીજું દાન રાજસિક દાન છે, જે ફળની અપેક્ષા અને અન્ય કોઈ સ્વાર્થ માટે કરવામાં આવે છે. અન્ય એક ત્રીજું તામસિક દાન છે, જે ખોટી જગ્યાએ ખોટા સમયે અને વ્યક્તિને કરવામાં આવે છે.
શાસ્ત્રો કહે છે કે દાન હંમેશા માત્ર લાયક વ્યક્તિને જ આપવું જોઈએ. દાન કરવા ક્યારેય દેવુ કરવુ જોઈએ નહીં. આ સિવાય પરિવારના લોકોને દુખી કરીને કે ત્રાસ આપીને પણ દાન ક્યારેય ન આપવું જોઈએ. દાન વિશે એવું પણ કહેવામાં આવે છે કે સંકટ સમયે બચાવેલા પૈસા ક્યારેય દાન ન કરવા જોઈએ.
દાન કરવાથી સ્વભાવમાં હકારાત્મકતા આવે છે. જો દાન કર્યા પછી દાતાને દાન કરવાનો પસ્તાવો થાય તો તે દાન નિષ્ફળ જાય છે. કોઈ દાન શ્રદ્ધા વિના કે ખોટા ઈરાદાથી આપવામાં આવે તો તે પણ નાશ પામે છે.
આ સિવાય જે દાન ડરથી આપવામાં આવે છે તે પણ નાશ પામે છે. જે દાન સ્વાર્થપૂર્વક આપવામાં આવે છે તે પણ નાશ પામે છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
