હિન્દુઓએ કમાણીમાંથી કેટલુ દાન કરવુ જોઈએ? જાણો શું કહે છે શાસ્ત્રો?
ભારતીય પરંપરામાં દાનનું વિશેષ મહત્વ છે. લોકો ઉતરાયણ જેવા પ્રસંગોએ વિવિધ ધાર્મિક સંસ્થાઓથી લઈને સામાજીક સંસ્થાઓને મોટુ દાન આપે છે.
ભારતીય શાસ્ત્રોમાં પણ દાનનો મહિમા લખાયો છે. ભગવદ ગીતાથી લઈને પુરાણો સુધીમાં દાનનો ઉલ્લેખ મળે છે. તમામ શાસ્ત્રો કમાણીનો એક ભાગ દાન કરવાની વાત કરે છે.
આજે આપણે ભારતીય પંરપરા અનુસાર શાસ્ત્રોમાં કેટલુ દાન કરવા કહ્યું છે તે અને તેમાં શું ઉલ્લેખ છે તે જાણવાના છીએ.

તમને જાણીને નવાઈ લાગશે કે ધાર્મિક ગ્રંથોમાં દાનનું વિશેષ મહત્વ છે અને તેના માટે ખાસ નિયમો પણ જણાવાયા છે. આ નિયમો તમને દાન કરવાની રીત જણાવે છે.
ભગવદ ગીતામાં ત્રણ પ્રકારના દાનનો ઉલ્લેખ છે. પ્રથમ દાન સાત્વિક દાન છે. આ દાનને કોઈપણ અપેક્ષા વિના અને યોગ્ય સ્થાન અને સમયે કરવામાં આવે છે. બીજું દાન રાજસિક દાન છે, જે ફળની અપેક્ષા અને અન્ય કોઈ સ્વાર્થ માટે કરવામાં આવે છે. અન્ય એક ત્રીજું તામસિક દાન છે, જે ખોટી જગ્યાએ ખોટા સમયે અને વ્યક્તિને કરવામાં આવે છે.
શાસ્ત્રો કહે છે કે દાન હંમેશા માત્ર લાયક વ્યક્તિને જ આપવું જોઈએ. દાન કરવા ક્યારેય દેવુ કરવુ જોઈએ નહીં. આ સિવાય પરિવારના લોકોને દુખી કરીને કે ત્રાસ આપીને પણ દાન ક્યારેય ન આપવું જોઈએ. દાન વિશે એવું પણ કહેવામાં આવે છે કે સંકટ સમયે બચાવેલા પૈસા ક્યારેય દાન ન કરવા જોઈએ.
દાન કરવાથી સ્વભાવમાં હકારાત્મકતા આવે છે. જો દાન કર્યા પછી દાતાને દાન કરવાનો પસ્તાવો થાય તો તે દાન નિષ્ફળ જાય છે. કોઈ દાન શ્રદ્ધા વિના કે ખોટા ઈરાદાથી આપવામાં આવે તો તે પણ નાશ પામે છે.
આ સિવાય જે દાન ડરથી આપવામાં આવે છે તે પણ નાશ પામે છે. જે દાન સ્વાર્થપૂર્વક આપવામાં આવે છે તે પણ નાશ પામે છે.
-
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી -
બરોડા ડેરીના સંચાલકોને રજીસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટકારી, જાણ કેમ? -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ -
અમેરિકાએ ભારતને આપી ભેટ! આટલા દિવસો સુધી રશિયા પાસેથી ખરીદી શકશે તેલ, Hormuzનું ટેન્શન ખતમ







Click it and Unblock the Notifications
