Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Independence Day 2023 : જાણો Flag Hoisting અને Flag Unfurling વચ્ચે શું તફાવત છે?

Independence Day 2023 : સમગ્ર ભારત હાલમાં 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યું છે. જેના ભાગરૂપે સમગ્ર દેશમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં સ્વતંત્રતા દિવસ કે અઝાદી દિવસના અવસર પર શાળાઓ અને કોલેજોમાં દેશ ભક્તિના કાર્યક્રમો યોજવામાં આવે છે અને આ દિવસે રાષ્ટ્રીય રજા હોય છે.

77મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરતા પહેલા Flag Hoisting અને Flag Unfurling વિશે જાણી લેવું જોઇએ. આ અહેવાલમાં આપણે જાણીશું કે, Flag Hoisting અને Flag Unfurling વચ્ચે શું તફાવત હોય છે? આ સાથે Flag Hoisting ક્યારે થાય છે અને Flag Unfurling ક્યારે કરવામાં આવે છે?

Independence Day 2023

26 જાન્યુઆરીના રોજ ધ્વજ ફરકાવે છે દેશના રાષ્ટ્રપતિ - નોંધનીય બાબત છે કે, દેશના રાષ્ટ્રીય તહેવારો જેમ કે પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી) અને સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ) પર ધ્વજ ફરકાવવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે આ બે દિવસના ધ્વજારોહણમાં ફરક છે. 26 જાન્યુઆરીએ દેશના રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે, જ્યારે સ્વતંત્રતા દિવસે દેશના વડાપ્રધાન ધ્વજ ફરકાવે છે.

Flag Hoisting - ઉલ્લેખનીય છે કે, હકીકતમાં સ્વતંત્રતા દિવસના દિવસે રાષ્ટ્રધ્વજને નીચેથી દોરડા વડે ઉપર ખેંચવામાં આવે છે, પછી તેને ખોલીને ફરકાવવામાં આવે છે, જેને Flag Hoisting કહેવામાં આવે છે.

Flag Unfurling - જ્યારે 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસના દિવસે ધ્વજ ટોચ પર બાંધેલો રહે છે, જે ફરકાવવામાં આવે છે, જેને 'ઝંડો ફરકાવવો' કહેવામાં આવે છે, જેના માટે Flag Unfurling શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.

ત્રિરંગો ફરકાવવા માટે શું નિયમ છે?

  • આપણો રાષ્ટ્રધ્વજ એટલે કે ત્રિરંગો આપણું આનબાનશાન છે. આપણો ધ્વજ આપણી ઓળખાણ છે, તેથી તેને ફરકાવવાનો નિયમ છે, જે
  • દરેક ભારતીયોએ જાણવું જરૂરી છે.
  • તિરંગો હંમેશા સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે ફરકાવવામાં આવે છે.
  • તિરંગાને જમીન પર ન રાખવો જોઈએ.
  • ધ્વજ ક્યારેય નીચો નથી ફરકાવવામાં આવતો, તે ત્યારે જ થાય છે જ્યારે દેશમાં રાષ્ટ્રીય શોક હોય.
  • ધ્વજને ક્યારેય પાણીમાં ડૂબાડી શકાય નથી.
  • ધ્વજના કોઈપણ ભાગને સળગાવવા, નુકસાન પહોંચાડવા અથવા તેનું અપમાન કરવાથી વ્યક્તિને જેલ પણ થઈ શકે છે.

શા માટે ઉજવાય છે સ્વતંત્રતા દિવસ?

ભારત 15 ઓગસ્ટના રોજ બ્રિટિશ શાસનથી આપણી સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરશે. ભારતને 1947માં બ્રિટિશ સામ્રાજ્યના જુલમી શાસનમાંથી આઝાદી મળી હતી. પ્રથમ વખત વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ સ્વતંત્ર ભારતનો રાષ્ટ્રધ્વજ ઉપર લહેરાવ્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X