Karwa Chauth 2024: આ તારીખે રાખવામાં આવશે કડવા ચોથનું વ્રત, જાણો પૂજાવિધિ અને મુહૂર્ત
Karwa Chauth 2024: સનાતન ધર્મમાં પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે કડવા ચોથને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દર વર્ષે પરિણીત મહિલાઓ કડવા ચોથના વ્રતની આતુરતાથી રાહ જુએ છે.
કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના દિવસે પરિણીત મહિલાઓ કડવા ચોથનું નિર્જળા વ્રત રાખે છે, અને સાંજે ચંદ્રને જોઈને અર્ઘ્ય અર્પણ કરીને ઉપવાસ તોડે છે.
આ દિવસે મહિલાઓ સોળ શૃંગાર કરે છે, અને ગણપતિ અને કડવા માતાની પૂજા કરે છે. કેટલાક સ્થળોએ, અપરિણીત છોકરીઓ પણ તેમના ઇચ્છિત વર માટે આ વ્રત રાખે છે.
આ અહેવાલમાં આપણે જાણીશું કે, આ વર્ષે કયા દિવસે કડવા ચોથનો તહેવાર આવી રહ્યો છે, અને એ પણ જાણીએ કે, આ દિવસે પૂજા અને ચંદ્રોદયનો સમય કયો છે.

કડવા ચોથ 2024 ક્યારે છે - હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે એટલે કે 2024માં કડવા ચોથનું વ્રત 20મી ઓક્ટોબરે પડી રહ્યું છે. કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ 20 ઓક્ટોબર એટલે કે રવિવારે સવારે 6.46 કલાકે શરૂ થઈ રહી છે, અને આ તિથિ બીજા દિવસે એટલે કે, 21મી ઓક્ટોબરે સવારે 4.116 સુધી ચાલશે.
આ રીતે ઉદય તિથિ અનુસાર, 20 ઓક્ટોબર, રવિવારના રોજ કડવા ચોથનું વ્રત રાખવામાં આવશે. આ વર્ષે પરિણીત મહિલાઓએ 13 કલાક 29 મિનિટ સુધી કડવા ચોથનું નિર્જળા વ્રત કડવાનું રહેશે.
કડવા ચોથ પર ચંદ્રોદય અને પૂજા માટેનો શુભ સમય - આ વર્ષે કડવા ચોથના રોજ ચંદ્રોદયનો સમય 20 ઓક્ટોબરે સાંજે 7.55 કલાકે છે.
જોકે, આ સમય અલગ-અલગ શહેરોમાં અલગ હશે. પોતાના વિસ્તારમાં ચંદ્રના દર્શન કર્યા બાદ પરિણીત મહિલાઓ ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરીને ઉપવાસ તોડશે.
ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરતી વખતે, સ્ત્રીઓ ચાળણી દ્વારા ચંદ્રને જુએ છે, અને પછી દીવો દાન કર્યા પછી, તેને જળ અર્પણ કરે છે. આ વર્ષે એટલે કે 2024માં, રવિવારે સાંજે 5.46 કલાકે કડવા ચોથની પૂજાનો શુભ સમય શરૂ થઈ રહ્યો છે.
આ શુભ સમય 7.09 મિનિટ સુધી રહેશે અને આ રીતે પરિણીત મહિલાઓને કડવા ચોથની પૂજા માટે 1.25 કલાકનો શુભ સમય મળી રહ્યો છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
