Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જાણો ઘરેલૂ હિંસાને લગતી આ 12 વાતો

કોઇ પણ મહિલા માટે ઘરેલૂ હિંસા માટે અવાજ ઉઠાવવો સૌથી મોટો પ્રશ્ન હોય છે. સમાજ શું કહેશે? પછી મારું શું? આવા અનેક સવાલો મહિલાઓને વર્ષો સુધી આ હેરાનગતિ અને દુરવ્યવહારને પોતાના નસીબ સમજીને સહન કરવા મજબૂર કરે છે.

વધુમાં એ વાત પણ એટલી જ સાચી છે કે બહુ ઓછી મહિલાઓને ઘરેલૂ હિંસા અને તેને લઇને લગાતા નિયમ કાનૂન વિષે યોગ્ય માહિતી હોય છે. મોટા ભાગની મહિલાઓ આ વિષે માંડ થોડુંક જાણે છે અને અમુકને આ અંગે ખોટી માહિતી પ્રાપ્ત છે.

ભારતમાં ઘરેલૂ હિંસાનો કાયદો 2005ની લગાવામાં આવ્યો છે. જે અંતર્ગત તમે FIR નોંધાવી શકો છો. ત્યારે આ કાયદાને વધુ સારી રીતે સમજવા અમે આજે આ વિષયને લગતા કેટલાક સવાલોના જવાબત તમને આપીશું. તો આ સવાલ જવાબ વાંચો અને ઘરેલૂ હિંસાના આ કાનૂનને યોગ્ય રીતે સમજો. જુઓ આ ફોટા સ્લાઇડર.

ઘરેલું હિંસા હેઠળ કોની કોની વિરુદ્ધ ફરિયાદ થઇ શકે?

ઘરેલું હિંસા હેઠળ કોની કોની વિરુદ્ધ ફરિયાદ થઇ શકે?

મહિલા ધરેલૂ હિંસા મુજબ કોઇ પણ વયસ્ક પુરુષ અને તેના પુરુષ અને મહિલા સંબંધીઓની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી શકે છે. તમે લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હોવ કે લગ્ન કરી ચૂક્યા હોવ બન્ને મામલામાં તમે હિંસા કરાયેલા પતિ કે અન્ય કોઇ પુરુષ (સસરા,દિયર,જેઠ,વડ સસરા) કે મહિલા સંબંધીઓ (સાસુ, નળંદ,) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો. આ લોકો પર ધારા- 498 અંતર્ગત ધારા- 2 (Q) હેઠળ કેસ ચાલી શકે છે.

ધારા 2 (Q) હેઠળ સંબંધીઓની પરિભાષામાં કોનો કોનો સમાવેશ થાય?

ધારા 2 (Q) હેઠળ સંબંધીઓની પરિભાષામાં કોનો કોનો સમાવેશ થાય?

પીડબલ્યૂવીએમાં સંબંધી શબ્દનું અર્થધટન થતી કરવામાં આવ્યું. જેના લીધા તમે પતિ, સસરા, સાસુ, નળંદ, કાકા, વડ સસરા, જેઠ, દિયરની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો.

શું પત્ની તેના પતિની મહિલા સંબંધી જેમ કે સાસુ, નળંદની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે છે?

શું પત્ની તેના પતિની મહિલા સંબંધી જેમ કે સાસુ, નળંદની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે છે?

હા, પતિની મહિલા સંબંધી વિરુદ્ધ અરજી જાહેર કરી શકે છે. વધુમાં મહિલા તેના પતિ કે પુરુષ સંબંધીઓ જેમ કે સરસા વિરુદ્ઘ સુરક્ષા પ્રાપ્ત કરી શકે છે. તથા ભરણ પોષણ ભથ્થું પણ માંગી શકે છે. હિંસક હિંસા મામલે મહિલા તેના પતિ કે પતિના સંબંધી વિરુદ્ધ ધારા 125 હેઠળ ફરિયાદ નોંધાવી શકે છે.

શું સાસુ તેની વહુની વિરુદ્ધમાં રિપોર્ટ દાખલ કરી શકે છે?

શું સાસુ તેની વહુની વિરુદ્ધમાં રિપોર્ટ દાખલ કરી શકે છે?

ના, સાસુ વહૂની વિરુદ્ધ ફરિયાદ નથી કરી શકતી. પણ હા, પુત્ર અને વહૂ દ્વારા થતી શારિરીક હિંસા વિરુદ્ધ તે પોતાના દીકરાને વહૂ દ્વારા ચઢાવામાં આવી રહ્યો છે તેવી ફરિયાદ કરી શકે છે. જો કે કોઇ પણ સંજોગોમાં સાસુ વહૂને ઘરની બહાર નથી કરી શકતી.

ઘરેલું હિંસાનો રિપોર્ટ (ડીઆઇઆર) શું છે?

ઘરેલું હિંસાનો રિપોર્ટ (ડીઆઇઆર) શું છે?

પીડબલ્યૂડીવીએના ફાર્મ 1માં ડીઆઇઆર ડ્રાફ કરવાની હોય છે. પીડિત મહિલા, પોલીસ કે રજિસ્ટ્રર કરાયેલા લીગલ એડવાઇઝરની હાજરીમાં ઘરેલૂ હિંસાનો મામલો નોંધાવી શકે છે. તે એ વાતની પુષ્ટી છે કે હિંસાની ઘટનાની રિપોર્ટ થઇ છે. તે એનસીઆર (નોન પનીસેબલ ક્રાઇમ)ના દાયરામાં આવે છે. ત્યારબાદ પોલિસના અધિકારી કે પછી નિમાયેલા લીગલ એડવાઇઝર દ્વારા તેની પર હસ્તાક્ષર કરવા થાય છે. વધુમાં આ એક સાર્વજનિક દસ્તાવેજ છે.

ડીઆઇઆર કેવી રીતે રેકોર્ડ થાય છે?

ડીઆઇઆર કેવી રીતે રેકોર્ડ થાય છે?

ડીઆઇઆર મહિલાના સાચા નિવેદનને વિશ્વારૂપ માની રેકોર્ડ કરવામાં આવે છે. જો કોઇ મહિલા તેની પીડા નથી કહી શકતી તો સુરક્ષા અધિકારી તેને ડીઆઇઆર પછી પણ ભરવા બોલાવી શકે છે. વધુમાં પોલિસ મહિલાની આવવાની માહિતી તેની દૈનિક ડાયરીમાં લખે છે.

ડીઆઇઆર રિકોર્ડ થયા પછી શું થાય છે?

ડીઆઇઆર રિકોર્ડ થયા પછી શું થાય છે?

પોલિસ ડીઆઇઆરને મેજિસ્ટ્રેટની પાસે મોકલે છે. વધુમાં તેને, ડીઆઇઆરની એક કોપી ક્ષેત્રાધિકારમાં આવતા પોલિસ સ્ટેશનમાં પણ આપવાની હોય છે.

ડીઆઇઆરની પ્રાપ્તિ પર મજિસ્ટ્રેટ શું કરશે?

ડીઆઇઆરની પ્રાપ્તિ પર મજિસ્ટ્રેટ શું કરશે?

મેજિસ્ટ્રેટ રિકોર્ડ રાખવા માટે ડીઆઇઆરને સુરક્ષિત રાખશે. વધુમાં ફરિયાદ નોંધાયા બાદ પણ કોઇ ધટના મહિલા જોડે થઇ હોય તો તે પણ પાછળથી નોંધાવી શકાય છે.

શું પીડિતા વકીલ દ્વારા ડીઆઇઆર ભરી શકે?

શું પીડિતા વકીલ દ્વારા ડીઆઇઆર ભરી શકે?

ના, પોલિસ અધિકારી કે રજિસ્ટ્રર કરાયેલા સેવા પ્રદાતા એટલે કે લીગલ એડવાઇઝર જોડે જ તે આ ડીઆઇઆર નોંધાવી શકે છે. વધુમાં તેમના હસ્તાક્ષર આ ડીઆઇઆર પર પણ એટલા જ જરૂરી છે.

શું પીડિતા મહિલા ડીઆઇઆર વગર આવેદન ભરી શકે છે?

શું પીડિતા મહિલા ડીઆઇઆર વગર આવેદન ભરી શકે છે?

હા પીડિત મહિલાની રાહત માટ ડીઆઇઆર ભર્યા વગર પણ એપ્લિકેશન આપી શકે છે. નોંધનીય છે કે ડીઆઇઆર પિનીસેબલ ક્રાઇમમાં લાગુ પડે છે જ્યારે આવેદન ત્યારે દાખલ કરવામાં આવે છે જ્યારે મહિલા આ સંબંધથી મુક્ત થવા માંગતી હોય.

જ્યાં મહિલા રાહત માટે એપ્લિકેશન કે આવેદન ભરે છે ત્યાં મેજિસ્ટ્રેટ સામે કેસ દર્જ થયા પછી ડીઆઇઆરની માંગ કરવી જોઇએ?

જ્યાં મહિલા રાહત માટે એપ્લિકેશન કે આવેદન ભરે છે ત્યાં મેજિસ્ટ્રેટ સામે કેસ દર્જ થયા પછી ડીઆઇઆરની માંગ કરવી જોઇએ?

ન્યાયાલયમાં આવેદન આપતી વખતે ડીઆઇઆરની કોઇ આવશ્યકતા નથી. કારણ કે ડીઆઇઆરનું ચરણ અને હેતુ (હિંસા, ઘટનાનું રેકોડિંગ) અસ્તિત્વમાં નથી હોતું. વધુમાં ન્યાયાલયમાં આવેદન દાખલ કર્યા પછી મજિસ્ટ્રેટ પોલિસને ઘરની મુલાકાત લેવાનો આદેશ આપી શકે છે. કે પછી નિયમ 10 (1) હેઠળ પરિસ્થિતિ મુજબ રિપોર્ટ કરવાનો આદેશ કરી શકે છે.

શું સુરક્ષા અધિકારી ડીઆઇઆર રિપોર્ટ દાખલ કરવા માટે ઘરે જઇ શકે છે?

શું સુરક્ષા અધિકારી ડીઆઇઆર રિપોર્ટ દાખલ કરવા માટે ઘરે જઇ શકે છે?

ના, પોલિસ ન્યાયાલયના આદેશ વગર ઘરની મુલાકાત નથી લઇ શકતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X