Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lok Sabha Election 2024 : મતદાન કેન્દ્રમાં મોબાઈલ ફોન લઈ જઈ શકાય કે નહીં, જાણો શું કહે છે નિયમો?

દેશમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. મતદાન કરવા જઈ રહેલા મતદારોના મનમાં ઘણા સવાલો હોય છે. આ સવાલોમાં એક સવાલ મતદાન દરમિયાન મોબાઈલ ફોન સાથે લઈ જઈ શકાય કે નહીં તે પણ છે.

મતદારોના મનમાં એ સવાલ પણ ઉઠી રહ્યો છે કે મતદારો પોતાની સાથે મતદાન મથક સુધી શું લઈ જઈ શકે અને શું નહીં? તો આ તમામ સવાલોના જવાબ આજે અમે તમને આપીશું.

vote

મતદાન મથકો પર મોબાઈલ ફોન લઈ જઈ શકાય?
ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અને અખંડિતતા જાળવવા મતદારોને મતદાન મથકોની અંદર મોબાઈલ ફોન લઈ જવા પર સખત પ્રતિબંધ છે. મતદારોના નિર્ણયો પર કોઈપણ સંભવિત હસ્તક્ષેપ અથવા પ્રભાવને રોકવા માટે આ પ્રતિબંધ મહત્વપૂર્ણ છે.

ECI અનુસાર, આ પ્રતિબંધ અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો જેમ કે સ્માર્ટવોચ અને વાયરલેસ સેટ પર પણ લાગુ છે. આવા ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ છે.

ECI અનુસાર, "મતદાનના દિવસે મતદાન મથકોની અંદર મોબાઈલ ફોન, સ્માર્ટફોન, સ્માર્ટ ઘડિયાળ, વાયરલેસ સેટ વગેરેની મંજૂરી નથી. જો કે, પ્રિસાઇડિંગ અધિકારીઓ માટે અપવાદ છે. તેમને કટોકટીની સ્થિતિમાં સંદેશાવ્યવહારના હેતુઓ માટે તેમના ફોનને સાયલન્ટ મોડમાં લઈ જવાની છૂટ છે.

જણાવી દઈએ કે, ત્રીજા તબક્કાનું મતદાન 7 એપ્રિલે, ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ, પાંચમા તબક્કાનું 20 મેના રોજ, છઠ્ઠા તબક્કાનું 26 મેના રોજ અને સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થવાનું છે. 4 જૂને પરિણામ જાહેર થશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X