Navratri Special : સાતમા નોરતે કરો માં કાળરાત્રીની પૂજા આ રીતે
આજે સાતમું નોરતુ. માં કાળરાત્રીની પૂજા કરવાનો ઉત્તમ દિવસ. માં કાળરાત્રીનુ રૂપ ખુબ જ ભયાનક છે પરંતુ માં તેમના બાળકો માટે ઘણી કોમળ છે. આ અંગે વધુ વાંચો અહીં.
આજે નવરાત્રીનો સાતમો દિવસ છે. આજના દિવસે માં કાળીની પૂજા કરવામાં આવે છે. આ રૂપ ઘણું જ વિકરાળ અને ભયાનક છે, પરંતુ તેની સાથે જ ઘણું ફળદાયી છે. આજના દિવસે સાધકનું મન 'સહસ્ત્રાર' ચક્રમાં પ્રવેશ કરે છે. માં ભગવતીના આ રૂપની પૂજા કરવાથી ઘરમાં શુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
આજની પૂજાનો આરંભ નીચે લખેલા મંત્રથી કરવો જોઇએ. આ મંત્રના જાપથી માં કાળી પ્રસન્ન થાય છે અને જોતકના તમામ મનોરથ પૂરા કરે છે.
या
देवी
सर्वभूतेषु
माँ
कालरात्रि
रूपेण
संस्थिता।
नमस्तस्यै
नमस्तस्यै
नमस्तस्यै
नमो
नम:।।
માંનું સાતમું રૂપ ઘણું જ વિકરાળ છે પરંતુ માંનું આ રૂપ પોતાના ભક્તોની ભલાઇ માટે રાખવામાં આવ્યું છે. માં કાળીને 'શુભંકારી' પણ કહેવાય છે. દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત વગેરે તેમના સ્મરણ માત્રથી ભયભીત થઇને ભાગે છે. તે ગ્રહ-બાધાઓને પણ દૂર કરે છે. કહેવાય છે કે માં પોતાના ભક્તોને ક્યારેય પણ નિરાશ કરતા નથી. નવરાત્રના દિવસોમાં માંની સાચા મનથી પૂજા કરવી જોઇએ. લોકો ઘટ સ્થાપિત કરીના માંની ઉપાસના કરે છે, જેને ખુશ થઇને માં હંમેશા પોતાના બાળકોની રક્ષા કરે છે.