Mecca Pilgrims Death : હજયાત્રીઓના મોત થાય તો તેમના દેશ નથી મોકલાતા મૃતદેહ, જાણો શું કરાય છે તેનું?
Mecca Pilgrims Death : આ વર્ષે ગરમીના કારણે 1 હજારની વધુ લોકોએ મક્કામાં હજ દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા છે. આમાં ઘણા ભારતીયો છે.
તમને જાણીને નવાઈ લાગશે કે મક્કામાં હજ દરમિયાન જે પણ હજયાત્રીઓના મોત થાય તેમના શરીરને પરત તેમના દેશ મોકલવામાં આવતા નથી.

અહીં પ્રશ્ન એ છે કે જ્યારે હજ યાત્રા દરમિયાન કોઈ યાત્રીનું મૃત્યુ થાય ત્યારે તે યાત્રી કયા દેશના છે તે કેવી રીતે જાણી શકાય છે અને તેમના મૃતદેહોને તેમના અંતિમ સંસ્કાર માટે તેમના દેશમાં મોકલવામાં આવે છે કે કેમ? જો નહીં તો પછી તેમના અંતિમ સંસ્કાર ક્યાં અને કોણ કરે છે?
જણાવી દઈએ કે, આવા મામલાઓમાં સાઉદી અરેબિયાના હજ સંબંધિત કાયદામાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જો કોઈ વ્યક્તિ હજ દરમિયાન મૃત્યુ પામે તો તેના મૃતદેહને તેના દેશમાં મોકલવામાં આવતો નથી. તેના બદલે તેને સાઉદી અરેબિયામાં જ દફનાવવામાં આવે છે.
હજ યાત્રાની તૈયારી કરતી વખતે દરેક વ્યક્તિ હજ સંબંધિત અરજીપત્રક પર હસ્તાક્ષર કરે છે, જેમાં લખેલું હોય છે કે જો તેનું મૃત્યુ સાઉદી અરેબિયાની જમીન કે આકાશમાં થાય છે તો તેના મૃતદેહને ત્યાં જ દફનાવવામાં આવશે. તેના પરિવારજનો અથવા તો તેના સંબંધીઓ તરફથી કોઈપણ વાંધો સ્વીકારવામાં આવશે નહીં.
સરળ શબ્દોમાં કહીએ તો, હજ યાત્રા દરમિયાન મૃત્યુ પામેલા કોઈપણ વ્યક્તિને તેના દેશમાં પાછા મોકલવામાં આવતા નથી, પછી ભલે તે વ્યક્તિના પરિવારજનો તેનો મૃતદેહ લેવા માંગતા હોય.
મક્કામાં મોત પવિત્ર ગણાય છે?
મક્કાને મુસ્લિમ ધર્મમાં સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે. મક્કા અને મદીનાને લઈને મુસ્લિમ સમુદાયમાં એવી માન્યતા છે કે અહીંની માટીમાં દફન થવું તેમના માટે સૌભાગ્યની વાત છે. જ્યારે ઘણા લોકો હજ પર જાય છે ત્યારે તેઓ ઈચ્છે છે કે મૃત્યુ આવે તો આ યાત્રા દરમિયાન જ આવવું જોઈએ, જેથી મૃત્યુ પછી તેમની આત્માને શાંતિ મળે.
હવે સવાલ એ છે કે મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ કેવી રીતે થાય છે? તો અમે તમને જણાવી દઈએ કે તેમને સાઉદી અરેબિયા તરફથી એક કાર્ડ આપવામાં આવ્યું હોય છે, જે તે મુસાફરી દરમિયાન તેના ગળામાં પહેરે છે. તેમને તેમના હાથ પર પહેરવા માટે એક બ્રેસલેટ પણ આપવામાં આવે છે જેમાં તેમની તમામ માહિતી હોય છે. આ રીતે તેમની ઓળખ થાય છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
