Mecca Pilgrims Death : હજયાત્રીઓના મોત થાય તો તેમના દેશ નથી મોકલાતા મૃતદેહ, જાણો શું કરાય છે તેનું?
Mecca Pilgrims Death : આ વર્ષે ગરમીના કારણે 1 હજારની વધુ લોકોએ મક્કામાં હજ દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા છે. આમાં ઘણા ભારતીયો છે.
તમને જાણીને નવાઈ લાગશે કે મક્કામાં હજ દરમિયાન જે પણ હજયાત્રીઓના મોત થાય તેમના શરીરને પરત તેમના દેશ મોકલવામાં આવતા નથી.

અહીં પ્રશ્ન એ છે કે જ્યારે હજ યાત્રા દરમિયાન કોઈ યાત્રીનું મૃત્યુ થાય ત્યારે તે યાત્રી કયા દેશના છે તે કેવી રીતે જાણી શકાય છે અને તેમના મૃતદેહોને તેમના અંતિમ સંસ્કાર માટે તેમના દેશમાં મોકલવામાં આવે છે કે કેમ? જો નહીં તો પછી તેમના અંતિમ સંસ્કાર ક્યાં અને કોણ કરે છે?
જણાવી દઈએ કે, આવા મામલાઓમાં સાઉદી અરેબિયાના હજ સંબંધિત કાયદામાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જો કોઈ વ્યક્તિ હજ દરમિયાન મૃત્યુ પામે તો તેના મૃતદેહને તેના દેશમાં મોકલવામાં આવતો નથી. તેના બદલે તેને સાઉદી અરેબિયામાં જ દફનાવવામાં આવે છે.
હજ યાત્રાની તૈયારી કરતી વખતે દરેક વ્યક્તિ હજ સંબંધિત અરજીપત્રક પર હસ્તાક્ષર કરે છે, જેમાં લખેલું હોય છે કે જો તેનું મૃત્યુ સાઉદી અરેબિયાની જમીન કે આકાશમાં થાય છે તો તેના મૃતદેહને ત્યાં જ દફનાવવામાં આવશે. તેના પરિવારજનો અથવા તો તેના સંબંધીઓ તરફથી કોઈપણ વાંધો સ્વીકારવામાં આવશે નહીં.
સરળ શબ્દોમાં કહીએ તો, હજ યાત્રા દરમિયાન મૃત્યુ પામેલા કોઈપણ વ્યક્તિને તેના દેશમાં પાછા મોકલવામાં આવતા નથી, પછી ભલે તે વ્યક્તિના પરિવારજનો તેનો મૃતદેહ લેવા માંગતા હોય.
મક્કામાં મોત પવિત્ર ગણાય છે?
મક્કાને મુસ્લિમ ધર્મમાં સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે. મક્કા અને મદીનાને લઈને મુસ્લિમ સમુદાયમાં એવી માન્યતા છે કે અહીંની માટીમાં દફન થવું તેમના માટે સૌભાગ્યની વાત છે. જ્યારે ઘણા લોકો હજ પર જાય છે ત્યારે તેઓ ઈચ્છે છે કે મૃત્યુ આવે તો આ યાત્રા દરમિયાન જ આવવું જોઈએ, જેથી મૃત્યુ પછી તેમની આત્માને શાંતિ મળે.
હવે સવાલ એ છે કે મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ કેવી રીતે થાય છે? તો અમે તમને જણાવી દઈએ કે તેમને સાઉદી અરેબિયા તરફથી એક કાર્ડ આપવામાં આવ્યું હોય છે, જે તે મુસાફરી દરમિયાન તેના ગળામાં પહેરે છે. તેમને તેમના હાથ પર પહેરવા માટે એક બ્રેસલેટ પણ આપવામાં આવે છે જેમાં તેમની તમામ માહિતી હોય છે. આ રીતે તેમની ઓળખ થાય છે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
