સોનિયાના ડોઢ દાયકા : વધુ વકર્યો ન રુઝાતો ઘા
અમદાવાદ, 16 માર્ચ : સીતારામ કેસરીની વિદાય થઈ અને ફરી એક વાર ગાંધીનો વારસો કોંગ્રેસ સાથે જોડાઈ ગયો. સોનિયા ગાંધી તરીકે કોંગ્રેસને સાત વરસ બાદ ફરી એક વાર ગાંધીનો વારસો મળ્યો. મુંઝવણો વધુ હતી, તો આશાઓ પણ ખૂબ હતી. મહેનત રંગ લાવી અને છ વરસ બાદ જ દિલ્હીના સિંહાસને કોંગ્રેસનો કબ્જો થઈ ગયો. ભલે સોનિયા ગાંધી વડાપ્રધાન ન બની શક્યાં. અનેક રાજ્યોમાં પાર્ટીનો વ્યાપ વધ્યો, પરંતુ જ્યાં સુધી ગુજરાતનો પ્રશ્ન છે, તો આ રાજ્ય કોંગ્રેસ માટે 1989થી ન રુઝાતો ઘા બની રહ્યું છે, તો બીજી બાજુ સોનિયા કોંગ્રેસ પ્રમુખ બન્યા બાદ તો આ ઘા વધુને વધુ ઊંડો થતો ગયો છે.
રામબાણ
સાબિત
થશે
રાહુલ
રૂપી
મલમ?
કોંગ્રેસ
અધ્યશ્ર
તરીકે
સોનિયા
ગાંધીએ
ગત
ગુરુવારે
15
વર્ષ
પૂર્ણ
કર્યાં
અને
આ
દરમિયાન
ગુજરાતનું
ચૂંટણી
મેદાન
તેમના
માટે
કાયમ
ન
રુઝાતો
ઘા
જ
રહ્યું
છે.
એટલું
જ
નહીં,
હવે
આ
ઘા
નરેન્દ્ર
મોદી
તરીકે
સોનિયા
ગાંધીના
નાક
સુધી
પહોંચી
ગયો
છે.
આ
ઘાને
દબાવવા
માટે
રાહુલ
ગાંધી
સ્વરૂપે
મલમ
તૈયાર
કરાયું
છે.
રાહુલને
કોંગ્રેસ
ઉપાધ્યક્ષ
બનાવી
સોનિયાએ
એક
બાજુ
પક્ષના
આગામી
પ્રમુખ
તરીકેનો
ઇશારો
કરી
આપ્યો
છે,
તો
બીજા
બાજુ
એ
પણ
સ્પષ્ટ
છ
કે
જો
014માં
દેશમાં
કોંગ્રેસના
નેતૃત્વ
હેઠળ
સરકાર
બને,
તો
વડાપ્રધાન
રાહુલ
ગાંધી
જ
બનશે,
પરંતુ
જે
રીતે
નરેન્દ્ર
મોદી
રૂપી
ન
રુઝાતો
ઘા
ગુજરાતમાંથી
નિકળી
હવે
દિલ્હી
સુધી
પહોંચી
નાકે
દમ
કરી
રહ્યો
છે
અને
જે
રીતે
મોદીની
લોકપ્રિયતાનો
ગ્રાફ
દેશમાં
સતત
ઊંચો
જાય
છે,
તે
જોતાં
સવાલ
એ
જ
ઊભો
થાય
છે
કે
શું
રાહુલ
રૂપી
મલમ
મોદી
રપી
નાસૂર
સામે
રામબાણ
ઇલાજ
સાબિત
થશે?
ગાંધીની
જન્મભૂમિએ
જ
પસ્ત
સોનિયા
ગાંધી
કોંગ્રેસ
અધ્યક્ષ
તરીકે
14મી
માર્ચ,
1998ના
રોજ
હોદ્દો
સંભાળ્યો.
કોંગ્રેસ
અધ્યક્ષ
તરીકે
સોનિયાના
ડોઢ
દાયકાનો
સમયગાળો
દિલ્હીથી
માંડી
અનેક
રાજ્યોમાં
ઉતાર-ચડાવ
ભર્યો
રહ્યો.
કભી
ખુશી-કભી
ગમનું
મિશ્રણ
રહ્યું,
પરંતુ
ગુજરાતે
સોનિયાના
ચહેરે
સ્મિત
ઓછું,
દુઃખ
વધુ
પાથર્યો.
ગાંધીનો
વારસો
સાચવનાર
કોંગ્રેસ
પાર્ટી
મહાત્મા
ગાંધીની
જન્મભૂમિએ
જ
નિષ્ફળતાઓની
કેડીઓ
કંડારતી
ગઈ.
કરિશ્મા
ઉપર
ભારે
સ્થાનિક
નિષ્ફળતાઓ
સ્થાનિક
કોંગ્રેસની
નિષ્ફળતાઓ
સોનિયાના
કરિશ્મા
ઉપર
હંમેશા
હાવી
રહી
છે.
સોનિયા
ગાંધી
કોંગ્રેસ
અધ્યક્ષ
બન્યા
બાદ
ગુજરાતમાં
લોકસભાની
3
અને
વિધાનસભાની
3
ચૂંટણીઓ
થઈ,
પરંતુ
કોઈ
પણ
ચૂંટણીમાં
કોંગ્રેસ
ક્યારેય
ભાજપ
ઉપર
ભારે
સાબિત
ન
થઈ
શકી.
1998ની
લોકસભા
ચૂંટણીઓમાં
કોંગ્રેસની
દુર્દશા
બાદ
સોનિયાએ
તે
જ
વર્ષે
14મી
માર્ચના
રોજ
પ્રમુખ
પદ
સંભાળ્યું.
સોનિયાએ
કાર્યભાર
સંભાળ્યા
બાદ
1999માં
લોકસભાની
ચૂંટણી
થઈ
કે
જેમાં
કોંગ્રેસને
બહુમતી
મળી
નહીં,
તો
ગુજરાતમાં
26માંથી
માત્ર
6
બેઠકો
જ
મળી.
ભાજપને
20
બેઠકો
હાસલ
થઈ.
પછી
2002માં
ગુજરાત
વિધાનસભા
ચૂંટણી
થઈ.
તેમાં
પણ
કોંગ્રેસને
કારમો
પરાજય
મળ્યો
અને
ભાજપે
બે
તૃત્યાંશ
બહુમતી
હાસલ
કરી.
એવું
નથી
કે
સોનિયાએ
ગુજરાત
માટે
મહેનત
નહોતી
કરી.
ઝંઝાવતી
પ્રવાસો
કર્યો,
સભાઓ
કરી,
પ્રજા
વચ્ચે
ગયાં,
દાંડી
યાત્રા
પણ
કાઢી,
પરંતુ
પરિણામ
શૂન્ય
જ
રહ્યું.
રાહત,
પછી
આફત
જોકે
2002માં
વિધાનસભાની
ચૂટંણીમાં
પરાજય
બાદ
સોનિયાએ
ગુજરાત
માટે
મહેનત
ચાલુ
જ
રાખી.
જેટલાં
પ્રયત્નો
સોનિયાએ
કર્યાં,
કદાચ
સ્થાનિક
નેતાઓમાં
એટલો
જોશ
નહોતો.
આમ
છતાં
2004ની
લોકસભા
ચૂંટણીમાં
પાર્ટીની
હાલત
સુધરી.
આ
વખતે
પાર્ટીએ
26માંથી
12
બેઠકો
કબ્જે
કરી.
છતાં
તે
ભાજપ
કરતાં
પાછળ
જ
રહી.
જોકે
1999
કરતાં
આ
પરિણામો
રાહતજનક
હતાં.
સ્થાનિક
નેતાઓ
વિચારી
લીધું
કે
હવે
વિધાનસભા
ચૂંટણી
2007માં
પણ
ફતેહ
નક્કી
છે,
પરંતુ
કદાચ
તેઓ
નહોતા
જાણતાં
કે
સોનિયાના
કરિશ્મા
ઉપરાંત
પણ
ઘણું
બધું
કરવાની
જરૂર
હતી.
સોનિયાએ
પોતાની
રીતે
પુરતા
પ્રયત્નો
કર્યાં.
ડઝનબંધ
સભાઓ
કરી.
રાહુલ
ગાંધીએ
રોડ
શો
કર્યાં.
સ્થાનિક
નેતાઓ
રાષ્ટ્રીય
નેતાઓની
પૂંછડી
બની
રહી
ગયાં
અને
આખરે
ગુજરાતનો
ઘા
પુનઃ
ન
રુઝાયેલો
ઘા
જ
બની
રહ્યો.
વિજય
ભલે
મોદીનો
થયો
હોય
કે
ભાજપનો,
પણ
હારનો
દર્દ
તો
આખરે
સોનિયાએ
જ
ઝીલવો
પડ્યો.
આટલી
નિષ્ફળતાઓ
છતાં
સોનિયા
ગાંધી
ગુજરાત
માટે
તમામ
પ્રયત્નો
કરતાં
રહ્યાં.
2009માં
પણ
તેમણે
ખૂબ
મહેનત
કરી
અને
પુનઃ
કોંગ્રેસ
માટે
પરિણામો
રાહતજનક
રહ્યાં.
જોકે
આ
વખતે
એક
બેઠક
ઘટી
11
થઈ
ગઈ,
પણ
2007ની
અપેક્ષાએ
પરિસ્થિતિમાં
સુધારો
થયો
હતો,
પરંતુ
ગુજરાત
વિધાનસભા
ચૂંટણી
2012માં
પુનઃ
જૂનો
ઇતિહાસ
દોહરાવાયો.
સ્થાનિક
કોંગ્રેસની
નિષ્ફળતાઓ
સામે
સોનિયા-રાહુલની
સભાઓ
અને
કરિશ્મા
વામણાં
સાબિત
થયાં
અને
પાર્ટીએ
ફરી
એક
વાર
ગાંધીનગરની
ગાદીથી
દૂર
રહેવું
પડ્યું.
ગળાનો
ગાળિયો
બની
જશે
આ
પરાજય?
આફત
અને
રાહતનો
સિલસિલો
સતત
ચાલતો
રહ્યો
છે,
પરંતુ
આ
વખતે
ગુજરાત
વિધાનસભા
ચૂંટણી
2012માં
કોંગ્રેસે
જે
પરાજયનો
સામનો
કરવો
પડ્યો,
તે
પરાજય
કોઈ
સામાન્ય
પરાજય
નથી.
આ
પરાજય
કોંગ્રેસના
ગળાનો
ગાળિયો
બની
શકે
છે.
સૌ
જાણતા
હતાં
કે
નરેન્દ્ર
મોદીની
લોકપ્રિયતા
દેશમાં
સતત
વધતી
જાય
છે
અને
ગુજરાત
વિધાનસભા
ચૂંટણી
2012માં
તેમનો
સતત
ત્રીજો
વિજય
તેમના
દિલ્હી
પ્રયાણ
તરીકે
જોવાતો
હતો.
અહીં
સોનિયા
અને
રાહુલ
બંનેએ
ગફલત
કરી
નાંખી.
ગુજરાતમાં
જ
મોદીને
રોકી
પાડ્યા
હોત,
તો
કદાચ
આજે
સોનિયા
ગાંધી
પોતાના
પ્રમુખ
તરીકેના
15
વર્ષની
ઉજવણી
નિશ્ચિંત
રીતે
કરી
રહ્યા
હોત,
પરંતુ
ગુજરાતમાં
મોદીના
વધતા
પગલા
રોકવામાં
નિષ્ફળતાએ
સોનિયા
માટે
ગુજરાતનો
ન
રુઝાતા
ઘાને
વધુ
વકરવાની
તક
આપી
દીધી.
હવે
જોવાનું
એ
રહેશે
કે
આ
ન
રુઝાતો
ઘા
નાકે
દમ
કરે
છે
કે
પછી
કોંગ્રેસ
પ્રમુખ
તરીકે
પોતાના
16મા
વર્ષે
સોનિયા
ગાંધી
આ
ઘા
રુઝાય
તેવી
કોઈ
વ્યુહરચના
અપનાવે
છે.