No Smoking Day 2024: સિગરેટમાં હોય છે ટૉયલેટ ક્લિનર અને ઉંદર મારવાની દવાવાળુ કેમિકલ, કેવી રીતે છોડવી આ લત?
How Does Cigarette Make You Addicted: સિગારેટમાં એવું શું હોય છે કે એક કશ લીધા પછી તમને તેની લત લાગી જાય છે? વાસ્તવમાં, સિગારેટમાં 7,000થી વધુ રાસાયણિક સંયોજનો હાજર છે. આમાંના મોટાભાગના રસાયણો સાયકોએક્ટિવ હોય છે.
તેનો અર્થ એ છે કે એ તમારી નર્વસ સિસ્ટમ પર સીધો હુમલો કરે છે અને તેને નિયંત્રણમાં લે છે. જેના કારણે તમે આ વ્યસનનો શિકાર બનો છો. સિગારેટ પીવાની થોડી જ સેકન્ડોમાં ધુમાડો મગજ સુધી પહોંચે છે, જેના કારણે કેટલાક ન્યુરોટ્રાન્સમીટર બહાર આવે છે.

જે આપણા શરીરના ડોપામાઈન હોર્મોનને સક્રિય કરે છે અને આપણને સારું લાગવા લાગે છે. ડોપામાઇન એ જ હોર્મોન છે જે રિલીઝ થયા પછી વ્યક્તિને ખુશીનો અનુભવ થાય છે. ધીમે-ધીમે તમને આ અનુભવ લેવાની આદત પડી જાય છે. નો સ્મોકિંગ ડે નિમિત્તે, ચાલો જાણીએ કે સિગારેટ તમારા માટે કેવુ ખતરનાક વ્યસન છે અને આ વ્યસનમાંથી કેવી રીતે છુટકારો મેળવવો.
અમેરિકન આરોગ્ય સંસ્થા ટીએફએલ (ટોબેકો ફ્રી લાઇફ) અનુસાર, સિગારેટના ધુમાડામાં ઘણા ઝેરી રસાયણો હાજર હોય છે. જે વાસ્તવમાં સ્વાસ્થ્ય માટે ઘણા જોખમો પેદા કરી શકે છે. તેમાં નિકોટિન, ટાર, પોલોનિયમ-210, આર્સેનિક, એમોનિયા, ટોલ્યુએન, એસીટોન અને મિથેનોલ જેવા ઝેરી રસાયણો જોવા મળે છે. તેમાં રહેલા નશાના કારણે વ્યક્તિ વ્યસની બની જાય છે. સિગારેટનો જુસ્સો ક્યારે તૃષ્ણામાં ફેરવાઈ જાય છે તેની આપણને ખબર નથી પડતી.
સિગારેટ બનાવવામાં ઉપયોગમાં લેવાતા રસાયણો ખરેખર ખૂબ જ ખતરનાક હોય છે. પોલોનિયમ-210 કેમિકલનો ઉપયોગ એટમ બૉમ્બ બનાવવામાં, આર્સેનિકનો ઉપયોગ ઉંદરોના ઝેરમાં, નિકોટિનનો ઉપયોગ ખાતર બનાવવામાં, ટોલ્યુએનનો ઉપયોગ શાહી બનાવવામાં અને એમોનિયાનો ઉપયોગ ટૉઇલેટ ક્લીનરમાં થાય છે. હવે તમે આના પરથી અંદાજ લગાવી શકો છો કે એક સિગારેટ તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
ધૂમ્રપાન કે અન્ય કોઈ ડ્રગની આદત તરત જ છોડી શકાતી નથી. તેનાથી છુટકારો મેળવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. અમેરિકાના સીડીસી (સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન) અનુસાર સિગારેટ કે કોઈપણ પ્રકારની ધૂમ્રપાનની લત છોડવામાં 1થી 4 અઠવાડિયાનો સમય લાગી શકે છે. આ માટે સારા આહાર, દિનચર્યા, વ્યાયામ અને ધ્યાન જેવી પ્રેક્ટિસની મદદ લેવી પડે છે.
સિગારેટ છોડ્યા પછી તમે વિડ્રૉલ સિમ્પ્ટમ અનુભવી શકો છો. આમાં ચીડિયાપણું, ચિંતા, તણાવ, થાક, શરીરમાં દુખાવો, વધુ પડતી ભૂખ, માથાનો દુખાવો, અનિદ્રા અને કબજિયાત જેવા લક્ષણોનો સમાવેશ થઈ શકે છે. TFL મુજબ, આ લક્ષણો સિગારેટ છોડ્યાના ચાર અઠવાડિયા સુધી દેખાય છે. તે પછી શરીર ન્યૂટ્રલ થવા લાગે છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
