Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Polygraph Test : શું હોય છે પોલીગ્રાફ ટેસ્ટ? જાણો તેનાથી કેવી રીતે કોલકત્તા ડોક્ટર કાંડનું સત્ય સામે આવશે?

What Is Polygraph Test : કોલકત્તાના ખૌફનાક ડોક્ટર રેપ-હત્યા કેસમાં આરોપીના પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવનાર છે. પોલીસને અપેક્ષા છે કે તેનાથી ઘણા રાઝ ખુલી જશે.

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા તાલીમાર્થી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા બાદ સીબીઆઈને મુખ્ય આરોપીનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાની મંજૂરી મળી ગઈ છે.

Polygraph Test

સમાચાર અનુસાર, હવે સાયકોલોજીકલ ટેસ્ટ બાદ પોલીગ્રાફ ટેસ્ટ સીબીઆઈને કેસના તળિયે પહોંચવામાં મદદ મળશે. પોલીગ્રાફ ટેસ્ટમાં આરોપી સાચુ બોલે છે કે કેમ તે જાણવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ ટેસ્ટમાંથી પસાર થયા બાદ પોલીસ સંજય રોય પાસેથી ઘણી મહત્વની માહિતી મેળવી શકાશે. જો કે તમને જણાવી દઈએ કે, પોલીગ્રાફ ટેસ્ટ નાર્કો ટેસ્ટથી કેટલો અલગ છે.
પોલીગ્રાફ ટેસ્ટ શું છે?

આ ટેસ્ટ લાઈ ડિટેક્ટર મશીનથી કરવામાં આવે છે. આ ટેસ્ટમાંથી પસાર થયા બાદ પોલીસ સંજય રોય પાસેથી ઘણી મહત્વની માહિતી મેળવી શકે છે. પોલીગ્રાફ ટેસ્ટ અથવા લાઈ ડિટેક્ટર ટેસ્ટમાં આરોપીની શારીરિક પ્રવૃત્તિ હૃદયના ધબકારા, નાડી, શ્વાસની ગતિ અને પરસેવો નોંધવામાં આવે છે.

નાર્કો ટેસ્ટમાં ઈન્જેક્શન દ્વારા આરોપીને સોડિયમ પેન્ટોથલ ડ્રગ આપવામાં આવે છે. આ કારણે તે બેભાન થઈ જાય છે પરંતુ તેનું મગજ કામ કરવાનું ચાલુ રાખે છે. આ પછી આરોપીની પૂછપરછ કરવામાં આવે છે. આ ટેસ્ટ પછી મોટાભાગના ગુનેગારો સત્ય કબૂલ કરે છે.

આ ટેસ્ટની શરૂઆત કેવી રીતે થઈ?
કહેવાય છે કે આ પ્રકારની કસોટીનો સૌપ્રથમ ઉપયોગ 19મી સદીમાં ઈટાલિયન ગુનાશાસ્ત્રી સેઝેર લોમ્બ્રોસો દ્વારા કરવામાં આવ્યો હતો, જેમણે પૂછપરછ દરમિયાન ગુનાહિત શંકાસ્પદોના બ્લડ પ્રેશરમાં ફેરફારને માપવા માટે મશીનનો ઉપયોગ કર્યો હતો.

સમાન ઉપકરણો પાછળથી 1914 માં અમેરિકન મનોવિજ્ઞાની વિલિયમ માર્સ્ટ્રોન અને 1921 માં કેલિફોર્નિયાના પોલીસ અધિકારી જોન લાર્સન દ્વારા બનાવવામાં આવ્યા.
કોર્ટની પરવાનગી જરૂરી?

ભારતમાં નાર્કો અથવા પોલીગ્રાફ ટેસ્ટ કરાવવા માટે કોર્ટની પરવાનગી લેવી પડે છે. જ્યારે ગંભીર કેસોમાં ગુનેગારો માટે જ અદાલતો આ પરીક્ષણને મંજૂરી આપે છે. આ પરીક્ષણો દેશના ઘણા દુષ્ટ ગુનેગારો અને આતંકવાદીઓ પર કરવામાં આવ્યા છે.

2000માં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ દ્વારા આરોપીઓ પર પોલીગ્રાફ ટેસ્ટ કરાવવા માટેની માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે. જેનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. કોર્ટે કહ્યું કે વ્યક્તિની સંમતિ ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવી જોઈએ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X