Intresting: અદ્દલ શિવલિંગ જેવું છે વેટિકન સિટી
ધ વેટિકન સિટીનો આકાર શિવલિંગ જેવો છે! આ વાંચીને કદાચ તમને આંચકો પહોંચ્યો હશે અને મનમાં એવો વિચાર પણ આવ્યો હશે આવું હોઇ શકે ખરા? આ આંચકો પહોંચાડે તેવી વાત ઇતિહાસવિદ પીએન ઓએક દ્વારા કરવામાં આવી છે. તેમણે કહ્યું છેકે, વેટિકન શબ્દ મુખ્ય રીતે સંસ્કૃતમાંથી આવ્યો છે. વેટિકન એ સંસ્કૃત શબ્દ વાટિકામાંથી આવ્યો છે અને ક્રિસ્ટિનિટી એ શબ્દ ‘કૃષ્ણ નીતિ'માંથી આવ્યો છે.
એ પણ સાંભળવા મળ્યું છેકે, બધા ધર્મો સનાતન ધર્મ સાથે જોડાયેલા છે. તેથી એ મહત્વ નથી ધરાવતું કે તમે શેમાં વિશ્વાસ રાખો છો અને કયા ધર્મને ફોલો કરો છો, પરંતુ તમે પ્રાર્થના તો એ જ ભગવાનને કરો છો, જેને અન્ય કોઇ ધર્મ પાળતો માનવી પ્રાર્થના કરે છે. વિશ્વાસના નામે લોકોને વહેંચીને આ અસ્તવ્યસ્ત વિશ્વમાં વધુ અરાજકતા ઉભી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ ભગવાન શિવ પાસેથી જાણો જીવન જીવવાની જડીબુટ્ટી
ચાલો મુદ્દા પર પરત ફરીએ, વેટિકન સિટી અને શિવલિંગ વચ્ચે એક રસપ્રદ જોડાણ છે. વિશ્વના બે શ્રેષ્ઠ ધર્મો વચ્ચેની આ રસપ્રદ સરખામણી તમારી ઉત્સુકતા વધારે તેવી છે. તો ચાલો તસવીરો થકી જાણીએ વેટિકન સિટી અને શિવલિંગ વચ્ચેના આંચકાજનક જોડાણ અંગે.

બન્ને વચ્ચેની સરખામણી
અહી જે તસવીર આપવામાં આવી છે તેને ધ્યાનપૂર્વક નિહાળો. તમે પણ શિવલિંગના આકાર જેવું જ વેટિકન સિટીનું કમ્પાઉન્ડ જોઇ શકો છો. વેટિકન સિટીનો જે રસ્તો છે તે લિંગાકાર છે. તમે ધ્યાનથી અને નજીકથી જુઓ તો તમને ત્રિપુંન્દ્ર જોવા મળશે(શિવના લલાટ પર જે ત્રણ રેખા હોય છે એ) અને જે બિંદુ હોય છે એ પિઆઝા સેન પિએત્રો તરીકે વેટિકન સિટીમાં ડિઝાઇન કરવામાં આવી છે.

વેટિકન નામનો અર્થ
વેટિકન શબ્દ સંસ્કૃતના શબ્દ વાટિકા પરથી આવ્ય છે. જેનો અર્થ થાય છે વૈદિક સંસ્કૃતિ કેન્દ્ર. તેમજ વેટિકન ખરા અર્થમાં પહેલા હિન્દુ(વૈદિક) ધર્મનું કેન્દ્ર હતું, બાદમાં તે ક્રિસ્ટિનિટીમાં ફેરવાઇ ગયું.

વેટિકનમાં શિવલિંગ!
વેટિકન સિટીમાં જ્યારે પુરાતત્વીય ખોદકામ કરવામાં આવ્યું ત્યારે તેની અંદર શિવલિંગ મળી આવ્યું હતું. વેટિકન સિટીના ગ્રેગોરિઅન એત્રુસ્કાન મ્યુઝિયમમાં આ શિવલિંગને રાખવામાં આવ્યું છે.

પીએન ઓએકની થિયરી
જાણીતા ઇતિહાસવિદ પીએન ઓએકનું માનવું છેકે ક્રિસ્ટિનિટી અને ઇસ્લામ બન્ને ધર્મ હિન્દુઝમમાંથી અલગ પડેલા છે. તેમણે એ પણ કહ્યું છેકે કેથોલિક વેટિકન, કાબા અને તાજ મહેલ ક્યરેક હિન્દુઓના મંદિર હતા, જે શિવને સમર્પિત હતા. ક્રિસ્ટિનિટી મૂળ રીતે કૃષ્ણને ફોલો કરતો વૈદિક ધર્મ છે, જેને ખરા અર્થમાં કૃષ્ણ નીતિ કહેવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે, આમેન શબ્દ ‘ઓમ'માંથી આવેલો છે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
