લાંબા સમય સુધી સિંગલ રહેવાનુ વલણ બની શકે છે ઘાતક, થશે આ નુકશાન, વહેલુ આવશે મોત
યુવાનોમાં હવે સિંગલ રહેવાનુ ચલણ વધી રહ્યુ છે. જાણો આના શું ઘાતક પરિણામો હોઈ શકે છે.
નવી દિલ્લીઃ યુવાનોમાં હવે સિંગલ રહેવાનુ ચલણ વધી રહ્યુ છે. આનુ કારણ એ છે કે તેઓ નથી ઈચ્છતા કે તેમના જીવનમાં કોઈ દખલઅંદાજી કરે. તેઓ નથી ઈચ્છતા કે તેમના ઊંઘવા, ઉઠવા, ફરવા અને પૈસા ખર્ચવામાં કોઈ દખલ કરે. આના કારણે તેઓ લગ્નના નામથી દૂર ભાગે છે અને કોઈને કોઈ બહાનુ બનાવીને તેને ટાળતા રહે છે. હકીકતમાં તેઓ પરિવારની જવાબદારી લેવાથી ડરતા હોય છે અને તેમની કથિત સ્વતંત્રતા ગુમાવવાનો ડર હોય છે. પણ શું જીવન જીવવાની આ સાચી રીત છે? ચાલો આજે તમને આ ટ્રેન્ડના તમામ પાસાઓથી વાકેફ કરીએ.

આત્મવિશ્વાસનો અભાવ
રિલેશનશિપ નિષ્ણાતોના મતે જે યુવાનો તેમના જીવનમાં સિંગલ રહેવાનુ પસંદ કરે છે તેઓ ભાવનાત્મક રીતે નબળા હોય છે. આવા લોકોને પોતાનામાં વિશ્વાસ નથી હોતો અને તેઓ હંમેશા કોઈ અજાણી વસ્તુથી ડરે છે. તેમને જીવન પ્રત્યે નિરાશા અને ભય હોય છે. આવા લોકો ખુશ હોવાનો ડોળ કરે છે પરંતુ અંદરથી તેઓ ધીરે ધીરે ખોખલા થઈ જાય છે. અવિવાહિત લોકો ખૂબ જ ઝડપથી માનસિક તાણનો શિકાર બને છે.
અંદરથી થઈ જાય છે ખોખલા
જે યુવકો લગ્ન કર્યા વગર એકલા રહે છે તેમણે પોતાના જીવનની નાની-મોટી તમામ સમસ્યાઓનો ઉકેલ જાતે જ ઉકેલવો પડે છે. જ્યારે તેમને કોઈ સમસ્યાનો ઉકેલ નથી મળતો ત્યારે તેઓ અકળાઈ જાય છે. તેઓ જીવનમાં સિંગલ હોવાથી તેમને યોગ્ય સલાહ અને સમર્થન આપવા માટે આસપાસ કોઈ નથી હોતુ. આનું પરિણામ એ આવે છે કે તેમને નાની-નાની વાતો પર રડવુ આવે છે. તેમને લાગે છે કે બાકીના પરિવારે તેની સાથે અન્યાય કર્યો છે. તેઓ તેમની દરેક નિષ્ફળતા માટે પરિવારના અન્ય સભ્યોને દોષ આપવા લાગે છે.
પરિવારથી થઈ જાય છે દૂર
અવિવાહિત રહીને પારિવારિક જવાબદારીઓ ટાળતા યુવાનો સમાજના લોકો સાથે ભળવાનું બંધ કરી દે છે. તેઓ લોકોના સુખ-દુઃખમાં સામેલ થતા નથી અને કોઈપણ સંબંધમાં સરળતાથી એડજસ્ટ થઈ શકતા નથી. આનુ પરિણામ એ આવે છે કે ધીમે ધીમે તેઓ પરિવાર અને સમાજ બંનેથી દૂર જતા રહે છે. એકલા રહેવાથી તેઓ ચિડીયા થઈ જાય છે. જ્યારે તેઓ મુશ્કેલીમાં પડે છે ત્યારે તેમની ખરાબ વર્તણૂકને કારણે તેમની મદદ કરવા કોઈ ઊભુ થતુ નથી.
સંબંધોમાં એડજસ્ટમેન્ટ નથી કરી શકતા
પરિવાર એ પરસ્પર સંકલન અને સંમતિનુ નામ છે. આ માટે પરિવારમાં સાથે મળીને કામ કરવામાં આવે છે અને એકબીજાની વસ્તુઓ શેર કરવી પડે છે. પરંતુ જે લોકોએ સિંગલ રહેવાની આદત અપનાવી છે તેમને એકલા રહેવાની ખરાબ આદત પડી જાય છે. આવી સ્થિતિમાં જ્યારે પરિવાર અથવા પરિવારના અન્ય લોકો તેના ઘરે આવે છે ત્યારે તે તેમની સાથે સરળતાથી એડજસ્ટ થઈ શકતો નથી અને તેમની સાથે તેમની વસ્તુઓ શેર કરવામાં સમસ્યા થાય છે. જેના કારણે સંબંધોમાં ખટાશ વધતી જાય છે.
વહેલુ મોત આવવાનુ જોખમ
ઘણા રિસર્ચમાં એ વાત સામે આવી છે કે લાંબા સમય સુધી સિંગલ એટલે કે અપરિણીત જીવન જીવવાને કારણે વહેલા મૃત્યુનુ જોખમ પણ વધે છે. તેનુ કારણ એ છે કે સિંગલ રહેતા મોટાભાગના લોકો હાઈપરટેન્શન, હાઈ બીપી અને ડિપ્રેશનના દર્દી બની જાય છે. આ ત્રણેય રોગો તેને ધીમે ધીમે મૃત્યુના મુખ તરફ ખેંચી જાય છે. જ્યારે લગ્ન કરીને પરિવારના અન્ય સભ્યો સાથે હસી-બોલીને તણાવ દૂર થઈ જાય છે અને તે વ્યક્તિ લાંબુ જીવન જીવવા સક્ષમ બને છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
