લાંબા સમય સુધી સિંગલ રહેવાનુ વલણ બની શકે છે ઘાતક, થશે આ નુકશાન, વહેલુ આવશે મોત
યુવાનોમાં હવે સિંગલ રહેવાનુ ચલણ વધી રહ્યુ છે. જાણો આના શું ઘાતક પરિણામો હોઈ શકે છે.
નવી દિલ્લીઃ યુવાનોમાં હવે સિંગલ રહેવાનુ ચલણ વધી રહ્યુ છે. આનુ કારણ એ છે કે તેઓ નથી ઈચ્છતા કે તેમના જીવનમાં કોઈ દખલઅંદાજી કરે. તેઓ નથી ઈચ્છતા કે તેમના ઊંઘવા, ઉઠવા, ફરવા અને પૈસા ખર્ચવામાં કોઈ દખલ કરે. આના કારણે તેઓ લગ્નના નામથી દૂર ભાગે છે અને કોઈને કોઈ બહાનુ બનાવીને તેને ટાળતા રહે છે. હકીકતમાં તેઓ પરિવારની જવાબદારી લેવાથી ડરતા હોય છે અને તેમની કથિત સ્વતંત્રતા ગુમાવવાનો ડર હોય છે. પણ શું જીવન જીવવાની આ સાચી રીત છે? ચાલો આજે તમને આ ટ્રેન્ડના તમામ પાસાઓથી વાકેફ કરીએ.

આત્મવિશ્વાસનો અભાવ
રિલેશનશિપ નિષ્ણાતોના મતે જે યુવાનો તેમના જીવનમાં સિંગલ રહેવાનુ પસંદ કરે છે તેઓ ભાવનાત્મક રીતે નબળા હોય છે. આવા લોકોને પોતાનામાં વિશ્વાસ નથી હોતો અને તેઓ હંમેશા કોઈ અજાણી વસ્તુથી ડરે છે. તેમને જીવન પ્રત્યે નિરાશા અને ભય હોય છે. આવા લોકો ખુશ હોવાનો ડોળ કરે છે પરંતુ અંદરથી તેઓ ધીરે ધીરે ખોખલા થઈ જાય છે. અવિવાહિત લોકો ખૂબ જ ઝડપથી માનસિક તાણનો શિકાર બને છે.
અંદરથી થઈ જાય છે ખોખલા
જે યુવકો લગ્ન કર્યા વગર એકલા રહે છે તેમણે પોતાના જીવનની નાની-મોટી તમામ સમસ્યાઓનો ઉકેલ જાતે જ ઉકેલવો પડે છે. જ્યારે તેમને કોઈ સમસ્યાનો ઉકેલ નથી મળતો ત્યારે તેઓ અકળાઈ જાય છે. તેઓ જીવનમાં સિંગલ હોવાથી તેમને યોગ્ય સલાહ અને સમર્થન આપવા માટે આસપાસ કોઈ નથી હોતુ. આનું પરિણામ એ આવે છે કે તેમને નાની-નાની વાતો પર રડવુ આવે છે. તેમને લાગે છે કે બાકીના પરિવારે તેની સાથે અન્યાય કર્યો છે. તેઓ તેમની દરેક નિષ્ફળતા માટે પરિવારના અન્ય સભ્યોને દોષ આપવા લાગે છે.
પરિવારથી થઈ જાય છે દૂર
અવિવાહિત રહીને પારિવારિક જવાબદારીઓ ટાળતા યુવાનો સમાજના લોકો સાથે ભળવાનું બંધ કરી દે છે. તેઓ લોકોના સુખ-દુઃખમાં સામેલ થતા નથી અને કોઈપણ સંબંધમાં સરળતાથી એડજસ્ટ થઈ શકતા નથી. આનુ પરિણામ એ આવે છે કે ધીમે ધીમે તેઓ પરિવાર અને સમાજ બંનેથી દૂર જતા રહે છે. એકલા રહેવાથી તેઓ ચિડીયા થઈ જાય છે. જ્યારે તેઓ મુશ્કેલીમાં પડે છે ત્યારે તેમની ખરાબ વર્તણૂકને કારણે તેમની મદદ કરવા કોઈ ઊભુ થતુ નથી.
સંબંધોમાં એડજસ્ટમેન્ટ નથી કરી શકતા
પરિવાર એ પરસ્પર સંકલન અને સંમતિનુ નામ છે. આ માટે પરિવારમાં સાથે મળીને કામ કરવામાં આવે છે અને એકબીજાની વસ્તુઓ શેર કરવી પડે છે. પરંતુ જે લોકોએ સિંગલ રહેવાની આદત અપનાવી છે તેમને એકલા રહેવાની ખરાબ આદત પડી જાય છે. આવી સ્થિતિમાં જ્યારે પરિવાર અથવા પરિવારના અન્ય લોકો તેના ઘરે આવે છે ત્યારે તે તેમની સાથે સરળતાથી એડજસ્ટ થઈ શકતો નથી અને તેમની સાથે તેમની વસ્તુઓ શેર કરવામાં સમસ્યા થાય છે. જેના કારણે સંબંધોમાં ખટાશ વધતી જાય છે.
વહેલુ મોત આવવાનુ જોખમ
ઘણા રિસર્ચમાં એ વાત સામે આવી છે કે લાંબા સમય સુધી સિંગલ એટલે કે અપરિણીત જીવન જીવવાને કારણે વહેલા મૃત્યુનુ જોખમ પણ વધે છે. તેનુ કારણ એ છે કે સિંગલ રહેતા મોટાભાગના લોકો હાઈપરટેન્શન, હાઈ બીપી અને ડિપ્રેશનના દર્દી બની જાય છે. આ ત્રણેય રોગો તેને ધીમે ધીમે મૃત્યુના મુખ તરફ ખેંચી જાય છે. જ્યારે લગ્ન કરીને પરિવારના અન્ય સભ્યો સાથે હસી-બોલીને તણાવ દૂર થઈ જાય છે અને તે વ્યક્તિ લાંબુ જીવન જીવવા સક્ષમ બને છે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
