આ વિચિત્ર કારણોના લીધે લોકો ફસાઇ જાય છે લગ્નના ચક્કરમાં
શું તમે જાણો છો કે કેટલાક લોકો ફક્ત પ્રેમ મેળવવા માટે લગ્ન નથી કરતા? એવા એક કરોડ લોકો છે જે લગ્નના બંધનમાં અલગ-અલગ કારણોના લીધે જોડાય છે. લગ્ન એક એવું બંધન છે જે બે દિલોને પરસ્પર બાંધે છે અને તેમને નજીક લાવે છે. કેટલાક લોકો બીજાની દેખાદેખીમાં લગ્ન કરી લે છે પરંતુ પછી અફસોસ થાય છે. આવો અમે આજે એવા લોકો વિશે વાત કરીએ અને તેમના વિશે જાણીએ એવા કયા-કયા કારણો છે જેને જોઇને લોકોઅ લગ્નના ફંદામાં ફસાય જાય છે.
જો મિત્રોના લગ્ન થઇ રહ્યાં હોય તો
બની શકે જ્યારે પણ તમે તમારું ફેસબુક ખોલો છો, ત્યારે તમારે એક કે બે મિત્રોના લગ્ન પિક્સ અપલોડ થયેલા જોવા મળી જાય. આનાથા તમારા મગજ પર ખરાબ અસર પડે છે અને તમે પણ લગ્ન વિશે વિચારવા લાગો છો.
અનિચ્છનીય ગર્ભાવસ્થા
મોટા શહેરોમાં આજકાલ ટીનેજ બાળકોના લગ્ન શરૂ થઇ જવા લાગ્યા છે અને તેનું કારણ છે અનિચ્છનીય ગર્ભાવસ્થા. હવે ભારતમાં લગ્ન વિના બાળક થઇ જાય તો, આ મોટી સમસ્યા હોય છે એટલા માટે લગ્ન કરવા પડે છે.
પૈસા માટે
શું તમારી પાસે મહિનાના અંતમાં બિલકુલ પૈસા બચતા નથી? તો એવામાં તમારા મિત્રો તમને સલાહ આપશે કે તમે પણ અમીર આદમીની પુત્રી સાથે લગ્ન કરી લે અને એશની જીંદગી પસાર કર. પૈસા માટે લગ્ન કરવા એકમોટી મૂર્ખામી હશે.
જો તમે 30ને વટાવી ચૂક્યા છો ત્યારે
ભારતમાં લોકોનું માનવું છે કે 30ની ઉંમર પહેલાં મહિલાઓના લગ્ન કરીને પોતાનો પરિવાર શરૂ કરી દેવો જોઇએ. જો તમારા લગ્ન ન થયા હોય તો તમે આ વાતને સાચી માનીને લગ્ન કરવા માટે તૈયાર થઇ જાવ છો.
જો બાળકો પસંદ હોય
કેટલીક છોકરીઓને નાના બાળકો ખૂબ પસંદ હોય છે. પરંતુ તેમના બાળકો ત્યારે થઇ શકે જ્યારે તે લગ્ન કરે. એટલા માટે એક બાળક મેળવવા માટે તેને લગ્ન કરવા પડે છે.
લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યાં હોવ
જો તમે લાંબા સમયથી તમારા પ્રેમી સાથે ડેટિંગ કરી રહ્યાં હોય તો તમારા સંબંધમાં આગામી લેવલ લગ્ન જ છે. તમે લગ્ન પહેલાં આમ ક્યાં સુધી ભાગશો.