હંમેશા હવાથી વિરૂદ્ધ ફરકે છે આ મંદિરની ધજા, દુનિયાભરમાંથી હિન્દુઓ દર્શન કરવા આવે છે
ભારત મંદિરોનો દેશ છે. અહીં હજારો વિવિધતાઓથી ભરેલા ભવ્ય મંદિરો આવેલા છે. જગન્નાથ મંદિરમાં આવેલું વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ મંદિર પણ તેની વિશેષતાઓને કારણે દુનિયાભરમાં ફેમસ છે.
જગન્નાથ મંદિરની ચર્ચા થાય ત્યારે તેની ભવ્યતા સાથે મંદિરના રહસ્યોની વાત અચુક થાય છે. આ મંદિર કેટલાય રહસ્યોને તેનામાં સમાવીને ઉભુ છે.

ઘણા એવા તથ્યો છે જે વિજ્ઞાનની વિરુદ્ધ છે પરંતુ આજે પણ તે રહસ્યો ઉકેલાયા નથી. આ મંદિરની ધજા વિશે કહેવાય છે કે તે પવનની વિરૂદ્ધ દિશામાં ફરકે છે. આમ કેમ થાય છે તેનો કોઈ જવાબ નથી.
ઓડિશા આવેલા જગ્નનાથ પુરીના જગન્નાથ મંદિરમાં સ્થાપિત ધ્વજ હંમેશા પવન સામે લહેરાય છે. ઘણા વીડિયોમાં આ જોવા મળે છે કે જે રીતે આ મંદિરની આસપાસ બનેલા અન્ય મંદિરો કે ઈમારતો પરના ધ્વજ લહેરાતા રહે છે તેવી જ રીતે મંદિરનો ધ્વજ પણ અલગ દિશામાં લહેરાતો રહે છે.
આ સાથે આ ધ્વજ દરરોજ બદલવામાં આવે છે. માનવામાં આવે છે કે જો આ એક દિવસ માટે પણ ન કરવામાં આવે તો આ મંદિર 18 વર્ષ પછી બંધ થઈ જશે અને એટલે જ પ્રતિકૂળ સંજોગોમાં પણ મંદિરનો આ ધ્વજ બદલવામાં આવે છે.
ધ્વજ પર શિવાજીનો ચંદ્ર કોતરાયેલો છે અને સાંજ પડતાં ઊંધા ચડીને આ ધ્વજ સુધી પહોંચવાનું હોય છે. આ સ્થિતિમાં મંદિરના પૂજારી તેને બદલી નાખે છે અને આ ધ્વજને પતિતા પાવન બાના કહેવામાં આવે છે. આ સિવાય મંદિર પર અન્ય પ્રકારના ધ્વજ લગાવવા આવે છે.












Click it and Unblock the Notifications
