ઘરમાં વધી ગયો છે ઉંદરનો ત્રાસ, આ ઘરેલુ રીતથી મળશે છુટકારો
ભગવાન શ્રી ગણેશનું વાહન મુશકરાજ છે. ઘણીવાર ઘરમાં ઉંદરનો ત્રાસ એ હદ સુધી વધી જાય છે કે, લોકો મુશકરાજની હત્યા કરવા સુધી પહોંચી જાય છે.
ભગવાન શ્રી ગણેશનું વાહન મુશકરાજ છે. ઘણીવાર ઘરમાં ઉંદરનો ત્રાસ એ હદ સુધી વધી જાય છે કે, લોકો મુશકરાજની હત્યા કરવા સુધી પહોંચી જાય છે. લોકોને ઉંદર મારવાનું ક્યારે ગમતુ નથી, પણ તેમને ઉંદરને ઘરથી દુર રાખવાના અન્ય સરળ રસ્તાનો ખ્યાલ નથી હોતો. ઘણા લોકો બજારમાં મળતા રેટ કિલરનો ઉપયોગ કરે છે, જે સ્વાસ્થ્ય માટે હાનીકારક હોય છે અને તેની દુર્ગંધ પણ તીવ્ર હોય છે. જો તમારા ઘરમાં પણ ઉંદરનો ત્રાસ હોય તો ચિંતા ન કરો. કારણ કે, આજે અમે તમને 5 રીતો જણાવીશું જેનાથી ઉંદર તમારા ઘરથી કોસો દુર રહેશે.
ઉંદરો ભગાડવાના 5 ઘરગથ્થુ ઉપાયો
માણસના વાળથી ભાગે છે ઉંદરો
જો તમે ઉંદરોના આતંકથી પરેશાન છો, તો માનવીના માથાના વાળને ઉંદરોના સંતાવવાની જગ્યાએ રાખો. માણસના વાળ જોઈને ઉંદરોભાગી જાય છે. તેનું કારણ એ છે કે, આ વાળ ગળી જવાથી તેમનું મૃત્યુ થાય છે, તેથી તેઓ તેમની નજીક જવાનું ટાળે છે. જો તમે આવાવાળ ઘરની 4-5 મુખ્ય જગ્યાએ રાખશો, તો ઉંદરો તમારા ઘર તરફ ડોકિયું પણ નહીં કરે.
ઉંદરોને ગમતી નથી ડુંગળીની ગંધ
તમે ડુંગળીનો ઉપયોગ કરીને ઉંદરોને માર્યા વિના પણ ઘરમાંથી ભગાડી શકો છો. હકીકતમાં, ડુંગળીમાં એક વિચિત્ર તીખી ગંધ હોય છે, જેઉંદરોને બિલકુલ પસંદ નથી. આ યુક્તિનો ઉપયોગ કરવા માટે, એક મોટી ડુંગળી લો અને તેના 7-8 ટુકડા કરો. આ પછી, તે ટુકડાઓનેઘરના જુદા જુદા ભાગોમાં રાખો. ઉંદરોના ઉપાય તમારા ઘર તરફ ડોકિયું કરવાનું બંધ કરી દેશે.
ફિનાઇલની ગોળીઓથી ભાગે છે ઉંદરો
ઉંદરોથી છુટકારો મેળવવા માટે ફિનાઇલની ગોળીઓ પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ગોળીઓમાં તીવ્ર અપ્રિય ગંધ હોય છે, જેના કારણે ઉંદરો તેને સૂંઘતાની સાથે જ ભાગી જાય છે. આ ઉપાયનો ઉપયોગ કરવા માટે તમારે ફિનાઈલની ગોળીઓને હળવા કપડામાં રાખીને ઘરના તે ભાગમાં રાખવી પડશે, જ્યાં ઉંદરો વધુ આવે છે. એક-બે દિવસમાં તમે જોશો કે, ઘરમાં ઉંદરો દેખાવાનું બંધ થઇ ગયું છે.
તમાલ પત્રથી અદૃશ્ય થઈ જાય છે ઉંદરો
શાકભાજીમાં વપરાતું તમાલપત્ર તેના આયુર્વેદિક ગુણો માટે પ્રખ્યાત છે. તેની સુગંધ તીક્ષ્ણ હોય છે, જે ઉંદરોની આંખોને પણ પાણીયુક્ત
બનાવે છે. ઘરના તે ભાગોમાં તમાલ પત્ર રાખો જ્યાં ઉંદરો વધુ જોવા મળે છે. તેમની તીવ્ર ગંધ અનુભવતા, ઉંદરો તમારા ઘરમાંથી દુર ભાગી જશે.
કરી શકો છો ફુદીનાનો ઉપયોગ
એ તો બધા જાણે છે કે, ફુદીનાને પેટની સમસ્યા દૂર કરવા માટે રામબાણ માનવામાં આવે છે, પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે, ફુદીનોઘરમાંથી ઉંદરોને ભગાડવામાં પણ જાદુઇ કામ કરે છે. ફુદીના દ્વારા ઉંદરોને ઘરમાંથી ભગાડવા માટે ફુદીનાના લીલા પાંદડાને સૂકવીનેતેનો ભૂકો કરી લો.
આ પછી આ ફુદીનાના પાઉડરને ઉંદરોના દર પર અથવા તે સ્થાનો પર રાખો, જ્યાં ઉંદરો ફરતા હોય છે. જેમ જેમ ઉંદરો તે સ્થાનો પર પહોંચશે, ફૂદીનાની ગંધ તેમને પરેશાન કરશે અને તેઓ તમારું ઘર છોડીને ચાલ્યા જશે.