આવો જાણીએ 'નમસ્કાર'નો સાચો અર્થ અને તેના ફાયદા
[લાઇફસ્ટાઇલ] નમસ્કાર કરવું એ આપણી સંસ્કૃતિનું પ્રતિક છે, હિન્દુસ્તાનીઓની ઓળખ સમાન 'નમસ્કાર' માત્ર એક પરંપરા જ નથી પરંતુ તેના ઘણા ભૌતિક અને વૈજ્ઞાનિક ફાયદા પણ છે. જે અંગે આપમાંથી ઘણા ઓછા લોકો જાણતા હશે.
નમસ્કારનો અર્થ થાય છે તમામ મનુષ્યોના હૃદયમાં એક દૈવીય ચેતના અને પ્રકાશ. નમસ્કાર શબ્દની ઉત્પત્તિ સંસ્કૃતના નમસ શબ્દથી થઇ છે, જેનો અર્થ થાય છે એક આત્માથી બીજી આત્માને આભાર વ્યક્ત કરવો. આ જ કારણે જ્યારે આપણે એકબીજાને મળીએ છીએ અને છૂટા પડીએ છીએ ત્યારે નમસ્તે અથવા નમસ્કાર અથવા પ્રણામ કરીએ છીએ.
આવો આપને અત્રે જણાવીએ નમસ્કારનો અર્થ અને તેના ફાયદા...
અનાહત ચક
નમસ્તે કરવા માટે બંને હાથોને અનાહત ચક પર રાખવામાં આવે છે, આંખો બંધ કરવામાં આવે છે અને મસ્તકને ઝૂકાવવામાં આવે છે.
દૈવીય પ્રેમનું વહેણ
હાથોને હૃદય ચક્ર પર લાવીને દૈવીય પ્રેમના વહેણ થાય છે. માથાને ઝૂકાવવા અને આંખો બંધ કરવાનો અર્થ છે ખુદને હૃદયમાં વિરાજમાન પ્રભુને ખુદને સોંપી દેવું.
મનોવૈજ્ઞાનિક રીત
જ્યારે વ્યક્તિને ખૂબ જ ગુસ્સો આવે તો તેણે લોકોને તુરંત નમસ્કાર કરી દેવું જોઇએ, આવું કરવાથી આપના બંને હાથ જોડાઇ જશે અને આપ ગુસ્સો નહીં કરી શકો. અને આપને આવી રીતે જોઇને સામેવાળાનો ગુસ્સો પણ શાંત થઇ જશે.
ફાયદો શું
જ્યારે આપ હાથ જોડીને નમસ્કાર કરો છો તે સમયે હથેળીઓને દબાવવાથી અથવા જોડી રાખવાથી હૃદયચક્રને આજ્ઞાચક્રમાં સક્રીયતા આવે છે જેના કારણે જાગરણ વધે છે, આપનું મન શાંત થઇ જાય છે જેના કારણે જાતે જ આપના ચહેરા પર ખુશી આવી જાય છે.
સંસ્કૃતમાંથી ઉત્પત્તિ
નમસ્કાર શબ્દની ઉત્પત્તિ સંસ્કૃતના નમસ શબ્દથી થઇ છે, જેનો અર્થ થાય છે એક આત્માથી બીજી આત્માને આભાર વ્યક્ત કરવો.
હિન્દુ પરંપરાઓ પાછળ છૂપાયેલા છે આ 20 વૈજ્ઞાનિક તથ્યો