મળો એક જાસૂસને જે દેશ માટે જોડાયો હતો પાક સેનામાં
તમે દેશ માટે વીરગતિ મેળવતા અનેક સૈનિકોની વીરગાથા સાંભળી હશે. ત્યારે આવી જ વીરગાથાઓમાં એક તેવી પણ વીરગતિ સામેલ છે જેનો ઉલ્લેખ ભાગ્યેજ થયો છે. આ વાત છે એક તેવા જાસૂસની જેને 23 વર્ષની ઉંમરે પાકિસ્તાનમાં મોકલવામાં આવ્યો, જાસૂસી કરવા માટે પણ તે પછી કદી પણ ભારત પર ના ફર્યા.
આ જાસૂસનું તે જ દુર્ભાગ્ય હતું કે તેને મરતી વખતે પોતાના દેશની માટી પણ ના મળી અને દુશ્મન દેશમાં જ મોતને ગળે લગાવવું પડ્યું. અમે વાત કરી રહ્યા છે. ભારતના ઇન્ટેલિજન્ટ એજન્સી રોના જાસૂસ રવિંદર કૌશિકની. રવિંદરના નામનો ઉલ્લેખ સૌ પ્રથમ વાર ત્યારે થયો હતો જ્યારે દેશમાં સલમાન ખાનની ફિલ્મ "એક થા ટાઇગર" રિલિઝ થઇ હતું. રવિંદર કૌશિક એક અડંરકવર એજન્ટ હતા. ત્યારે તેના જીવન સાથે સંકાળાયેલી કેટલીક ખાસ વાતો જાણો અહીં....

શ્રેષ્ઠ એક્ટર
રવિંદર કૌશિકનો જન્મ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં વર્ષ 1952માં થયો હતો. રવિંદરને થિયેટરનો શોખ હતો. રોમાં જ્યારે તેમની પસંદગી કરવામાં આવી ત્યારે તે એક ટીનએજર જ હતા. રવિંદરે વર્ષ 1975માં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને પછી તે રોમાં જોડાયા.

યુવાન અંડરકવર એજન્ટ
રો દ્વારા તેમને પાકિસ્તાનમાં એક અંડરકવર એજન્ટના રૂપમાં મોકલવામાં આવ્યા. અને 23 વર્ષની કુમળી ઉંમરે તેને પાકિસ્તાન ગયા. તે પહેલા બે વર્ષ સુધી તેમને ટ્રેનિંગ આપવામાં આવી.

જેથી તે એક મુસલમાન લાગે
કૌશિકને દિલ્હીમાં એવી ટ્રેનિંગ આપવામાં આવી જેથી તે મુસલમાન લાગે. તેમને ઉર્દૂ અને મુસ્લિમ ધર્મથી જોડાયેલી વાતો શીખવવામાં આવી. અને પાકિસ્તાન વિષે પણ જાણકારી આપવામાં આવી. તે પંજાબી પણ બહુ જ સારી રીતે બોલી લેતા હતા.

રવિંદર બન્યા નબી અહમદ શાકિર
વર્ષ 1975માં તે નબી અહમદ શાકિરના નામે પાકિસ્તાન ગયા. જે બાદ તેમને સિવિલિયન ક્લર્ક તરીકે પાકિસ્તાની સેનામાં જોડાયા. જે બાદ તેમને પાક સેનાએ અકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં મોકલ્યો. ત્યાં તેમને ઇસ્લામ ધર્મને પણ સ્વીકાર્યો.

એક પુત્રના પિતા
તેમણે ત્યાં આર્મી યુનિટના ટેલરની પુત્રી જોડે લગ્ન પણ કર્યા હતા. જે બાદ તેમને એક બાળક પણ હતો. જો કે તેમના પુત્રની મુત્યુ વર્ષ 2012-2013ની વચ્ચે થઇ હતી.

ભારતીય સેનાને મળી મોટી મદદ
વર્ષ 1979થી 1983ની વચ્ચે તેમને અનેક મહત્વપૂર્ણ જાણકારી ભારતીય સેનાને મોકલી. અને તેનાથી દેશને મોટી મદદ પણ થઇ.

પાકને ખબર પડી તેમની સચ્ચાઇ
જો કે સપ્ટેમ્બર 1983માં ભારતના એક લો લેવલના જાસૂસ ઇનાયત મસીહે રવિંદર કૌશિકનો સંપર્ક કર્યો. પણ તે વખતે ઇનાયતને પાક સેનાએ પકડી લીધો અને આ જ કારણે કૌશિકની પોલ પણ ખૂલી ગઇ કે તે એક રો એજન્ટ છે.

1985માં અપાઇ મોતની સજા
કૌશિકને વર્ષ 1985માં પાક અદાલતે મોતની સજા સંભળાવી. જો કે પાક સુપ્રિમ કોર્ટે આ સજાને ઉમરકેદમાં ફેરવી દીધી. જે બાદ કૌશિક લગભગ 16 વર્ષ સુધી પાકની વિવિધ જેલમાં રહ્યા. જેલમાં તેમને ટીબી, અસ્થમા જેવી બિમારીઓ થઇ.

1999માં થઇ મોત
રો અને ભારત સરકારે તેમને ક્યારે પણ પોતાના જાસૂસ તરીકે સ્વીકાર્યા નથી. 26 જુલાઇ 1999માં તેમની બિમારીઓના કારણે મુલ્તાનની સેન્ટ્રલ જેલમાં મોત થઇ. જેલની પાછળ જ તેમને દફનાવામાં આવ્યા. કોઇ રીતે તેમના પરિવારથી તેમને સંપર્ક કરીને જે પત્રો લખ્યાં તેમાંથી આ વાત બહાર આવી.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
