વધુ રજાઓ જોઈએ તો આ દેશમાં નોકરી કરો, આ છે સૌથી વધુ જાહેર રજા આપતા દેશ
સરકારી કે પ્રાઈવેટ જોબ કરતા કરતા કર્મચારીઓ માટે જાહેર રજા મોટી વાત હોય છે. નોકરીમાંથી થોડી આઝાદી આપતી રજાઓનું વિશેષ મહત્વ હોય છે. આ જ કારણ છે કે દુનિયાના ઘણા દેશોમાં કર્મચારીઓ માટે ઘણી વિશેષ રજાઓનું પ્રાવધાન છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં ઘણા એવા દેશ છે જે નોકરી કરતા કર્મચારીઓને દિલ ખોલીને રજા આપે છે. બીજી નવાઈની વાત એ છે કે અહીં ભારત ઘણા ઘણી વધારે જાહેર રજાઓ મળે છે.

દુનિયાભરની કંપનીઓમાં રજાને લઈને અલગ-અલગ નિયમો બનાવવામાં આવ્યા છે. આ રજાઓ કર્મચારીઓને આરામની મંજૂરી આપે છે. રજાઓના નિયમો દેશ પ્રમાણે બદલાય છે. તેમાં પણ રાજ્યો પણ ઘણી રજાઓ અલગથી મળે છે.
રજાઓ ન મળવાને કારણે ઘરથી દુર રહેતા કર્મચારીઓ દિવસે દિવસે તેમના પ્રવાસો અને લોકો સાથેના સંપર્કો ઓછા કરી નાંખે છે. આની અસર તેમના માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. આ જ કારણ છે કે રજાઓ વ્યક્તિના માનસિક સ્વાચ્થ્ય માટે જરૂરી છે.
વિશ્વમાં સૌથી વધુ જાહેર રજાઓમાં નેપાળ અને ઈરાન પહેલા નંબર પર છે. આ બન્ને દેશોમાં 34 રજાઓ આપવામાં આવે છે.
ઈરાન અને નેપાળ બાદ સૌથી વધુ રજા આપવામાં બીજો નંબર શ્રીલંકા અને બાંગ્લાદેશનો છે. અહીં કર્મચારીઓને 33 દિવસની રજાઓ મળે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં કર્મચારીઓને ઘણી ઓછી રજાઓ મળે છે. અહીં માત્ર 21 જાહેર રજાઓ આપવામાં આવે છે.
અહીં એક વાત જાણવી જરૂરી છે કે દુનિયાના કેટલાક વિકસિત દેશોમાં હવે કર્મચારીઓ માટે રજા નિયમો ઝડપથી બદલાઈ રહ્યા છે અને શક્ય હોય તેટલા દિવસ રજાઓ આપવામાં આવે છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
