માણસોની લાશોથી ભરેલો પડ્યો છે આ આઈલેન્ડ, જાણો શું છે આ જગ્યાનું રહસ્ય?
અકસ્માત જેવી ગંભીર ઘટનાઓમાં ગણતરીના લોકોના મોત જોઈને જ તમે અંદરથી હલી જતા હોય છે ત્યારે તમને કોઈ દોઢ લાખ લોકોની લાશો વચ્ચે છોડી દે તો? તમને જાણીને નવાઈ લાગશે કે આ ધરતી પર એક જગ્યાએ આટલી લાશો પડી છે.
અમે તમને એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યાં છીએ જ્યાં માણસોના હાડકાના ઢગલા પડેલા છે. આ જગ્યા પર આટલી સરળતાથી પહોંચી શકાતું નથી અનેસંબંધિત અધિકારીઓ અને સંસ્થાઓ પાસેથી પરવાનગી લેવી પડે છે.

આ ખૌફનાક જગ્યા ઇટાલીમાં આવેલી છે. ઇટાલી વિશ્વના સૌથી સુંદર દેશોમાં આવે છે પરંતુ અહીં કેટલીક એવી જગ્યાઓ છે જેનું નામ સાંભળતા જ લોકો ડરી જાય છે. ઇટાલીમાં આવેલો પોવેગ્લિયા ટાપુ આજે પણ લોકોને ડરાવે છે.
અહેવાલો અનુસાર, 1968 પછી પોવેગ્લિયા આઈલેન્ડ પર કોઈ વ્યક્તિ નથી ગઈ. આ ટાપુ સાવ નિર્જન છે. કેટલાક લોકો ચોક્કસ પરવાનગી સાથે અહીં જાય છે. એક સમયે અહીં માનસિક આશ્રય હતો જે હવે બંધ થઈ ગયો છે અને તેની ઈમારત ખંડેર હાલતમાં છે, આ ઈમારત જોવામાં એટલી ખતરનાક છે કે જાણે કોઈ ભૂતિયા ઘર હોય.
કહેવાય છે કે પ્લેગના કારણે આ ટાપુ પર લાશોના ઢગલા ખડકાયા. આ ટાપુ પર એક સમયે બે જહાજો રોકાયા હતા, તેમાં સવાર લોકો પ્લેગથી પીડાતા હતા. આ પછી ઇટાલી અથવા તેની આસપાસના વિસ્તારોમાં પ્લેગથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોને અહીં લાવવામાં આવ્યા અને દફનાવવામાં આવ્યા.
આ જ કારણ છે કે સમય જતાં અહીં મૃતદેહોની સંખ્યા 1.5 લાખને પાર કરી ગઈ. આજે પણ તમને દરેક જગ્યાએ માનવ હાડકાં સડી ગયેલી હાલતમાં જોવા મળે છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા






Click it and Unblock the Notifications
