વાત એ માથા ફરેલી અમીર મહિલાની, જે ખૂબસૂરત દેખાવા કુંવારી યુવતીઓના લોહીથી નહાતી હતી
દુનિયાભરમાં ઘણા રાજાઓ અને રાણીઓની ગણતરી માથા ફરેલા લોકોમાં થાય છે. આવી જ એક મહિલા તેના પાગલપન માટે દુનિયાભરમાં જાણીતી છે.
આ મહિલા વિશે એવું કહેવાય છે કે પોતાની યુવાની જાળવી રાખવા માટે તે દરરોજ કુંવારી છોકરીઓના લોહીમાં સ્નાન કરતી હતી.

એલિઝાબેથ બાથરી હંગેરિયન અમીર મહિલા અને કથિત સીરીયલ કિલર હતી. તેના પર આરોપ હતો કે તેણે તેના ચાર નોકરો સાથે મળીને સેંકડો છોકરીઓનું અપહરણ કર્યું અને ક્રૂરતાથી તેમની હત્યા કરી.
ઘણા હંગેરિયનો દાવો કરે છે કે તેણી તેની યુવાની જાળવવા માટે ખૂબ જ જનુની હતી. કેટલાક તાંત્રિકે તેને સલાહ આપી કે જો તે કુંવારી છોકરીઓના લોહીથી સ્નાન કરશે તો તે ક્યારેય વૃદ્ધ નહીં થાય. આ પછી તેણે કુંવારી છોકરીઓનું અપહરણ કરીને હત્યા કરવાનું શરૂ કર્યું.
ઘણા લોકોના મતે એલિઝાબેથે 1590 થી 1610 સુધી 20 વર્ષ સુધી આ લોહિયાળ ખેલ ખેલ્યો. આ સમય દરમિયાન સેંકડો છોકરીઓ અને મહિલાઓને એલિઝાબેથના બંગલામાં લાવવામાં આવી અને નિર્દયતાથી હત્યા કરવામાં આવી.
જ્યારે રહસ્ય જાહેર થયું ત્યારે નોકરોની ધરપકડ કરવામાં આવી અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી અને તેઓને આજીવન કેદની સજા કરવામાં આવી.
કહેવાય છે કે જ્યારે એલિઝાબેથ નાની હતી ત્યારે તેને વાઈના હુમલા આવતા હતા. આનાથી રાહત મેળવવા કોઈએ સૂચવ્યું કે જો છોકરીના હોઠ પર કોઈ સ્વસ્થ વ્યક્તિનું લોહી મૂકવામાં આવે તો તેને ફાયદો થશે.
દાવો કરવામાં આવે છે કે જ્યારે આ યુક્તિ અજમાવવામાં આવી ત્યારે તે સફળ રહી હતી. આ પછી એલિઝાબેથે કથિત રીતે લોહી પીવાની આદત વિકસાવી હતી.
ઈતિહાસકારોનું કહેવું છે કે એલિઝાબેથ 13 વર્ષની ઉંમરે પહેલીવાર માતા બની હતી. તે દરમિયાન તેનું એક ખેડૂત છોકરા સાથે અફેર હતું, જે બાદ તે ગર્ભવતી બની.
જો કે, બાળક થયા બાદ તેને પૈસા આપી મહિલાને આપવામાં આવ્યુ. આ દાવો એલિઝાબેથના મૃત્યુના ઘણા સમય પછી સામે આવ્યો હતો, તેથી લોકો તેના પર સવાલો પણ ઉઠાવે છે.
હંગેરીમાં છોકરીઓ અને મહિલાઓના ગુમ થવાનો સિલસિલો તીવ્ર બન્યો ત્યારે તપાસ હાથ ધરવામાં આવી. આ પછી શહેરની બહાર એક શાંત વિસ્તારમાં રહેતી એલિઝાબેથને તેના નોકરો સાથે પકડી લેવામાં આવી.
કહેવાય છે કે ત્યાંથી એક જીવતી અને એક મૃત બાળકી પણ મળી આવી હતી. આ પછી એલિઝાબેથને તેના મહેલમાં કેદ કરવામાં આવી હતી, જ્યાં તેનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું. ઘણા લોકો કહે છે કે એલિઝાબેથની હત્યા કાવતરામાં કરવામાં આવી હતી કારણ કે તે સિંહાસનના વારસદારોમાંની એક હતી.
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ











Click it and Unblock the Notifications
