ઈડીએ જપ્ત કરેલી સંપતિનું શું થાય છે? જાણો શું છે નિયમ?
ચૂંટણી આવતા જ ઈડી દ્વારા કરોડો રૂપિયા અને વાહનો સહિત અબજો રૂપિયાની સંપતિ જપ્ત કરવામાં આવે છે. હવે સવાલ એ થાય કે આ સંપતિનું થાય છે શું?
કેન્દ્ર સરકારે વર્ષ 2022માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી અંગેનો ડેટા શેર કર્યો છે. આ ડેટા અનુસાર, 2004-14 સુધીમાં EDએ 112 દરોડા પાડ્યા, જે 2014 થી 2022 સુધીમાં વધીને 3,000 થી વધુ થઈ ગયા.

કેન્દ્ર અનુસાર, EDની ટીમે 2014-22 સુધીમાં લગભગ 99,356 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે.
નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, જે કેસમાં EDએ દરોડા પાડ્યા તેમાંથી કોર્ટે 23 કેસમાં આરોપી વ્યક્તિ અને સંસ્થાને દોષી ઠેરવ્યા. કોર્ટની સજાને કારણે સરકારને 869.31 કરોડ રૂપિયા મળ્યા છે.
મની લોન્ડરિંગ એક્ટ હેઠળ EDને પૈસા જપ્ત કરવાની સત્તા આપવામાં આવી છે. જ્યારે ED દરોડા પાડે છે ત્યારે તે જે પણ પૈસા અથવા માલ મળે છે તેનો રિપોર્ટ તૈયાર કરે છે. આ રિપોર્ટ પર આરોપી વ્યક્તિ તેમજ EDના તપાસ અધિકારીની સહી હોય છે.
રિપોર્ટ તૈયાર થયા બાદ ED બેંક એકાઉન્ટ ખોલાવીને પૈસા જમા કરાવે છે. તેમજ દરોડા દરમિયાન મળેલી વસ્તુઓને પરબિડીયાઓમાં મુકીને લોકરમાં રાખવામાં આવે છે.
બિઝનેસ સ્ટાન્ડર્ડ અખબાર અનુસાર, ED માત્ર તે જ સંપત્તિઓને જપ્ત કરે છે જેના સ્ત્રોત આરોપી જાહેર કરવામાં નિષ્ફળ જાય છે.
ઉદાહરણ તરીકે, જો દરોડા દરમિયાન આરોપીના ઘરેથી 5 લાખ મળી આવે અને આરોપી તે નાણાંનો સ્ત્રોત જાહેર કરવામાં સફળ થાય તો તેના પૈસા જપ્ત કરી શકાય નહીં. સ્ત્રોત જાહેર કરવામાં નિષ્ફળતાના પરિણામે નાણાં જપ્ત કરવામાં આવે છે. જપ્ત કરાયેલા નાણા તપાસ એજન્સીના પર્સનલ ડિપોઝીટ એકાઉન્ટમાં જમા થાય છે
ED જપ્ત કરાયેલા પૈસાનું શું કરે છે?
- કોર્ટના નિર્ણયની રાહ જોવાય છે. જો કોર્ટ આરોપીના પૈસા અસલી તરીકે સ્વીકારે છે તો ED તે પૈસા તેના માલિકને પરત કરે છે.
- જો કોર્ટમાં પૈસા ગેરકાયદે માનવામાં આવે તો ED તે પૈસા કેન્દ્ર સરકારને મોકલે છે. કેન્દ્રમાં જતા આ નાણાંને પબ્લિક મની કહેવાય છે.
- દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં એક આદેશમાં કહ્યું છે કે જો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દરોડાના 365 દિવસની અંદર આરોપો સાબિત કરવામાં નિષ્ફળ જાય છે તો તેણે જપ્ત કરાયેલ માલ પરત કરવો પડશે.
- ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લિમિટેડના મહેન્દ્ર કુમાર ખંડેલવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કોર્ટે આ નિર્ણય આપ્યો હતો.
- નિષ્ણાતોનું કહેવું છે કે કોર્ટે પીએમએલએની કલમ 8(3) હેઠળ આ નિર્ણય આપ્યો હતો, જેમાં સંપત્તિ જપ્ત કરવાનો અને તેની સમયમર્યાદાનો ઉલ્લેખ છે.












Click it and Unblock the Notifications
