For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી એકવાર વડાપ્રધાન બનશે તો બીજીવાર સ્પષ્ટ બહુમતિ હશે!!!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

રાજ પ્રજાપતિ, ગાંધીનગર:લોકસભાની આગામી ચૂંટણીને લઇને ભાજપ તરફે વડાપ્રધાન પદના ઉમેદવાર મોદી નિશ્વિત મનાઇ રહ્યા છે ચૂંટણીઓ જીતવાની અને દરેક વર્ગની પ્રજાનો વિશ્વાસ સંપાદન કરવાની વાકછટા ધરાવતાં મોદીના વિરોધીઓ મોદી વિશે અનેક વાતો અને ટીપ્પણીઓ કરે છે.

લાલકૃષ્ણ અડવણી અને મનમોહનસિંહ જેવા વડિલો હજી ગાંધીજીની જેમ સુવાળો મિજાજ રાખે છે તેની સાપેક્ષે નરેન્દ્ર મોદીનો મિજાજ ભગતસિંહ અને વિવેકાનંદ જેવો મિશ્ર છે. આથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તો ભાજપની સાથે સાથે કરતાં દેશના બધા રાજકારણીઓને પોતાની પેઢીઓની જેમ ચાલતી દુકાનો હંમેશા માટે બંધ થવાની ખાત્રી થઇ રહી છે.

નરેન્દ્ર મોદી વિશે લગભગ અનેક વાતો અને સમાચારો સતત વંચાતા અને સભળાતાં રહે છે તેમાં સાવ શબ્દશઃ સાચા અને પુરવાર થાય તેવા કોઇ સમાચાર હોતા નથી. નરેન્દ્ર મોદીની વિરોધી હોય તે નેગેટીવ લખે છે અને નરેન્દ્ર મોદીની તરફેણમાં હોય તે ફકત પોઝીટીવ લખે છે, પણ ખરેખર નરેન્દ્ર મોદી ભાજપ માટે કે રાજકીય હેતુ માટે અથવા પોતાની અંગત મહત્વાકાંક્ષાથી વડાપ્રધાન બનવા કોશિષ કરે છે કે તેનો મુળભુત હેતું પ્રજાલક્ષી છે તે દેશની પ્રજા જાણતી નથી.

વધુ રસપ્રદ માહિતી જાણવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ

નરેન્દ્ર મોદીએ વડાપાંઉનો ખાઇને દિવસો કાઢ્યાં હતા

નરેન્દ્ર મોદીએ વડાપાંઉનો ખાઇને દિવસો કાઢ્યાં હતા

આજે વડાપ્રધાન બનવા જઇ રહેલા મોદીના ગુજરાતમાં પહેલીવાર કેશુભાઇ પટેલ જ્યારે મુખ્યમંત્રી હતાં ત્યારે નરેન્દ્ર મોદી એમ.એલ.ક્વાર્ટરમાં અવારનાવાર વડાપાંઉનો નાસ્તો ખાઇને પણ દિવસો કાઢી ચુક્યા છે મોદીને ત્યારે પૈસાનું દાન અને સહયોગ મળે તેમ હતાં પણ મોદીએ કોઇના પૈસા કે સુવિધા લીધી નહોતી તેવું તેની સાથે રહી ચુકેલા મિત્રોમાંથી મળતી માહિતીના કારણે તેની સાચી વાસ્તવિકતા જાણી શકાય છે.

સંઘર્ષમય જીવન જીવ્યા છે નરેન્દ્ર મોદી

સંઘર્ષમય જીવન જીવ્યા છે નરેન્દ્ર મોદી

સંઘના કાર્યકર તરીકે રોજ અમદાવાદ અને આસપાસ બીજા કાર્યક્રમો કરવામાં રાત્રે મોડે આવવાથી ગાંધીનગરમાં તેને જમવાનું મળતું નહી પણ મોદી જ્યાં રહેતા તે ક્વાર્ટરવાળા મિત્રો મોદી માટે છેવટે નાસ્તાની વ્યવસ્થા કરી રાખતા હતા મોદીએ જીંદગી સંઘર્ષમાં કાઢી છે.

સાડાચાર કલાકની ઉંઘ લે છે મોદી

સાડાચાર કલાકની ઉંઘ લે છે મોદી

નરેન્દ્ર મોદી આજે પણ એક મીનીટ તેના મનને શાંતિ નથી તે માણસ આજે પણ ફકત સાડાચાર કલાકની ઉંઘ લે છે ઓછી ઉંઘને આરામમાં સરભર કરવાં યોગ અને વ્યાયામ અને ડાયેટ પ્લાન તેને ઉપયોગી થાય છે

કોમવાદનું રાજકારણ

કોમવાદનું રાજકારણ

દેશમાં બંધારણની અમુક ખામીઓ અને રાજકીય પરીવારોના કબ્જાઓમાં રહેલા રાજ્યોમાં બેફામ યાદવાસ્થળીઓને કારણે બેસુમાર ભ્રષ્ટાચાર ચાલ્યો છે લઘુમતિઓના આખા સમાજને કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષોએ અલગ તારવી ભારતમાં કોમવાદના બે ભાગલા પાડીને રાજનીતિ ચલાવી છે નરેન્દ્ર મોદી કોઇ જ્ઞાતિ કે કોમની તરફેણમાં નથી હોતા બીજી મહત્વની વાત કે જવાહરલાલ નહેરૂ અને ઝીણાની ભુલથી કાશ્મીર વિવાદ પેદા થયો અને અંતે તે ભારત અને પાકિસ્તાન વચ્ચે આંતકવાદના દોઝખનું કારણ બન્યો કોંગ્રેસના નેતાઓની સતા લાલસાની તે સમયની ભુલને પરીણામે ભારત આજે મહાસતા બનવાને બદલે આર્થીક અને સમાજીક ઉત્થાનમાં તુટી રહ્યુ છે

ભારત કેમ મહાસતા ના બની શકે?

ભારત કેમ મહાસતા ના બની શકે?

અમેરીકા, બ્રિટન, આફ્રિકા, અને કેનેડાની જેવા ૪૫ થી વધુ દેશોની ઉત્પાદકતા અને પરીશ્રમની રોનકમાં લાખો ભારતીયોનો પરસેવો સીંચાયો છે જો ભારતીયોના પરીશ્રમોથી દુનિયાના બીજા દેશો જાહોજલાલી મેળવી શકતા હોય તો ભારત પોતે કેમ મહાસતા અને જગત જમાદાર ના બની શકે ?

...તો પાકિસ્તાનના રાજકારણ પરિવર્તન આવશે

...તો પાકિસ્તાનના રાજકારણ પરિવર્તન આવશે

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તો પાકિસ્તાન સાથેના સબંધો બગાડશે નહીં પણ નરેન્દ્ર મોદીને કારણે પાકિસ્તાનના રાજકીય નેતાગીરીઓમાં પરીવર્તન આવશે ભારત અને પાકિસ્તાનની રાજનીતિમાંથી કોમવાદ દુર કર્યા વિના સીમાવર્તી સમસ્યાઓ નાબુદ થશે નહીં.

...તો રાજ્યોનો સંમાતર વિકાસ થશે

...તો રાજ્યોનો સંમાતર વિકાસ થશે

નરેન્દ્ર મોદી વડાપ્રધાન હશે તો રાજ્યોનો સંમાતર વિકાસ થશે પ્રાદેશિક પક્ષો ક્રમશઃ નાબુદ થઇ શકશે ખીચડા સરકારને બદલે ભવિષ્યમાં સ્પષ્ટ બહુમતિ સાથે એક પક્ષ સરકાર બનાવી બંધારણમાં મહત્વના સુધારાઓ હાથ ધરીને રાજકારણ અને સમાજના જાહેર ક્ષેત્રોમાંથી અપરાધિકરણ નાબુદ કરી શકાશે.

બીજી ટ્રમમાં સ્પષ્ટ બહુમતિની સરકર બનશે

બીજી ટ્રમમાં સ્પષ્ટ બહુમતિની સરકર બનશે

આ નરેન્દ્ર મોદી વિશેની તેના મનની સૌથી ખાનગી વાત છે મોદી એક વાર વડાપ્રધાન બને તો બીજી ટ્રમમાં સ્પષ્ટ બહુમતિની સરકર બનશે અને ૨૦૧૮-૧૯ ના ઐતિહાસિક વર્ષોમાં હાલની સ્થિતીએ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને મહત્વના બંધારણીય અને સંવૈધાનીક સુધારાઓ થશે આજે સંસદમાં અને વિધાનસભાઓમાં લગભગ સીવિલ અને હાર્ડકોર ક્રિમિનલો વધતા જાય છે કોઇપણ રીતે તેવા લોકો મતદાન મેળવીને ચુંટાય આવે છે આથી તેના ટેકાથી સરકાર રચવાની ફરજ પડે છે

ઉદ્યોગપતિઓને લાભ આપવા સિવાય બીજો કોઇ રસ્તો નથી

ઉદ્યોગપતિઓને લાભ આપવા સિવાય બીજો કોઇ રસ્તો નથી

મોદી જાણે છે કે ઉદ્યોગપતિઓને કરવેરા અને અન્ય રીતે લાભ ના મળે તો તે ચૂંટણી ફંડ આપતા નથી દેશમાં અને રાજ્યોમાં સત્તા સ્થાન સુધી પહોંચવા માટે અઢળક રૂપિયાની જરૂર પડે છે સત્તા સુધી પહોંચવા અને જે સંગઠનને નિભાવવું પડે છે તેના માટે પણ કરોડો રૂપિયાનું ફંડ જોઇએ તે નાના મોટા ઉદ્યોગપતિઓ પાસેથી મળી શકે છે એટલે ઉદ્યોગપતિઓને લાભ આપવા સિવાય બીજો કોઇ રસ્તો નથી મોદીને જગ્યાએ કોઇપણ વ્યક્તિને ફંડની જરૂર પડે છે અને તેના માટે ઉદ્યોગપતિઓની મદદ લેવી પડે છે.

ભ્રષ્ટાચાર અને કૌભાંડોની નરેન્દ્ર મોદીને પુરતી માહિતી હોય છે

ભ્રષ્ટાચાર અને કૌભાંડોની નરેન્દ્ર મોદીને પુરતી માહિતી હોય છે

ગુજરાતમાં થઇ રહેલા દરેક ભ્રષ્ટાચાર અને કૌભાંડોની નરેન્દ્ર મોદીને પુરતી માહિતી હોય છે નરેન્દ્ર મોદી પોતે ૧૦૦ ટકા પ્રમાણિકતાથી સરકાર ચલાવે તો ૯૦ ટકા અધિકારીઓ અને કર્મચારીઓને છુટા કરવા પડે તેમ છે ગેરરીતીઓ અને નાની-મોટી ભ્રષ્ટાચારની બાબતો લાંચ આપનારી પ્રજાને કારણે સંભવિત હોય છે દુનિયાનો કોઇ નેતા ૧૦૦ ટકા પ્રમાણિકતાથી સરકાર ચલાવી શકે નહીં આખી વ્યવસ્થાને એક સાથે જડમુળથી સુધારી શકાતી નથી નરેન્દ્ર મોદીની જેમ વ્યવસ્થાઓ સુધારવાના પ્રયત્નો કરનારા પોતે પ્રમાણિક હોય તો એક પછી એક સુધારા કરી શકાય છે.

 નરેન્દ્ર મોદીએ ખુબ રઝળપાટ કરી છે

નરેન્દ્ર મોદીએ ખુબ રઝળપાટ કરી છે

નરેન્દ્ર મોદીએ બે-ત્રણ ઝભ્ભા સાથે બગલ થેલો લઇને ખુબ રઝળપાટ કરી છે અનેક નેતાઓના ઉપહાસ સહન કર્યા છે કારણ કે નરેન્દ્ર મોદી જ્યારે સામાન્ય કાર્યકર હતા ત્યારે આજના અનેક વડિલા નેતાઓએ તેને ઉપેક્ષિત પણ કર્યા છે નરેન્દ્ર મોદી સરકારના ૧૦ વર્ષનો સરેરાશ એક લાખ કરોડના નાણાંકીય કૌભાંડો ઓડીટર જનરલના ચોપડે ગણાવાય રહ્યા છે તે નાણાંકીય ઉચાપત કે લેદી-દેતીના કૌભાંડ નથી પણ જુદી જુદી રીતે વહીવટી અને ફિલ્ડની સમય મર્યાદાની અવધિને કારણે વધુ થયેલા ચુકવણાના નુકસાનના આંકડાઓ હોય છે કોઇ નેતા કે અધિકારીએ ઉચાપત કરીને કૌભાંડ કર્યુ છે તેવી હકિકતો હોતી નથી.

નરેન્દ્ર મોદીની સૌથી મોટી બાબત

નરેન્દ્ર મોદીની સૌથી મોટી બાબત

ભારતના દરેક પક્ષના નેતાઓ અને દરેક રાજકીય અગ્રણીઓના અનેક ધંધા કારોબાર ચાલે છે બંગલાઓ અને અન્ય મિલકતો છે સ્વિત્ઝર્લેન્ડ, યુ.એસ.એ, યુ.કે, અને આફ્રિકાની અનેક યુનાઇટેડ બેંકોમાં ખાતાઓ છે તે પ્રમાણે નરેન્દ્ર મોદી પાસે આજે પણ કાંઇ નથી, કોઇ મિલકતો નથી, અને સૌથી મહત્વની બાબત તો એ છે કે નરેન્દ્ર મોદીના એક પણ અંગત મિત્ર અને સગાસબંધી કે કુંટુબના એકપણ સભ્યને તેના મુખ્યમંત્રી હોવાનો એક ટકો લાભ મળ્યો નથી અને મળતો નથી અને ક્યારેય મળશે નહીં, તેના સગા ભાઇઓ તેની સામે કામ લઇને આવી શકતા નથી તેની સામે દેશના બીજા નેતાઓ દસમાંથી આઠ કામ તેના કુટુંબ અને સગા-સબંધીઓ અને મિત્રો હિતમાં હોય તેવા કરતાં હોય છે.

નરેન્દ્ર મોદી એકવાર વડાપ્રધાન બનશે તો બીજી વખતે સ્પષ્ટ બહુમતિ હશે

નરેન્દ્ર મોદી એકવાર વડાપ્રધાન બનશે તો બીજી વખતે સ્પષ્ટ બહુમતિ હશે

ભારતના મોટા ભાગની સમસ્યાઓના મુળમાં ભારતના સંવિધાનની ખામીઓથી બિનજરૂરી અને ગુનાહિત વ્યવસ્થાઓઓને પોષતા કાયદાઓ અને અધિનિયમો છે એક ભ્રષ્ટાચારીને નેતા કે અધિકારીને ભ્રષ્ટ સાબિત કરતાં સીધા અને સરળ કાયદાઓ નથી તેની સામે આર્થિક ગુનાઓમાંથી બચવાના આનેક કાયદાઓમાં છીંડા છે આથી ફોજદારી અને કરવેરાઓના આખા માળખામાં ધરમુળથી ફેરફાર આવશ્યક છે અને તે ફકત બહુમતિની સ્પષ્ટ સંસદ હોય તો થઇ શકે છે નાણાંકીય ભંડોળ અને સંગઠ્ઠનના મેનેજમેન્ટમાં પાવરધા નરેન્દ્ર મોદી એકવાર વડાપ્રધાન બનશે તો બીજી વખતે સ્પષ્ટ બહુમતિ હશે અને લગભગ બધા રજ્યોમાં પણ એકસમાન વિધાનસભાઓ હશે તે નિશ્વિત છે.

પ્રાદેશિક પક્ષો અને ભ્રષ્ટાચારી હાકેમોના સુર્યાસ્ત થશે

પ્રાદેશિક પક્ષો અને ભ્રષ્ટાચારી હાકેમોના સુર્યાસ્ત થશે

નરેન્દ્ર મોદી આજે પ્રાદેશિક પક્ષોના ભ્રષ્ટ નેતાઓનો સહકાર લઇ રહ્યા છે તે માત્ર ૧૯૫૧થી લોકશાહીના નામે ભારતને ગુલામમાં રાખી બેઠેલી કોંગ્રેસના વિરોધી છે એટલા પુરતી તેની લાયકાત છે બાકી એક વાર મોદી વડાપ્રધાન બનશે પછી એક પછી એક પ્રાદેશિક પક્ષો અને ભ્રષ્ટાચારી હાકેમોના સુર્યાસ્ત થશે તે પણ નિશ્વિત છે નરેન્દ્ર મોદી પોતે ભુખ અને હાડમારી સહન કરી છે. નરેન્દ્ર મોદી ૧૧ વર્ષથી સત્તામાં આવ્યા છે પણ તેના પહેલા તો તેનું જીવન સાવ આમ આદમી જેવુ રહ્યું છે.

રાજકીય ચિંતકો શું માને છે

રાજકીય ચિંતકો શું માને છે

નરેન્દ્ર મોદી પોતે વર્ષો સુધી જમીન ઉપરની પથારીમાં સુતેલા સ્વયંસેવક છે ભુખ-થાક અને પરીશ્રમની પીડા તેણે પોતે ખુબ વેઠી છે જેથી આખી આ સમાજ વ્યવસ્થાઓમાં ક્યાં અને કેવી ખામીઓ છે તે નરેન્દ્ર મોદી જાતે અનુભવી ચુક્યા છે અને તેના માટે બંધારણ અને અધિનયમન કાયદાઓ અને ચૂંટણી કાયદાઓમાં પાયાના સુધારાઓ આવશ્યક છે. આથી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનવું ના હોય તો પણ દેશની પ્રજાએ તેને બનવાની ફરજ પાડવી જોઇએ તેવું રાજકીય ચિંતકોનુ માનવું છે.

દુનિયામાં હિન્દુઓનું પોતાનું કોઇ સ્વતંત્ર રાષ્ટ્ર નથી

દુનિયામાં હિન્દુઓનું પોતાનું કોઇ સ્વતંત્ર રાષ્ટ્ર નથી

દુનિયામાં ખ્રિસ્તીઓના દેશો છે, મુસ્લિમ દેશો છે અને બીજી કોમના સ્વતંત્ર રાષ્ટ્રો છે પણ હજી સુધી દુનિયામાં હિન્દુઓનું પોતાનું કોઇ સ્વતંત્ર રાષ્ટ્ર નથી તેનું કારણ તદ્દન વાહિયાત અને ફકત સતા મેળવવા બિન સાંપ્રાદાયિકતાનો ઢોલ વગાડયા કરતો કોંગ્રેસ પક્ષ જવાબદાર છે ભારતનુ સંવિધાન બિનસાંપ્રાદાયિક છે પણ દેશ તો હિન્દુ રાષ્ટ્ર ગણાવો જોઇએ.

ભારતને સંપુર્ણ હિન્દુ રાષ્ટ્ર બનાવવું આવશ્યક

ભારતને સંપુર્ણ હિન્દુ રાષ્ટ્ર બનાવવું આવશ્યક

દુનિયામાં અનેક આંતરરાષ્ટ્રીય પ્રવાહો અને અનેક વ્યાપરી વિનિમયોના બદલતાં વલણોને કારણે દુનિયાભરમાં ફેલાયેલા કરોડો હિન્દુઓને ક્યારેય પરત ફરવું પડે તો તેવા હિન્દુઓ માટે દુનિયામાં પોતાનો કોઇ હિન્દુ દેશ નથી, નેપાળ હિન્દુ છે. પણ તે દુનિયાભરના હિન્દુ માટે પુરતો ના થઇ શકે, દુનિયામાં ભારત એકમાત્ર સૌથી વધુ હિન્દુ બહુમતી ધરાવતો દેશ છે. તેથી ભવિષ્યની વૈશ્વિક અરાજકતાઓ સામે અગમચેતી અને સલામતી માટે ભારતને સંપુર્ણ હિન્દુ રાષ્ટ્ર બનાવવું આવશ્યક છે.

નરેન્દ્ર મોદી સૌથી શ્રેષ્ઠ લોકનેતા

નરેન્દ્ર મોદી સૌથી શ્રેષ્ઠ લોકનેતા

આજે દેશમાં અનેક હિન્દુ નેતાઓ અને રાજકરણીઓ છે પરંતું તે બધા ભ્રષ્ટાચરમાં ડુબી ચુકેલા છે નરેન્દ્ર મોદીની જેમ ઝડપી અને સચોટ સંચાલન માટે નિર્ણયો લેવાની તિવ્રતા અન્ય કોઇ નેતાઓમાં નથી આથી ભારતના ઉજજ્વળ ભવિષ્ય અને સલામતિ માટે પણ નરેન્દ્ર મોદીને સૌથી શ્રેષ્ઠ લોકનેતા ગણવામાં આવી રહ્યાં છે.

લોકસભાની ચૂંટણી મોદીનું ભાવિ નક્કી કરશે

લોકસભાની ચૂંટણી મોદીનું ભાવિ નક્કી કરશે

૨૦૧૪ની લોકસભા ચૂંટણી આમ તો કોંગ્રેસ અને નરેન્દ્ર મોદીનું ભાવિ નક્કી કરશે તેવું કહેવાય છે પણ રાજનૈતિક ચિંતકોના મતે ૨૦૧૪ ની ચૂંટણી કોંગ્રેસ અને નરેન્દ્ર મોદીના ભાવ કરતાં, દેશના ભાવી માટેની દિશા નકકી કરશે. હજી પણ દેશની પ્રજા કોંગેસને માથે બેસાડી રાખશે તો સીમાવર્તી સમસ્યાઓ, આંતકવાદ, મોંઘવારી, રીશ્વત ખોરી, બેરોજગારી, ગરીબી અને રાજકીય તેમજ સામાજીક અપરાધિકરણ વધશે, દેશનું સામાજીક વ્યવસ્થાપન અંધકારમાં ધકેલાયને રાજકીય તેમજ વહિવટી કટોકટીમાં બરબાદ થતુ જશે માટે દેશ ભરમાં લોકસભાની ચૂંટણી પહેલા ઘરઘર સુધી લોકજાગૃતી અને એક સ્વયંભુ લોકજુવાળ દેશ માટે એક સારો નિર્ણય તેવી રાજકીય પંડીતોમાં ચર્ચાઓ રહ્યુ છે.

English summary
What If narendra modi become a prime minister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X