શું હોય છે ઈસ્લામિક બેંક? જાણો કેવી રીતે કામ કરે છે અને શું હોય છે નિયમ?
દુનિયાભરમાં રૂપિયાની લેતી-દેતી માટે વિવિધ બેંકો કામ કરે છે. આ તમામ બેંકોની કામગીરી વચ્ચે ઈસ્લામિક બેંકની ચર્ચા થાય છે. જો કે આ બેંક થોડી અલગ છે.
આજે અમે તમને એવી એક બેંક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે શરિયા કાયદાના સિદ્ધાંતો પર ચાલે છે. ઇસ્લામિક બેંક સંપૂર્ણપણે શરિયા કાયદા અનુસાર કામ કરે છે.

ભારતમાં ભારતીય રિઝર્વ બેંકે શરિયા કાયદાના સિદ્ધાંતો પર આધારિત ઇસ્લામિક બેંકિંગ સિસ્ટમ શરૂ કરવાના પ્રસ્તાવને ટુકરાવ્યો છે. પોતાના નિર્ણય પર તર્ક આપતા RBIએ કહ્યું હતું કે, તમામ લોકો સમક્ષ બેંકિંગ અને નાણાકીય સેવાઓ માટે સમાન તકને ધ્યાનમાં લીધા બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઇસ્લામિક કાયદા એટલે કે શરિયાના સિદ્ધાંતો પર કામ કરતી બેંકિંગ સિસ્ટમને ઇસ્લામિક બેંકિંગ કહેવામાં આવે છે. આ બેંકોની વિશેષતા એ છે કે તેમાં કોઈપણ પ્રકારનું વ્યાજ લેવામાં કે આપવામાં આવતું નથી.
આ બેંક દ્વારા જે નફો થાય છે તે તેના ખાતાધારકોમાં વહેંચવામાં આવે છે. મળતી માહિતી મુજબ, આ બેંકોના પૈસા બિન-ઈસ્લામિક હેતુઓ માટે રોકાણ કરી શકાતા નથી. માહિતી અનુસાર, વિશ્વના 75 દેશોમાં 350 ઈસ્લામિક નાણાકીય સંસ્થાઓ કાર્યરત છે.
ઇસ્લામિક બેંકિંગમાં ગ્રાહક તેના પૈસા ચોક્કસ ખાતામાં જમા કરાવે છે અને બેંક ગ્રાહકના પૈસા પરત કરવાની ખાતરી આપે છે. પરંતુ બચત ખાતા પર કોઈ વ્યાજ આપવામાં આવતું નથી. જ્યારે બેંક ગ્રાહકોને માંગના આધારે પૈસા ઉપાડવાની છૂટ છે.
વિશ્વની પ્રથમ ઇસ્લામિક બેંકની સ્થાપના 1983માં મલેશિયામાં કરવામાં આવી હતી. ઇસ્લામિક બેંકિંગ યોજના હેઠળ, વ્યાપારી, વેપારી બેંકો અને નાણાકીય કંપનીઓએ 1993 માં ઇસ્લામિક બેંકિંગ ઉત્પાદનો અને સેવાઓ ઓફર કરવાનું શરૂ કર્યું.
જણાવી દઈએ કે, આજે વૈશ્વિક સ્તરે ઈસ્લામિક ફાઈનાન્સ ઈન્ડસ્ટ્રીનું કદ વધીને 1.6 ટ્રિલિયન ડોલરથી વધુ થઈ ગયું છે.
ઇસ્લામિક બેંકિંગમાં કોઇપણ પ્રકારના વળતર કે નફાની અપેક્ષા રાખ્યા વિના જરૂરિયાતમંદ વ્યક્તિને લોન આપવામાં આવે છે. આ પરિસ્થિતિમાં ઉધાર લેનારાએ માત્ર મૂળ રકમની જ ચુકવણી કરવાની હોય છે, જો કે જો ઉધાર લેનાર ઈચ્છે તો તે સ્વેચ્છાએ બેંકને કેટલાક વધારાના નાણાં પરત કરી શકે છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ










Click it and Unblock the Notifications
