શું હોય છે બ્લેક મેજિક? જાણો કેમ વિદેશીઓ પણ તેના પર વિશ્વાસ કરે છે?
એક તરફ દુનિયા વિજ્ઞાન તરફ આગળ વધી રહી છે તો બીજી તરફ કેટલીક એવી બાબતો છે જે વિજ્ઞાનને પણ ચકરાવે ચડાવે છે. બ્લેક મેજિક આવી જ એક વસ્તુ છે.
કહેવાય છે કે જેમ જેમ શિક્ષણ વધી રહ્યું છે તેમ તેમ લોકો અંધ વિશ્વાસથી આઝાદ થઈ રહ્યા છે. જો કે તેમ છત્તા પણ દુનિયામાં આજે પણ બ્લેક મેજિકનું અસ્તિત્વ છે.

બ્લેક એક એક એવી વસ્તુ છે જેના દ્વારા વ્યક્તિ અન્ય વ્યક્તિને નુકસાન પહોંચાડી શકે છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઘણા તાંત્રિકો આ જ્ઞાનનો ઉપયોગ કરે છે અને તેનો અભ્યાસ કરે છે.
તે બ્લેક મેજિકને આ સમાજમાં ખુલ્લેઆમ કરતા નથી પરંતુ આ બધું દરેકની નજરથી છૂપી રીતે કરવામાં આવે છે. ભૂત અવરોધ, વશિકરણ અને આવી ઘણી વસ્તુઓ આ કાળા જાદુ હેઠળ આવે છે.
વોશિંગ્ટન યુનિવર્સિટીના અમેરિકન અર્થશાસ્ત્રી બોરિસ ગ્રેશમેનના એક રિસર્ચ અનુસાર, આજે દુનિયામાં પહેલા કરતા કાળા જાદુ પર વધુ વિશ્વાસ છે. આ સંશોધન દરમિયાન બોરિસ ગ્રેશમેને 95 દેશો અને પ્રદેશોમાંથી મોટી માત્રામાં ડેટા એકત્રિત કર્યો હતો.
આ રિસર્ચમાં જેમાં 1.4 લાખ લોકો સામેલ હતા. આ તમામ લોકોમાંથી 40 ટકા લોકોએ કહ્યું કે તેઓ કાળા જાદુમાં વિશ્વાસ કરે છે અને તેને સાચું માને છે. તેનો અર્થ એ કે તે લોકો માને છે કે આ તેના જીવનને અસર કરી શકે છે.
આ રિસર્ચ અનુસાર, આ મુદ્દે દરેક દેશ અને ત્યાં રહેતા લોકોના મંતવ્યો અલગ-અલગ હતા. કેટલાક દેશો એવા હતા જ્યાં 10 ટકા લોકો પણ તેના પર વિશ્વાસ કરતા નહતો તો કેટલાક દેશો એવા હતા જ્યાં આ સંશોધનમાં સામેલ 90 ટકા લોકોએ કહ્યું કે તેઓ આ કાળા જાદુ અને તેની અસરોમાં વિશ્વાસ રાખે છે.
આ સંશોધનમાં ભાગ લેનારા સ્વીડિશ નાગરિકોને પૂછવામાં આવ્યું તો માત્ર 9 ટકા લોકોએ કાળા જાદુની અસરમાં વિશ્વાસ વ્યક્ત કર્યો, જ્યારે આ સંશોધનમાં ભાગ લેનારા ટ્યુનિશિયન લોકોમાંથી 90 ટકા લોકોએ કાળા જાદુની અસરમાં વિશ્વાસ દર્શાવ્યો.












Click it and Unblock the Notifications
