BSF અને ઈન્ડિયન આર્મી વચ્ચે શું ફરક છે? જાણો શું હોય છે બન્નેના કામ?
1 ડિસેમ્બરને ભારતમાં BSF ડે તરીકે મનાવવામાં આવે છે. BSF નું નામ આવતા જ મોટા ભાગના લોકો તેને ભારતીય સેના જ સમજી લે છે. જો કે એવુ નથી.
BSF ને બોર્ડર સિક્યુરિટી ફોર્સ કહેવામાં આવે છે. આ દળનું કામ દેશની સરહદોની રક્ષા કરવાનું છે. સેના અને બીએસએફના કામ વચ્ચે મોટો તફાવત છે.

BSFનું કામ દેશની સરહદની રક્ષા કરવાનું છે. BSF ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ, ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ, LOC તેમજ નક્સલ વિરોધી કામગીરીમાં તૈનાત રહે છે.
આ સિવાય BSF અરબી સમુદ્રમાં સર ક્રીક અને બંગાળની ખાડીમાં સુંદરવન ડેલ્ટા જેવી ભૌગોલિક પરિસ્થિતિઓમાં પણ સુરક્ષા માટે તૈનાત રહે છે. જો કે માત્ર બીએસએફ એટલી જ સરહદોનું રક્ષણ નથી કરતી. તેની સાથે ચાર વિંગ કામ કરે છે.
આ ચાક વિંગમાં એર વિંગ, મરીન વિંગ, આર્ટિલરી રેજિમેન્ટ અને કમાન્ડો વિંગનો સમાવેશ થાય છે. તેનું નિયંત્રણ સીધુ ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે.
સીધી રીતે જોઈએ તો બીએસએફ અને ભારતીય સેના દેશની સુરક્ષા માટે જ કામ કરે છે. જો કે BSF શાંતિના સમયે જ સરહદોની રક્ષા કરે છે. સેનાનું કામ યુદ્ધ દરમિયાન મોરચો સંભાળવાનું છે.
BSF સૈનિકો માત્ર દેશની સરહદોની અંદર જ ઓપરેશન કરી શકે છે, જ્યારે ભારતીય સેનાના જવાનો પણ ક્રોસ બોર્ડર ઓપરેશન કરે છે.
બન્નેની સુવિધાઓની વાત કરીએ તો, ભારતીય સેનાના જવાનોને બીએસએફના જવાનો કરતાં વધુ સુવિધાઓ મળે છે. પદની દ્રષ્ટિએ પણ બંને એકબીજાથી અલગ છે. ભારતીય સેનામાં લેફ્ટનન્ટ, મેજર, કર્નલ, બ્રિગેડિયર, મેજર જનરલ જેવી પોસ્ટનો સમાવેશ થાય છે, જ્યારે BSFમાં પોસ્ટ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ASI, DAI, IG જેવી પોસ્ટ હોય છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી






Click it and Unblock the Notifications
