ભારતમાં કયા કયા મુસ્લિમોને મળે છે અનામત? જાણો કઈ રીતે બની છે સિસ્ટમ?
ભારતની રાજનીતિમાં મુસ્લિમ અનામત હંમેશા મોટો મુદ્દો રહ્યો છે. નરેન્દ્ર મોદી પણ તેમની હિન્દુ-મુસ્લિમ રાજનીતિમાં આ મુદ્દો લાવતા રહે છે.
દેશમાં ચૂંટણીના માહોલ વચ્ચે ફરી એકવાર મુસ્લિમ અનામતની ચર્ચા શરૂ થઈ ગઈ છે. બીજેપી મુસ્લિમોને અનામત આપવાનો વિરોધ કરી રહી છે તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ પણ આ મામલે ખુલ્લેઆમ આગળ આવી છે.

આ દરમિયાન બિહારના પૂર્વ સીએમ અને આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવે ખુલ્લેઆમ મુસ્લિમોને અનામત આપવાની હિમાયત કરી છે. આ રાજકીય બયાનબાજી વચ્ચે સવાલ એ ઊભો થાય છે કે મુસ્લિમોને અનામત કેવી રીતે મળે?
મુસ્લિમ અનામત
કેન્દ્ર અને રાજ્ય સ્તરે ઘણા મુસ્લિમોને ઓબીસી અનામત આપવામાં આવે છે. એક અહેવાલ અનુસાર, હાલમાં કેન્દ્રીય સ્તરે મુસ્લિમોની 36 જાતિઓને OBC અનામત આપવામાં આવનાર છે. જેના માટે બંધારણની કલમ 16(4)માં જોગવાઈ છે.
આ મુજબ જો સરકારને લાગે છે કે નાગરિકોનો કોઈપણ વર્ગ પછાત છે તો તેમના યોગ્ય પ્રતિનિધિત્વ માટે નોકરીઓમાં અનામત આપી શકાય છે.
રિપોર્ટ અનુસાર, કેન્દ્રની OBC યાદીમાં કેટેગરી 1 અને 2Aમાં મુસ્લિમોની 36 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે, મુસ્લિમ પરિવારો જેમની વાર્ષિક આવક 8 લાખ છે તેમને ક્રીમી લેયરમાં રાખવામાં આવ્યા છે અને તેઓ અનામત હેઠળ આવતા નથી, પછી ભલે તેઓ પછાત જાતિના હોય.
કેમ મુસ્લિમ અનામતનો મુદ્દો ઉઠતો રહે છે?
ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે મુસ્લિમો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત છે. વર્ષ 2006માં એવું કહેવામાં આવ્યું હતું કે હિન્દુ ઓબીસીની સરખામણીમાં મુસ્લિમ સમુદાય પછાત છે.
સચ્ચર કમિટીએ પોતાનો રિપોર્ટ રજૂ કરતાં કહ્યું હતું કે અનામતનો લાભ હિંદુ પછાત વર્ગ અને દલિતોને આપવામાં આવે છે પરંતુ મુસ્લિમોને નહીં. અગાઉ મંડલ કમિશને 82 સામાજિક વર્ગોની ઓળખ કરી હતી જેને તે પછાત મુસ્લિમ ગણે છે.
વર્ષ 2009માં નિવૃત્ત જસ્ટિસ રંગનાથ મિશ્રાની સમિતિએ મુસ્લિમ આરક્ષણની હિમાયત કરી હતી. સમિતિનું સૂચન હતું કે લઘુમતીઓને 15 ટકા અનામત આપવી જોઈએ. જેમાં મુસ્લિમોને 10 ટકા અને અન્ય પછાત વર્ગોને 5 ટકા અનામત આપવાની ભલામણ કરવામાં આવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
