For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિલ્મી છે આખી કહાણી: એંજીનિયરમાંથી કેવી રીતે હત્યારા બન્યા રામપાલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

હિસાર, 19 નવેમ્બર: સંત રામપાલનો સતલોક આશ્રમ કોઇ રહસ્યલોકથી ઓછો નથી. ચારેય તરફ બ્લેક કમાંડોથી ઘેરાયેલો છે તો મહિલા અને બાળકોનો ડેરો. વોરંટ પર વોરંટ આપી રહ્યાં છે, પરંતુ બાબા રહસ્યલોકથી નિકળવા માટે તૈયાર નથી. હવે સરકાર અને પોલીસે બાબા તે સમયે સતલોક તરફ પગલાં ભરવાનું શરૂ કરી દિધું છે, જેમાં બાબા બેઠેલા છે. પોલીસ અને સરકાર હવે બાબાની બાબાગીરી કાઢવાના મૂડમાં છે, સમર્થક પણ છે. આ આખા કેસમાં જો કોઇની બેઇજ્જતી થઇ રહી હોય તો તે છે ભાજપ સરકાર. થાય પણ કેમ નહી કારણ કે દાઉદને દુબઇથી લાવવાનો દાવો, પાકિસ્તાનને ઓકાત બતાવવાનો દમ, ચીનને ચેતાવણી આપનાર 'મજબૂત સરકાર' હાલ હિસારના એક આશ્રમમાં મજબૂર છે.

રહેવા દો સરકાર પર પ્રહાર કરવાનું અને આવો સંત રામપાલ વિશે જાણીએ જે કોઇ ફિલ્મી કહાણીથી ઓછી નથી. સંત રામપાલનો જન્મ 8 સપ્ટેબર 1951ના રોજ સોનીપતના ઘનાણા ગામમાં થયો હતો. તેમના પિતાનું ભક્ત નંદરામ અને માતાનું નામ ભક્તમતિ ઇંદિરા દેવી છે. અભ્યાસ પુરો કર્યા બાદ રામપાલને હરિયાણા સરકારમાં સિંચાઇ વિભાગમાં જૂનિયર એંજિનિયરની નોકરી મળી ગઇ.

sant-rampal-engineer-to-godman

નોકરી દરમિયાન રામપાલની મુલાકાત 107 વર્ષના કબીરપંથી સંત સ્વામી રામદેવાનંદ મહારાજ સાથે થઇ. જો કે બાળપણથી જ સંત રામપાલ ધાર્મિક સ્વભાવના હતા તો તે તરત જ રામદેવાનંદ મહારાજના શિષ્ય બની ગયા. ત્યારબાદ 1995માં તેમણે 18 વર્ષ લાંબી પોતાની નોકરી છોડી દિધી અને સત્સંગ કરવા લાગ્યા. ધીરે ધીરે તેમના અનુયાયીઓની સંખ્યા વધતી ગઇ. આ દરમિયાન તેમણે કરોંથા ગામમાં આશ્રમમાં એક મહિલા પાસેથી જમીન મળી ગઇ. 1999માં તેમણે સતલોક આશ્રમનો પાયો નાખ્યો.

વિવાદની આખી કહાણી
2006માં સ્વામી દયાનંદના લખેલા એક પુસ્તક પર સંત રામપાલે એક ટિપ્પણી કરી, ત્યારબાદ આર્યસમાજને આ ટિપ્પણી પસંદ ન પડી અને બંનેના સમર્થકો વચ્ચે હિંસક મારામારી થઇ. ઘટનામાં એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું. ત્યારબાદ એસડીએમે 13 જુલાઇ 2006ના રોજ આશ્રમને કબજામાં લઇ લીધો. ત્યારબાદ રામપાલ તથા તેમના 24 સમર્થકોની ધરપકડ કરી લેવામાં આવી. જો કે 2009માં તેમણે આશ્રમ પરત મળી ગયો.

પછી સંત રામપાલ વિરૂદ્ધ આર્યસમાજના લોકોએ સુપ્રીમ કોર્ટેનો દરવાજો ખખડાવ્યો. કોર્ટે તેમની અરજી નકારી કાઢી. ત્યારબાદ આર્ય સમાજીઓ તથા સંત રામપાલના સમર્થકો વચ્ચે વારંવાર મારામારી થઇ. આ હિંસક મારામારીમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં, લગભગ 100 લોકો ઘાયલ થયા. આ મુદ્દે સંત રામપાલને પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં રજૂ થવાનું છે.

English summary
Chances are, even a couple of weeks back, most of India was unaware of a gentleman called Sant Rampal. So who is Sant Rampal after all? Here are some important information you should know about him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X