તમામ ફિલ્મો શુક્રવારે જ કેમ રિલિઝ થાય છે? જાણો આ પરંપરા ક્યારે અને ક્યાંથી શરૂ થઈ?

ફિલ્મ લવર લોકો નવી ફિલ્મો માટે શુક્રવારની આતુરતાથી રાહ જોવે છે. મોટાભાગે નવી ફિલ્મો શુક્રવારે જ થિયેટરોમાં આવે છે. જો કે મોટાભાગના લોકો એ નથી જાણતા કે આ ફિલ્મો શુક્રવારે જ કેમ રિલીઝ થાય છે?

માનવામાં આવે છે કે ભારતીય સિનેમાઘરોમાં ફિલ્મો શુક્રવારે રિલીઝ થાય તેનું સૌથી મોટું કારણ એ છે કે શુક્રવાર કામકાજના દિવસના અંતે આવે છે. શનિવાર અને રવિવારની રજાઓ હોય છે.

big screen

રજાઓના કારણે લોકો તેમના પરિવાર અને મિત્રો સાથે મૂવી જુએ છે. આનાથી ફિલ્મના કલેક્શનમાં સુધારો થાય છે અને ફિલ્મની સફળતા પણ સુનિશ્ચિત થાય છે.

આમ કરવા પાછળનું અન્ય એક કારણ આઝાદી પછી ઘણા વર્ષો સુધી ભારતમાં લોકો પાસે કલર ટીવી નહોતું, જેના કારણે લોકો સિનેમાઘરોમાં ફિલ્મો જોવા જતા હતા. તેથી ફિલ્મ ઉદ્યોગમાં કર્મચારીઓને શુક્રવારે અડધા દિવસની રજા આપવામાં આવતી, જેથી તેઓ તેમના પરિવાર સાથે ફિલ્મો જોઈ શકે, જે ફિલ્મના કલેક્શન માટે પણ સારું રહેતુ હતું.

ભારતમાં શુક્રવારે ફિલ્મો રિલીઝ કરવાની પોતાની પરંપરા છે પરંતુ કે શરૂઆતથી નહોતી. તેની શરૂઆત 1940ની આસપાસ હોલીવુડમાં થઈ હતી. 1960 પહેલા ભારતમાં ફિલ્મો રિલીઝ કરવા માટે કોઈ નિશ્ચિત દિવસ ન હતો.

વર્ષ 1960માં મુગલ-એ-આઝમ નામની ઐતિહાસિક ફિલ્મ 5 ઓગસ્ટના રોજ રીલિઝ થઈ હતી. તે શુક્રવાર હતો, 5 ઓગસ્ટ, 1960, અને આ ફિલ્મે ઘણી હેડલાઇન્સ મેળવી હતી. ત્યારથી ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મોની રજૂઆત માટે શુક્રવાર પસંદ કર્યો છે.

જો કે, તમામ ફિલ્મો શુક્રવારે રિલીઝ થતી નથી, ઘણા ફિલ્મ નિર્માતાઓએ આ ટ્રેન્ડ તોડીને અલગ-અલગ દિવસોમાં ફિલ્મો રિલીઝ કરી છે અને સફળતા પણ મેળવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X