Valentines Day 2020: જાણો કેમ છે 14 ફેબ્રુઆરી પ્રેમનો દિવસ?
ભારતમાં 'વેલેન્ટાઈન ડે'ની શરૂઆત 1992માં થઈ હતી. ચાલો જાણીએ આ પર્વ સાથે જોડાયેલી ખાસ વાતો -
પ્રેમ-ઈશ્ક-મહોબ્બતના દિવસ 'વેલેન્ટાઈન ડે'ને દુનિયાના દરેક એ લોકો સેલિબ્રેટ કરી રહ્યા છે, જેમને પ્રેમ પર ભરોસો છે અને દરેક પોતાના પાર્ટનરને આ દિવસે ખુશ રાખવા ઈચ્છે છે. દર વર્ષે 14 ફેબ્રુઆરીના દિવસે આખા વિશ્વમાં 'વેલેન્ટાઈન ડે' મનાવવામાં આવે છે. ભારતમાં આ પર્વની શરૂઆત 1992માં થઈ હતી. ચાલો જાણીએ આ પર્વ સાથે જોડાયેલી ખાસ વાતો -

સંત ગુરુ વેલેન્ટાઈન
વાસ્તવમાં વેલેન્ટાઈન ડે સંત ગુરુ વેલેન્ટાઈનના નામ પર મનાવવામાં આવે છે. સંત ગુરુ વેલેન્ટાઈન 269 ઈસવીમાં શહીદ થયા હતા. તેમને 14 ફેબ્રુઆરી 269ના રોજ ફ્લેમિનિયામાં દફનાવવામાં આવ્યા હતા. સંત ગુરુ વેલેન્ટાઈનના અવશેષ રોમના સેંટ ફ્રેક્સ્ડ ચર્ચ અને ડબલિન (આયરલેન્ડ)ના સ્ટ્રીટ કામિલેટ ચર્ચમાં રાખેલા છે.

લગ્ન કરવાથી પુરુષોની શક્તિ અને બુદ્ધિ ઘટે છે
વાસ્તવમાં ઈતિહાસ મુજબ ત્રીજી સદીમાં રોમમાં સમ્રાટ ક્લૉડિયસનુ શાસન હતુ. સમ્રાટ અનુસાર લગ્ન કરવાથી પુરુષોની શક્તિ અને બુદ્ધિ ઘટે છે. આ વિશ્વાસ પર તેણે આદેશ જારી કરાવી દીધા કે તેના કોઈ સૈનિક અને અધિકારી લગ્ન નહિ કરે. તેનુ માનવુ હતુ કે અપરિણીત છોકરા પરણેલા છોકરાઓની તુલનામાં વધુ શક્તિશાળી હોય છે પરંતુ સંત વેલેન્ટાઈને આ કાયદાનો વિરોધ કર્યો. તેમણે ચૂપચાપ સૈનિકો અને અધિકારીઓના લગ્ન કરાવવા શરૂ કરી દીધા. સમ્રાટને જ્યારે આ વાતની ખબર પડી તો તેમણે સંત વેલેન્ટાઈનની ધરપકડ કરાવી દીધી અને તેમને ફાંસીની સજા સંભળાવી.

જેલરની દીકરી સાથે થઈ હતી સંત વેલેન્ટાઈનની મિત્રતા
એ પણ કહેવામાં આવે છે કે જેલમાં સંત વેલેન્ટાઈનને જેલરની દીકરીને પોતાની આંખો આપીને તેના જીવનમાં ફરીથી રોશની લાવી દીધી હતી. એ પણ કહેવાય છે કે યુવતી ઠીક થઈ ગયા બાદ વેલેન્ટાઈન અને તેની વચ્ચે મિત્રતા થઈ ગઈ, જે આગળ જઈને પ્રેમ સંબંધમાં ફેરવાઈ. સંત વેલેન્ટાઈને એ યુવતીને એક પત્ર પણ લખ્યો હતો જેમાં લખ્યુ હતુ તારો વેલેન્ટાઈન. છેવટે સમ્રાટ ક્લૉડિયસે 14 ફેબ્રુઆરી 269એ સંત વેલેન્ટાઈનને ફાંસી પર ચડાવી દીધી. કહેવાય છે કે એ દિવસથી જ સંત વેલેન્ટાઈનની યાદમાં વેલેન્ટાઈન્સ ડે મનાવવામાં આવે છે.

બિશપ ટર્નીનુ પણ લેવામાં આવે છે નામ
જો કે બિશપ ટર્નીને પણ પ્રેમના વેલેન્ટાઈન કહેવામાં આવે છે. જે 197 ઈ.માં સમ્રાટ ઑરોલિયનના ઉત્પીડનથી શહીદ થઈ ગયા હતા. જો કે હજુ પણ આ વાતની પુષ્ટિ થઈ નથી કે છેવટે વેલેન્ટાઈન ડેની શરૂઆત ક્યાંથી થઈ.
-
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11







Click it and Unblock the Notifications
