Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

World No Tobacco Day 2023: ભારતના 267 મિલિયન લોકોને તમાકુનો નશો, જાણો ઈતિહાસ અને ઉદ્દેશ

World No Tobacco Day 2023: તમાકુના વધતા ઉપયોગને કારણે કેન્સર જેવી જીવલેણ બીમારીઓ પણ ઝડપથી ફેલાઈ રહી છે. દર વર્ષે 31મી મેને તમાકુ નિષેધ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે વિશ્વભરમાં તમાકુની ખરાબ અસરો વિશે જાગૃતિ ફેલાવવાના પ્રયાસો કરવામાં આવે છે.

તમાકુની હાનિકારક અસરો વિશે જાગૃતિ વધારવા અને તમાકુના વપરાશમાં ઘટાડો કરવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની આગેવાની હેઠળની વૈશ્વિક પહેલ તરીકે ઉજવવામાં આવે છે.

World No Tobacco Day

વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવવાનો હેતુ

વિશ્વ તમાકુ નિષેધ દિવસનો ઉદ્દેશ્ય તમાકુના ઉપયોગના પ્રચારને રોકવા અને ધૂમ્રપાન અને ધૂમ્રપાન રહિત તમાકુના ઉત્પાદનો અને તેના સ્વાસ્થ્ય માટેના જોખમો વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો વિશ્વ તમાકુ નિષેધ દિવસ તમાકુનુ સેવન બંધ કરવા પ્રોત્સાહન આપવા માટે માનવામાં આવે છે.

ભારતમાં 267 મિલિયનથી વધુ લોકો તમાકુ અથવા તમાકુ ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. આવનારી પેઢી પણ આ વ્યસન અપનાવી રહી છે તે ચિંતાનો વિષય છે. આવી જ સ્થિતિ ભારતની બહાર પણ છે. વિશ્વમાં તમાકુથી થતા કેન્સરના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તમાકુ નિષેધ દિવસના દિવસે વૈશ્વિક સ્તરે લોકોને આ નશાના સેવનથી થતા આરોગ્યના જોખમો વિશે ચેતવણી આપવાની મહત્વની જવાબદારી છે.

વિશ્વ તમાકુ નિષેધ દિવસની થીમ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ વર્ષ 1987માં તમાકુના ઉપયોગને નિયંત્રિત કરવા માટે એક યોજના બનાવી હતી. જે પછી 31 મે, 1988ના રોજ પ્રથમ વખત વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી. તે સમયે નો ટોબેકો ડેની થીમ "તમાકુ કે આરોગ્ય: આરોગ્ય પસંદ કરો." જ્યારે આ વર્ષની (2023) થીમ છે 'We need food, not tobacco' મતલબ કે આપણને ખોરાકની જરૂર છે તમાકુની નહીં. આ વર્ષે તમાકુ ઉત્પાદનોને બદલે અન્ય પૌષ્ટિક પાકોના ઉત્પાદન માટે ઝુંબેશ ચલાવવામાં આવશે. આ માટે વૈશ્વિક સંસ્થા પણ મદદ કરશે.

વિશ્વ તમાકુ નિષેધ દિવસનો ઈતિહાસ

અગાઉ 7મી એપ્રિલે સમગ્ર વિશ્વમાં તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 1988માં, વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રસ્તાવ પછી આ દિવસ 31 મેની તારીખે ઉજવવામાં આવ્યો. 1987માં, વર્લ્ડ હેલ્થ એસેમ્બલીએ WHA40.38 ઠરાવ પસાર કર્યો, જેમાં 7 એપ્રિલ, 1988ને "વિશ્વ નો-સ્મોકિંગ ડે" તરીકે જાહેર કરવામાં આવ્યો. 1988માં, WHA42.19 ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં દર વર્ષે 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ મનાવવા માટે કહેવામાં આવ્યું હતું.

તમાકુ સેવનથી મોતના આંકડા

વર્લ્ડ નો ટોબેકો ડે એટલે કે વિશ્વ તમાકુ નિષેધ દિવસ દર વર્ષે 31 મેના રોજ ઉજવવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ વિશ્વમાં દર વર્ષે લગભગ 80 લાખ લોકો તમાકુથી થતા રોગોના કારણે મૃત્યુ પામે છે. તમાકુ ઉપરાંત બીડી, ગુટખા અને સિગારેટ જેવા નિકોટિન યુક્ત ઉત્પાદનોના સેવનથી થતા રોગો વિશે પણ લોકોને જાગૃત કરવામાં આવે છે.

તમાકુના વધુ પડતા ઉપયોગ અને ભારે ધુમ્રપાનથી કેન્સર જેવા જીવલેણ રોગો થઈ શકે છે. આ સિવાય તમાકુના સેવનથી ધૂમ્રપાનને કારણે શ્વાસ સંબંધી રોગો જેવા કે બ્રોન્કાઇટિસ અને એમ્ફિસીમા થવાનું જોખમ વધી જાય છે. આ દવાઓના સેવનથી હૃદય અને લોહીને લગતી સમસ્યાઓ થઈ શકે છે.

તમાકુ દિવસનુ મહત્વ

તમાકુના ઉપયોગના જોખમો વિશે જ નહીં પરંતુ તમાકુ કંપનીઓની વ્યવસાય પદ્ધતિઓ વિશે પણ વૈશ્વિક સ્તરે નાગરિકોમાં જાગૃતિ લાવવાનો છે. તમાકુના રોગચાળા સામે લડવા માટે WHO શું કરી રહ્યું છે અને વિશ્વભરના લોકો તેમના અધિકારનો દાવો કરવા માટે શું કરી શકે છે. આ દિવસે વિશ્વના તમામ દેશોમાં લોકોને તમાકુથી થતા શારીરિક નુકસાન વિશે જાગૃત કરવામાં આવે છે. જો તમે આંકડાઓ પર નજર નાખો તો, તમાકુથી થતા રોગોને કારણે દર વર્ષે લાખો લોકો મૃત્યુ પામે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X