સાવધાન : આવી રીતે મોબાઈલ ચાર્જ કર્યો તો થઈ શકે છે બ્લાસ્ટ
મોબાઈલ ફોનનો ઉપયોગ હવે તમામ લોકો કરે છે. ફોન બેટરી પર કામ કરે છે. જો કે ઘણા લોકો તેને ચાર્જ કરવાની સાચી રીત નથી જાણતા અને બ્લાસ્ટ થવાના કિસ્સામાં સામે આવે છે.
ફોનમાં બ્લાસ્ટના ઘણા કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. મોટા ભાગના કિસ્સાઓમાં બેટરી જવાબદાર છે. ઘણી નાની-નાની ભૂલો મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. સામાન્ય બાબતો ઘ્યાનમાં રાખીને આ દુર્ઘટના ટાળી શકાય છે.

ફોનનો ઉપયોગ કરતી વખતે બેટરી પર વધારાનું દબાણ આવે છે, જે બેટરીની ક્ષમતાને ઘટાડી શકે છે. ફોન વધુ ગરમ થઈ શકે છે જેને ચાર્જ થવામાં વધુ સમય લાગી શકે છે અને બેટરીને નુકસાન થઈ શકે છે.
પુરી રાત ચાર્જ કરવાથી બેટરી ઓવરચાર્જ થઈ શકે છે, જે બેટરીની ક્ષમતાને ઘટાડી શકે છે. ફોન ગરમ થઈ શકે છે, જે આગનું જોખમ વધારે છે.
બિન-અધિકૃત ચાર્જરમાં સુરક્ષાના ધોરણોનો અમલ થયો હોતો નથી. જે ફોનને નુકસાન પહોંચાડી શકે છે. બેટરી ગરમ થઈ શકે છે અને આગનું જોખમ વધી શકે છે.
મોટાભાગના લોકો તેમના ફોનને સુરક્ષિત રાખવા માટે જાડા કેસોનો ઉપયોગ કરે છે. જેના કારણે અંદરની ગરમ હવા બહાર નીકળી શકતી નથી.
બેટરીને સંપૂર્ણ રીતે ડ્રેઇન થવા દેવી એ બેટરીના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. બેટરીને 20%- 80% ચાર્જ કરવી યોગ્ય છે.












Click it and Unblock the Notifications
