TRAI NEW RULE: શું 1 નવેમ્બરથી OTPના SMS થઈ જશે બંધ?
સરકારથી લઈને ટેલિકોમ કંપનીઓ અને સામાન્ય માણસ દરરોજ થઈ રહેલા કૌભાંડોથી પરેશાન છે. આ કૌભાંડનો ખાતમો કરવા માટે દરરોજ નવા નવા નિર્ણય લેવામાં આવી રહ્યા છે, પરંતુ કોઈ ઉકેલ દેખાતો નથી.
તાજેતરમાં જ ભારતીય ટેલિકોમ કંપનીઓ Jio, Vodafone Idea અને Airtelએ TRAI દ્વારા OTP ના નવા નિયમો અંગે તેમની ચિંતા વ્યક્ત કરી છે, જેમાં OTPને બ્લોક કરવાની જોગવાઈ છે.
આ નવો નિયમ 1 નવેમ્બરથી અમલમાં આવશે અને આ અંતર્ગત ટેલિકોમ કંપનીઓએ એ સુનિશ્ચિત કરવું પડશે કે, ઈ-કોમર્સ પ્લેટફોર્મ, બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા મોકલવામાં આવતા તમામ વ્યવહાર અને સેવા સંદેશાઓનો ટ્રેસેબિલિટી રેકોર્ડ છે.
ટ્રાઈએ શરૂઆતમાં ટેલિકોમ ઓપરેટર્સને ઓગસ્ટ 2023માં બેન્કો અને નાણાકીય સંસ્થાઓ તરફથી મોકલેલા સંદેશાઓને ટ્રેક કરવા માટે નિર્દેશ આપ્યો હતો, પરંતુ હવે નવેમ્બરની સમયમર્યાદા નજીક આવી રહી છે અને ટેલિકોમ કંપનીઓ તેનું પાલન કરવા માટે તૈયાર છે, જોકે ઘણી અગ્રણી સંસ્થાઓ (PEs) અને ટેલિમાર્કેટર્સ હજુ પણ ફેરફાર માટે તૈયાર નથી.

આ નવા નિયમના પાલનમાં વિલંબને કારણે PEએ તેમની સિસ્ટમ અપડેટ કરવા અને મેસેજિંગમાં વિક્ષેપ ટાળવા માટે વધારાના 2 મહિનાનો સમય માંગ્યો છે.
આ વિસ્તરણ સાથે સમગ્ર દેશમાં ગ્રાહકોને OTP અને ટ્રાન્ઝેક્શન સંદેશામાં મોટા પાયે વિક્ષેપની ઝંઝટમાંથી બચાવી શકાય છે.
આ સિવાય કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તાજેતરમાં નવી સિસ્ટમ, ઇન્ટરનેશનલ સ્પૂફ કૉલ્સ પ્રિવેન્શન સિસ્ટમની જાહેરાત કરી છે.
આ સિસ્ટમ ભારતીય ગ્રાહકોને છેતરપિંડીભર્યા કોલથી બચાવવા માટે બનાવવામાં આવી છે, જેમાં વિદેશી નંબરો ભારતીય નંબરો (+91) તરીકે દર્શાવાય છે.
સાયબર ગુનેગારો આ છટકબારીનો ફાયદો ઉઠાવી સરકારી અધિકારી તરીકે લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
