ધુમ્રપાન છોડ્યા બાદ આરોગો આ 7 હીલિંગ ફૂડ
[સ્વાસ્થ્ય] ધુમ્રપાન કરવું સારી આદત નથી, જો આપે તેને ગંભીરતાથી લીધું છે અને ખરેખર ધુમ્રપાન છોડી દીધું છે તો આપના શરીરને ઠીક કરવા માટે એક્સ્ટ્રા પોષક તત્વની જરૂરીયાત પડે છે, જેથી આપની બોડી પહેલા કરતા ઘણી વધારે ફિટ અને સ્ટ્રોંગ થઇ જાય.
સ્મોકિંગ, બોડીમાં ઘણી હાર્મફુલ એલીમેંટ છોડી દે છે જે શરીરમાં ફેફસા માટે ઝેરનું કામ કરે છે. પરંતુ પોષક તત્વોનું સેવન કરીને તેને દૂર ભગાવી શકાય છે. આવો જાણીએ કે ધુમ્રપાન છોડ્યા બાદ કયા કયા ખાદ્ય પદાર્થોનું સેવન કરશો જેથી આપ સ્વસ્થ રહો-
વિટામિન સીથી ભરપૂર ફૂડ
વિટામિન સી મેટાબોલ્ઝિમને દુરસ્ત બનાવે છે અને બોડીમાંથી ટોક્સિન, જેવા નિકોટિન વગેરે બહાર નિકાળી દે છે. સંતરા, લીંબૂ, પપૈયુ અને ટામેટું વગેરેમાં આ ભરપૂર માત્રામાં મળી આવે છે.
ગાજરનું જ્યૂસ
ગાજરનું જ્યૂસ, શરીર માટે લાભકારી હોય છે. તે લોહીથી વિષાક્ત તત્વોને બહાર નિકાળી દે છે. ગાજરના જ્યુસમાં વિટામિન એ, કે, સી અને બી પૂરતા પ્રમાણ હોય છે જે બોડીને રિલીઝ કરે છે.
બ્રોકલી
બ્રોકલીની શાકભાજી અથવા સલાડ ખાવાથી શરીરમાં પોષક તત્વોની કમી પૂરી થઇ જાય છે. તેમાં સલ્ફોરાફાને હોય છે જે ફેફસાને બરાબર કરે છે. તેને ઓલિવ ઓઇલની સાથે સલાડના રૂપમાં ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે.
પાલક
પાલકમાં વિટામિન અને ફોલિક એસિડ વધારે માત્રામાં હોય છે, જે આપને સિગરેટ પીવાથી મનથી છૂટકારો અપાવશે. આ શરીરમાંથી ટોક્સિનને પણ નિકાળી દે છે. પાલકનું સૂપ ખૂબ જ ફાયદેમંદ સાબિત થાય છે.
કીવી, સ્ટ્રોબેરી અને લીંબુ
કીવી, સ્ટ્રોબેરી અને લીંબુમાં વિટામિન સી હોય છે, એ ઉપરાંત તેમાં એવા ગુણ હોય છે જેનાથી આપનું શરીર યોગ્ય શેપમાં આવી જાય છે.
રિંગણ, બીન્સ અને ખીરુ
આ શાકભાજી આપના શરીરને હાઇડ્રેટ રાખે છે અને આપના બ્રેનને ખુશ રાખે છે, જેનાથી તેમને સ્મોકિંગ કરવાનું મન નથી થતું.
પાણી
એક દિવસમાં ઓછામાં ઓછું બે લીટર પાણી પીવો. તેનાથી શરીરમાં રહેલા વિષાણું તત્વ બહાર નીકળી આવશે. સાથે જ કિડની પણ સ્વસ્થ થઇ જશે.