આ છોડ ફેફસામાં જામેલ કફ કાઢી દેશે બહાર, દમ અને ખાંસીનો છે સચોટ ઉપાય
અરડૂસીના છોડમાં અનેક ગણા ઔષધીય ગુણો હોય છે
અરડૂસી જેને માલાબાર નટના નામથી પણ ઓળખવામાં આવે છે, જે આખા પૂર્વ ભારતમાં પ્રસિદ્ધ છે. આ છોડમાં અનેક ગણા ઔષધીય ગુણો હોય છે અને તેનાથી શ્વાસ લેવામાં મુશ્કેલી, ખાંસી અને શરદી, નાક વહેવુ, ગળામાં ખારાશ, અસ્થમા, બ્રોંકાઈટિસ, અન્ય શ્વસન પથના સંક્રમણ, રક્તસ્ત્રાવ વિકાર વગેરે જેવી ઘણી સમસ્યાઓ માટે એક અંતિમ ઉપચારાત્મક ઉપાય છે. આના પાનમાં વેસિન નામનુ તત્વ જોવા મળે છે. આનો ઉપયોગ વિવિધ પ્રકારની દવાઓ તરીકે કરવામાં આવે છે. આજે અમે તમને અરડૂસીના ફાયદા વિશે જણાવીશુ.

શરદી અને ખાંસીના ઉપાય
ઠંડીમાં વારંવાર થતી ખાંસી અને કંજસ્ટેડ ગળુ ખૂબ અસુવિધા પેદા કરી શકે છે. જેના કારણે અન્ય સમસ્યાઓ પણ પેદા થાય છે. એંટી-ઈન્ફ્લેમેટરી, એંટીબાયોટીક અને એકસ્પેક્ટોરન્ટ ગુણોથી ભરપૂર હોવાના કારણે અરડૂસી સામાન્ય શરદી, ખાંસી અને ફ્લુના લક્ષણોના ઈલાજમાં અત્યાધિક મહત્વ ધરાવે છે. તે છાતી અને નાક જામ થઈ જતુ ઘટાડે છે. તે અસ્થમા, બ્રોંકાઈટિસ, સાઈનસાઈટિસ અને શ્વાસની અન્ય બિમારીઓના ઈલાજમાં પણ અત્યાધિક પ્રભાવી છે. અરડૂસીના પત્તાને પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવી લો. શ્વસન સંક્રમણથી બચાવ માટે આમાં એક ચમચી મધ મિલાવીને રોજ આ ઉકાળાનુ સેવન કરો.

લોહી શુદ્ધ કરે છે
એક શક્તિશાળી હ્રદય ટૉનિક હોવાના નાતે રક્તને શુદ્ધ કરવા માટે જડીબૂટી અત્યંત જરૂરી છે. આ પ્રભાવી રીતે લોહીના કાઉન્ટમાં સુધારો કરે છે, બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે અને હ્રદયની લય સંબંધિત સમસ્યાઓને અટકાવે છે. એંટી કૌયગુલાંટ અને એંટી ફાઈબ્રિનોલિટિક ગુણોની હાજરી હ્રદય બ્લૉકના કારણે ધમનીઓમાં અવરોધ અને ગંઠાઈ જવાને પણ અટકાવે છે.
દમ
દમના રોગી જો અનંતમૂળની જડો અને અરડૂસીના પાનને સમાન માત્રા(3-3 ગ્રામ)લઈને દૂધમાં ઉકાળીને પીવે તો ફાયદો થાય છે. આમ એક સપ્તાહ સુધી કરવુ જરુરી છે.

શ્વાસ સંબંધી રોગોથી છૂટકારો
અરડૂસીના પાનના રસને મધમાં મિલાવીને ચાટવાથી ખાંસી અને શ્વાસ સંબંધી સમસ્યાઓ ઠીક થઈ જાય છે. સૂકી ખાંસી દૂર કરવા માટે અરડૂસીના પાન, સૂકી દ્રાક્ષ અને સાકરનો ઉકાળો બનાવીને પીવો.
મોઢામાં ચાંદીનો ઈલાજ કરે છે અરડૂસી
જો તમે મોઢામાં ચાંદી પડવાથી પરેશાન હોય તો અરડૂસીના બેથી ત્રણ પાન ચાવો. આ ઉપરાંત જો તમે અરડૂસીનો રસ પીવો અથવા તેના પાનનો રસ ચૂસો તો તમને જલ્દી મોઢામાં ચાંદીથી મુક્તિ મળશે. યાદ રાખો કે તમારા અરડૂસીના પાન ચાવીને ફેંકી દેવાના છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
