આ ચીજ ખાવાથી સેક્સ લાઇફ થશે રોમાંચક, શુક્રાણુઓની સંખ્યા વધારવામાં મદદગાર
આ ચીજ ખાવાથી સેક્સ લાઇફ થશે રોમાંચક, શુક્રાણુઓની સંખ્યા વધારવામાં મદદગાર
ભાગદોડ ભરેલી જિંદગી અને અનિયમિત જીવનશૈલીમાં તણાવ થવો સામાન્ય બાબત છે. ક્યારેક કામનો લોડ તો ક્યારેક અંગત સમસ્યા, તણાવના કેટલાંય કારણો હોય છે. આ તણાવના કારણે કેટલાય પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. એટલું જ નહિ આ તણાવ આગળ અવસાદનો રૂપ લઇ શકે છે. તણાવને પગલે પુરુષોની યૌન ઇચ્છા પણ પ્રભાવિત થઇ જાય છે. યૌન ઇચ્છામાં કમીના કારણે વ્યક્તિના લગ્ન જીવનમાં પણ અડચણો આવવા લાગે છે. એવામાં યૌન ઈચ્છા વધારતી ઔષધિના સેવનની સલાહ આપવામાં આવે છે. આયુર્વેદમાં આના માટે અશ્વગંધા ખાવાની સલાહ આપવામાં આવી છે. અશ્વગંધા પૂરૂષોની શારીરિક કમજોરી દૂર કરે છે અને યૌન ઈચ્છાને શ્રેષ્ઠ બનાવે છે. આવો તેના વિશે વિસ્તૃત જાણીએ.
તણાવ માણસને નિરસ બનાવી દે
ઉંમર વધવાની સાથે જ પુરુષોમાં સેક્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરોનનું સ્તર પણ ઘટવા લાગે છે. એવામાં અશ્વગંધાનું સેવન ટેસ્ટોસ્ટેરોનના સ્તરને વધારવામાં મદદ કરે છે. ધી ટાઇમના રિપોર્ટ મુજબ શોધમાં જણાવવામાં આવ્યું છે કે અશ્વગંધા ખાવાથી પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યામાં વધારો થાય છે.
કામેચ્છામાં વધારો કરે છે
અશ્વગંધા પુરુષોની યૌન ઈચ્છામાં વધારો કરે છે. પ્રાચીન સમયથી જ પુરુષો પોતાની કામેચ્છા વધારવા માટે અશ્વગંધાનું સેવન કરતા આવી રહ્યા છે. અશ્વગંધાના સેવનથી શરીરમાં નાઇટ્રિક ઑક્સાઇડનું ઉપ્તાદન વધારે છે અને કામેચ્છા અને સંતુષ્ટિમાં વધારો થાય છે.
સેક્સ લાઇફ રોમાંચક થશે
ઘણા આયુષ ચિકિત્સકો કમજોરી, આળસ અને તણાવ જેવી સમસ્યાઓમાં અશ્વગંધાનું સેવન કરવાની સલાહ આપે છે. આ આયુર્વેદિક ઔષધિના સાઇડઇફેક્ટ પણ નથી. યૌન ઈચ્છા વધારવા માટે અશ્વગંધાને ગરમ દૂધમા મધ સાથે ભેળવીને પીવું જોઇએ.
હોર્મોન્સનું ઉત્પાદન સુધરે
તણાવ વધવાથી આપણું બ્લડ પ્રેશર વધી જાય છે અને ધમનીઓમાં લોહીનો પ્રવાહ ઘટવા લાગે છે. આનાથી નપુસંકતાની સમસ્યા થવા લાગે છે. અશ્વગંધા આપણા તણાવના સ્તરને ઘટાડે છે અને શરીરની ઉર્જાને વધારે છે. અશ્વગંધા એડ્રિનલ ગ્લેન્ડ્સને પણ મજબૂત બનાવે છે. આ ગ્લેન્ડ્સથી આપણા હોર્મોન્સનું ઉત્પાદન સુધરે થાય છે.
જોશ એ જવાની
અશ્વગંધા કેન્સર જેવી ખતરનાક બીમારીમાં પણ ફાયદાકારક હોય છે. આ કેન્સર સેલ્સને વધતાં રોકે છે. અશ્વગંધામાં રહેલા એન્ટીઑક્સીડેન્ટ આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આના સેવનથી આપણે શરદી- ઉધરસ જેવી બીમારીઓથી બચી શકીએ છીએ.
Lunar Eclipse: કુંવારાઓ માટે સારો નથી હોતો ચદ્ર ગ્રહણ, જાણો કેમ