શું તમે ક્યારેય નાભિમાં મધ લગાવ્યું છે? થશે આ અદ્ભુત ફાયદા
ભારતમાં મધ પ્રેમીઓની કોઈ કમી નથી, તે ખૂબ જ મીઠાશ સાથે ખાવામાં આવે છે. આ મીઠી વસ્તુમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણ હોય છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.
ભારતમાં મધ પ્રેમીઓની કોઈ કમી નથી, તે ખૂબ જ મીઠાશ સાથે ખાવામાં આવે છે. આ મીઠી વસ્તુમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણ હોય છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ શું તમે જાણો છો કે, તેનો ઉપયોગ અનેક રોગો સામે લડવા માટે પણ થઈ શકે છે.
અનેક રોગોનો રામબાણ ઇલાજ છે મધ
મધનો સ્વાદ આપણને બધાને આકર્ષે છે, પરંતુ તેના ઔષધીય ગુણો જાણીને તમને આશ્ચર્ય થશે. આયુર્વેદમાં પણ મધને અનેક રોગો માટે રામબાણ માનવામાં આવે છે.આ જ કારણ છે કે, કેટલાક સ્વાસ્થ્ય નિષ્ણાતો તેને નાભિમાં લગાવવાની ભલામણ પણ કરે છે.
નાભિમાં મધ લગાવવાના 3 અદ્ભુત ફાયદા
1. ત્વચાની સમસ્યાથી છૂટકારો મેળવો
ભાગદોડ ભરેલી લાઈફમાં આપણે ઘણીવાર આપણી ત્વચાની ખાસ કાળજી રાખી શકતા નથી, જેના કારણે ત્વચા પર શુષ્કતા આવવા લાગે છે. જો તમે દરરોજ નાભિમાંમધ લગાવો છો, તો થોડા જ દિવસોમાં ત્વચા નરમ થઈ જશે. આ સાથે જ ત્વચામાં ગ્લો પણ આવશે, કારણ કે મધ મોઈશ્ચરાઈઝરનું કામ કરે છે.
2. પેટના દુઃખાવામાંથી રાહત
પેટના દુઃખાવાથી રાહત મેળવવાના ઉપાયો વિશે તમે ઘણીવાર સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે આ સમસ્યાને દૂર કરવા માટે મધનો ઉપયોગ કરી શકાય છે.
આ માટે મધ અને આદુની પેસ્ટ મિક્સ કરો અને પછી નાભિ અને તેની આસપાસ લગાવો. થોડીવારમાં તમને રાહત મળશે. તેનાથી પાચન સંબંધી સમસ્યાઓ પણ દૂરથશે.
3. ચેપ અટકાવવા માટે પણ વપરાય છે મધ
મધમાં એન્ટી-બેક્ટેરિયલ તત્વો જોવા મળે છે, જે ઈન્ફેક્શનથી પણ બચી શકે છે. આ માટે પણ લગભગ એ જ ઉપાય છે, જે આપણે પેટના દુઃખાવા માટે જણાવવામાંઆવ્યો છે. આદુનો રસ અને મધ મિક્સ કરીને નાભિ પર લગાવો.