ક્યારેક-ક્યારેક દારુનું સેવન પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, જાણો કેવી રીતે
મિત્રો આપણે સ્પષ્ટપણે એવી માન્યતા ધરાવીએ છીએ કે 'નશો નાશ નોતરે', અને જેના ઘરમાં દારુનું સેવન નિયમિતપણે થાય છે તેનું ઘર ખાડે જાય છે. મિત્રો વાત બિલકૂલ સાચી છે. દારૂનું સેવન ત્યારે જ તમારુ વિનાશ નોતરે છે જ્યારે તમે દારૂને આધિન થઇ જાવ, જ્યારે દારુ તમારી પર હાવી થઇ જાય. અહીં અમે તમને દારુને નશા તરીકે નહીં પરંતુ દવા તરીકે લેવાની વાત કરવા માંગીએ છીએ. જો તમે એવું કરશો તો દારૂ પણ તમારા સ્વાસ્થ્યમાં સુધાર લાવશે.
5 ડ્રિંક જે તમને બનાવશે હેલ્ધી
દારૂને જો પ્રમાણસર રીતે પિવામાં આવે તો તે સ્વાસ્થ્યને નિખારી શકે છે. દારુનું વધારેપડતું સેવન શરીરને પણ નુકસાન પહોંચાડી શકે છે. માટે જ દારુના પારખીઓને સાવધાની સેવવાની સલાહ આપવામાં આવે છે.
વધારે પડતું દારુનું સેવન અયોગ્ય
શું આપ જાણો છો કે બિયર આપણાં હાડકાઓને મજબૂત બનાવે છે, અથવા તો વોડકા પીવાથી આપણા દિમાગને આરામ મળે છે તે આપણને અનિંદ્રાથી પણ બચાવે છે. ઘણા ઓછા લોકો જાણે છે કે દારુના સેવનથી ઘણા આશ્ચર્યજનક લાભ પણ છે. અત્રે ઉપસ્થિત છે કે દારુના એટલે કે બિયર અને વોડકાના માપસરના સેવનથી શું ફાયદા થશે.
બિયર પીવાના ફાયદા
બિયર પીવાના ફાયદા
બિયરમાં હાઇ પ્રકારના સિલિકોન હોવાના કારણે તે હાડકાઓને મજબૂત કરવામાં મદદ કરે છે. સર્વેમાં જણાયું છે નિયમિતરીતે બિયરનું સેવન કરનારાઓના હાડકાના બાંધા મજબૂત બને છે.
બિયર પીવાના ફાયદા
બિયરનું સેવન કરવાથી હૃદય સંબંધિત બિમારીઓમાં 33 ટકાનો ઘટાડો થાય છે. નિયમિતરીતે બિયર પીવાથી એલડીએલ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે અને રક્તવાહીનીઓ સ્વચ્છ રહે છે.
બિયર પીવાના ફાયદા
બિયર પીનારાઓમાં બિયર નહી પીનારાઓની તુલનામાં પથરી હોવાનો ભય 40 ટકા ઓછો હોય છે. એવું માનવામાં આવે છે કે બિયરમાં પાણીની ઉચ્ચ માત્રાના કારણે કિડનીમાં ક્ષારને જમા થવા દેતું નથી માટે પથરી થતી નથી.
બિયર પીવાના ફાયદા
બિયરનું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસનો ખતરો 25 ટકા ઓછો થઇ જાય છે. કારણ કે બિયર ઇન્સ્યુલિનની સંવેદનસિલતાને વધારીને લોહીમાં સુગરનું પ્રમાણ નિયંત્રિત રાખે છે.