Sperm Count : જાણો સ્પર્મ કાઉન્ટ વધારવાની 4 રીત, રોજ ખાઓ આ વસ્તુઓ
Sperm Count : ખરાબ જીવનશૈલી, વધુ પડતા સ્ટ્રેસ અને ખરાબ ખાવાની આદતોને કારણે આજના યુવાનો અને પુરુષોના સ્પર્મ કાઉન્ટમાં ઘણો ઘટાડો થયો છે.
Sperm Count : ખરાબ જીવનશૈલી અને અનિયમિત આહારને કારણે પુરુષોના સ્વાસ્થ્ય પર માઠી અસર થવા લાગી છે, આ સાથે તેમની પ્રજનન ક્ષમતા પર પણ ઘણી હદ સુધી અસર થવા લાગી છે. આ સાથે પુરૂષોના શુક્રાણુઓની સંખ્યા ઘટી રહી છે. સ્પર્મ કાઉન્ટ એક મહત્વપૂર્ણ વિશ્લેષણ છે જે પુરૂષોના વીર્યમાં હાજર સ્પર્મની સંખ્યા દર્શાવે છે.

તંદુરસ્ત પુરુષના વીર્યમાં શુક્રાણુઓની સંખ્યા 15 મિલિયનથી 200 મિલિયન શુક્રાણુ પ્રતિ મિલીલીટર સુધીની હોય છે. આજે અમે તમને એવા 4 ફૂડ્સ વિશે જણાવીશું, જેના ઉપયોગથી સ્પર્મ કાઉન્ટ ઝડપથી વધારી શકાય છે.

કેળા
કેળા શુક્રાણુઓની સંખ્યા વધારવા માટે સારી રીતે કામ કરે છે. જો તમે રોજ સવારે અને સાંજે 1-1 કેળા ખાશો, તો તેના ફાયદા જાણીને તમેચોંકી જશો. ઘણા સંશોધનોમાં એવું જાણવા મળ્યું છે કે, એક ગ્લાસ કેળાના રસમાં શુક્રાણુઓની ગુણવત્તા સુધારવાની સંપૂર્ણ ક્ષમતા હોય છે.

પાલક
આયર્નથી ભરપૂર પાલકમાં ફોલિક એસિડની પૂરતી માત્રા હોય છે. તેના ઉપયોગથી શુક્રાણુઓની ગુણવત્તા સુધારી શકાય છે અને તેનીગુણવત્તા વધારી શકાય છે. તમે તેને શાક કે કઠોળ સાથે બનાવીને ખાઈ શકો છો. પાલક તમારી ત્વચા, વાળ અને આંખો માટે પણ ખૂબ જફાયદાકારક છે.

કોળાના બીજ
કોળાના બીજ એક અસરકારક ઔષધી છે. તમે તેનું સેવન કરીને સ્પર્મ કાઉન્ટ વધારી શકો છો. રોજ એક મુઠ્ઠી કોળાના બીજ ખાઓ અને તેનાથી થતા ફાયદાઓ અનુભવ કરો.

લસણ
લસણને દૈનિક આહારમાં સામેલ કરીને પણ સ્પર્મ કાઉન્ટ વધારી શકાય છે. તેનાથી પ્રજનન ક્ષમતા પર પણ સારી અસર પડે છે. લસણ લોહીનો પ્રવાહ વધારવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં લસણને આહારમાં સામેલ કરવું સારું છે.

કિવિ
વિવાહિત પુરુષોએ દૈનિક આહારમાં કિવિનો સમાવેશ કરવો જોઈએ. કારણ કે, કિવિ પુષ્કળ વિટામિન સી પ્રદાન કરે છે. તેનાથી શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તા વધે છે. વિટામિન સી મેળવવા માટે તમે ટામેટાં અને બ્રોકોલી પણ ખાઈ શકો છો.

સેલ્મોન ફિશ
સેલ્મોન ફિશમાં ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે, જે શુક્રાણુની ગુણવત્તા અને પ્રમાણ વધારવામાં મદદરૂપ થાય છે. જો તમે શાકાહારી છો, જેના કારણે તમે માછલી ખાઈ શકતા નથી, તો તમે ફ્લેક્સસીડ અથવા ચિયા સીડ્સનું સેવન કરી શકો છો.

તમે પુષ્કળ પાણી પીઓ અને નિયમિત કસરત કરો
શુક્રાણુઓની સંખ્યા વધારવા માટે, તંદુરસ્ત અને પૌષ્ટિક આહાર લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિવાય ધ્યાન રાખો કે, તમે પુષ્કળ પાણીપીઓ અને નિયમિત કસરત કરો.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી પર આધારિત છે. વનઇન્ડિયા ગુજરાતી આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપવામાં આવે છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11










Click it and Unblock the Notifications
