પગમાં આ કારણોથી થાય છે દુઃખાવો, આ રીતે મળશે સંપૂર્ણ રાહત
મોટાભાગના લોકો માંશપેસીઓમાં દુઃખાવાથી પરેશાન રહે છે. ઘણા લોકોના પગમાં દુઃખાવો એટલો વધારે થાય છે કે, તેમનું હરવુ-ફરવુ પણ બંધ થઇ જાય છે. આ દુઃખાવા માટે લોકો આડેધડ પેઇન કિલર લેવા લાગે છે, જેનાથી બીજી આડઅસરનો પણ શિકાર બને છે
મોટાભાગના લોકો માંશપેસીઓમાં દુઃખાવાથી પરેશાન રહે છે. ઘણા લોકોના પગમાં દુઃખાવો એટલો વધારે થાય છે કે, તેમનું હરવુ-ફરવુ પણ બંધ થઇ જાય છે. આ દુઃખાવા માટે લોકો આડેધડ પેઇન કિલર લેવા લાગે છે, જેનાથી બીજી આડઅસરનો પણ શિકાર બને છે. તો આજે અને તમને આ અહેવાલમાં પગના દુઃખાવાના કારણો અને તેમાંથી રાહત મેળવવાના ઉપાયો જણાવવા જઇ રહ્યા છીએ.
પોષણની ખામીઓ
જે લોકો યોગ્ય રીતે ખાતા નથી, તેમના શરીરમાં પોષક તત્વોની ઉણપ હોય છે, જેના કારણે સ્નાયુઓમાં દુઃખાવો અને સોજો થાય છે. જ્યારેદુઃખાવો ખૂબ વધી જાય છે, ત્યારે તે શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાય છે. આ સિવાય કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ મેગ્નેશિયમની ઉણપઅને યોગ્ય માત્રામાં પાણી ન પીવાના કારણે પણ માંસપેશીઓમાં દુઃખાવો થવા લાગે છે.
સ્નાયુ તણાવને કારણે થાય છે દુઃખાવો
ક્યારેક ચાલવું, દોડવું અથવા વધુ પડતું કામ કરવું પણ સ્નાયુઓમાં તણાવ પેદા કરી શકે છે. જે લોકો કોઈપણ નવી રમત રમવાનું શરૂ કરેછે, તેમને તેમના સ્નાયુઓમાં સમસ્યા થઈ શકે છે.
કેવી રીતે દૂર કરવી પીડા
દુઃખાવાને દૂર કરવા માટે ગરમ પાણીમાં મીઠું અથવા ફટકડી નાંખો અને થોડી વાર તેમાં પગ લટકાવીને બેસો. આમ કરવાથી તમને ઘણીરાહત મળશે.
જો તમે ઈચ્છો તો ગરમ તેલથી પગની માલિશ પણ કરી શકો છો. આ સાથે જ્યારે પણ તમે વર્કઆઉટ કરો છો, આ પછી આરામ કરો અને તમારા આહારમાં એવા ખોરાકનો સમાવેશ કરો જે પોષક તત્વોથી ભરપૂર હોય.