Myths about Alcohol : દારૂ સાથે જોડાયેલી માન્યતા કેટલી સાચી? જાણો સચ્ચાઇ
Myths about Alcohol : આલ્કોહોલ પીવું આરોગ્ય માટે નુકસાનકારક છે, આલ્કોહોલનું સેવન કરવું એ સારુ છે કે, ખરાબ? મહિલા અને પુરૂષ એક જ માત્રામાં દારૂનું સેવન કરી શકે છે, વગેરે સવાલોનો જવાબ તમારા મનમાં પણ ચાલતા હશે.
આલ્કોહોલ સાથે જોડાયેલા ઘણા સવાલોથી ઘણા ભ્રામક ખ્યાલો અને માન્યતાઓ પણ ઉભી થઇ ગઇ છે. આ અહેવાલમાં આપણે દારૂ સાથે જોડાયેલા ભ્રામક ખ્યાલો અને તેની સચ્ચાઇ વિશે જાણીશું.

ઘણા લોકો દારૂ પીવાનું બહાનું શોધે છે, અને જો તમે તેમને રોકો છો, તો તેઓ ઘણીવાર દારૂની તરફેણમાં અને દારૂ પીવાના ફાયદા ગણાવવા લાગે છે, પરંતુ એનાથી એ સાબિત થતું નથી કે, દારૂ સારી વસ્તુ છે. આલ્કોહોલ વિશેના કેટલાક સત્યો અને તેમના વિશેની સૌથી લોકપ્રિય માન્યતાઓ જણાવવામાં આવી છે.
ભ્રામક ખ્યાલ : હેંગઓવરથી છુટકારો મેળવવા માટે કોફી શ્રેષ્ઠ વિકલ્પ છે -
સચ્ચાઇ : હેંગઓવરથી છુટકારો મેળવવા માટે આપણે ઘણી વાર ઠંડા પાણીના શાવર અથવા બ્લેક કોફીને સૌથી સરળ ઉપાય માનીએ છીએ, પરંતુ વાસ્તવિકતા કંઈક બીજી જ છે. કોફી લોહી પર આલ્કોહોલની અસરને ઓછી કરતી નથી અને ઠંડા પાણીથી સ્નાન કરવાથી દારૂની અસર ઓછી થતી નથી, બલ્કે ઇન્દ્રિયો સજાગ બને છે. હેંગઓવર માટે લીંબુ સરબત સારો વિકલ્પ છે.
ભ્રામક ખ્યાલ : જૂની વાઇન વધુ સારી છે?
સચ્ચાઇ : કેટલીક શ્રેષ્ઠ વાઇન્સ સેંકડો વર્ષ જૂની હોવા છતાં, મોટાભાગની વાઇન્સ એક કે બે વર્ષમાં પીવાની હોય છે. તેમને લાંબા સમય સુધી રાખવાથી ન તો તેમની ગુણવત્તામાં સુધારો થશે કે, ન તો તેના સ્વાદમાં કોઇ તફાવત થતો નથી.
ભ્રામક ખ્યાલ : પીતા પહેલા ખોરાક ખાવાથી તમને નશામાં આવવાથી બચાવે છે?
સચ્ચાઇ : આલ્કોહોલ પેટના અસ્તર દ્વારા લોહીના પ્રવાહમાં શોષવાનું શરૂ કરે છે. આ ભરેલા પેટ પર થોડું ધીમેથી થશે, પરંતુ તમારું પેટ ખાલી થતાં જ આ પ્રક્રિયા ઝડપી થઈ જશે. કોઈ પણ સંજોગોમાં તમે દારૂના પ્રભાવ હેઠળ આવશો. એટલે કે ભૂખ્યા પેટે નશો વધુ ચડે છે, અને જમ્યા બાદ દારૂનું સેવન કરવાથી નશો ચડતા વાર લાગે છે.
ભ્રામક ખ્યાલ : ક્યારેક ક્યારેક પીવું નુકસાન કરતું નથી?
સચ્ચાઇ : દરરોજ દારૂની ભલામણ કરેલી મર્યાદા સ્ત્રીઓ માટે એક પેગ અને પુરુષો માટે બે પેગ છે. જો કોઇ અઠવાડિયાના દિવસોમાં પીતા નથી અને શનિ-રવિમાં બોટલ બાદ બોટલ ખોલતા રહે છે, તો તે તેમના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર કરી શકે છે.
ભ્રામક ખ્યાલ : બીયર પીવાથી હેંગઓવર નથી થતું?
સચ્ચાઇ : કેટલાક લોકો માને છે કે, બીયર પીવાથી ક્યારેય હેંગઓવર થતો નથી. વાસ્તવમાં આખી રમત આલ્કોહોલના કન્ટેન્ટ અને આલ્કોહોલ વિવિધતાની છે. આપણે જે પણ આલ્કોહોલ પીએ છીએ, તે આપણી રક્તવાહિનીઓમાંથી પસાર થાય છે અને આપણા લોહીમાં ભળી જાય છે. મગજ, કિડની, ફેફસાં અને લીવરને અસર કરે છે. આલ્કોહોલના સેવનથી શરીરમાં ડીહાઈડ્રેશનની સમસ્યા થાય છે. યકૃત તમામ આલ્કોહોલને પચાવી શકતું નથી. તેથી જ્યારે તમે બીજા દિવસે સવારે ઉઠો છો, ત્યારે તમને માથાનો દુખાવો, થાક, ઉલ્ટી જેવી સમસ્યાઓ થાય છે.
ભ્રામક ખ્યાલ : શું ડાર્કર આલ્કોહોલિક ડ્રિંક આરોગ્યપ્રદ છે?
સચ્ચાઇ : ડાર્કર આલ્કોહોલિક, જેમ કે રેડ વાઇન અને ડાર્કર બીયર, વધુ એન્ટીઑકિસડન્ટો ધરાવે છે, પરંતુ તેમાં વધુ કન્જેનર પણ હોય છે. કન્જેનર્સ એ ઝેરી પદાર્થો છે, જે વાઇન ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન રચાય છે. વધુમાં ડાર્કર આલ્કોહોલમાં પણ વધુ કેલરી હોય છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
