દરેક પુરૂષે જાણવા જોઇએ પ્રોસ્ટેટ કેન્સરના આ 5 લક્ષણ
પ્રોસ્ટેટ કેન્સર મોટાભાગે લગભગ 65 વર્ષથી વધુની ઉંમરના પુરૂષોમાં જોવા મળે છે. પ્રોસ્ટેટ કેન્સરને સાઇલન્ટ કીલરના નામે પણ ઓળખવામાં આવે છે. આ કેન્સર પુરૂષોની પ્રોસ્ટેટ ગ્રંથીમાં થાય છે.
પ્રોસ્ટેટ એક ગ્રંથી છે, કે જે વીર્યને બનાવવામાં મદદ કરે છે. અને વીર્ય એ પદાર્થ છે, જેમા શુક્રાણુ હોય છે. પ્રોસ્ટેટ ગ્રંથી મૂત્રાશયની નળી સાથે જોડાયેલી હોય છે.
એક યુવાન પુરૂષનું પ્રોસ્ટેટ લગભગ એક અખરોટના આકરનું હોય છે. તે ઉંમર વધવાની સાથે સાથે ધીમે ધીમે મોટું થાય છે. જ્યારે તે બહુ મોટુ થઇ જાય છે, ત્યારે સમસ્યાઓ ઉભી કરી શકે છે.
જો પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણોની, શરૂઆતના તબક્કામાં જ ખબર પડી જાય તો તેની સારવાર સરળતાથી થઇ શકે છે. પ્રોસ્ટેટ કેન્સરનું સર્વ સામાન્ય લક્ષણ પેશાબ રોકાઇ રોકાઇને આવે છે, તેમજ તેમા લોહી નીકળે છે.
પ્રોસ્ટેટ કેન્સરના અન્ય લક્ષણોની જાણકારી પ્રાપ્ત કરવા માટે વનઇન્ડિયાનો આખો લેખ તમે વાંચી શકો છો.

લઘુ શંકા વખતે લોહી અથવા વાઇટ ડીસ્ચાર્જ
પ્રોસ્ટેટ ગ્રંથીમાં લોહીની ધમનીઓને નુકસાન થવાથી લોહી પડે છે. જો લઘુ શંકા વખતે લોહી પડે કે વાઇટ ડીસ્ચાર્જ થાય તો ડૉક્ટરની સલાહ તુરંત જ લેવી જોઇએ.

મૂત્ર વિસર્જન વખતે મુશ્કેલી
મૂત્ર વિસર્જન કર્યા બાદ પણ મૂત્ર ટપકવુ, મૂત્ર ત્યાગ કર્યા બાદ પણ લાગ્યા કરવુ કે મૂત્રાશય ખાલી નથી થયુ, વારંવાર મૂત્ર ત્યાગ કરવો, અને રોકાઇ રોકાઇને મૂત્ર ત્યાગ થવો.

કમરમાં દર્દ
કમરની નીચેના ભાગમાં ખુબ જ દુખાવો થયા કરે છે.

ઇરેક્ટાઇલ ડિસફંક્શન
દર્દનાક સ્ખલન અને ઇરેક્ટાઇલ ડિસફંક્શનની બિમારી જો એક સાથે થાય તો આ પણ કેન્સરનું લક્ષણ છે.

બળતરા થવી
મૂત્ર વિસર્જન કરતી વખતે ખુબ જ બળતરા થવી. મૂત્ર વિસર્જનમાં આવતી સમસ્યાઓને નોર્મલ ના સમજો.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
