ઉનાળામાં તરબૂચ આ બીમારીઓથી બચાવે છે, આ છે ખાવાનો યોગ્ય સમય અને 7 જબરદસ્ત ફાયદા
આજે અમે તમને તરબૂચ ખાવાના ફાયદા જણાવી આવ્યા છીએ. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, ઉનાળાની ઋતુમાં સૌથી મોટી સમસ્યા હાઇડ્રેશનની રહે છે. તરબૂચ આ સમસ્યાનો સામનો કરવામાં ઘણી મદદ કરી શકે છે.
આજે અમે તમને તરબૂચ ખાવાના ફાયદા જણાવી આવ્યા છીએ. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, ઉનાળાની ઋતુમાં સૌથી મોટી સમસ્યા હાઇડ્રેશનની રહે છે. તરબૂચ આ સમસ્યાનો સામનો કરવામાં ઘણી મદદ કરી શકે છે. આ ફળમાં 92 ટકા લિક્વિડ હોય છે, જેના કારણે શરીરને પૂરતું હાઇડ્રેશન મળે છે અને તમે અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓથી બચી શકો છો.
ગરમીની ઋતુમાં શરીરને પાણી પહોંચાડવામાં મદદરૂપ છે તરબૂચ
આ એક પાણીથી ભરપૂર ફળ છે, જે આ ગરમીની ઋતુમાં શરીરને પાણી પહોંચાડવામાં મદદરૂપ છે. તેનાથી તરસ તો છીપાય છે, પણ પેટ ભરેલું લાગે છે. તરબૂચમાંવિટામીન સી, વિટામીન એ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામીન B1, વિટામીન B5, વિટામીન B6 જેવા પોષક તત્વો તેમજ એન્ટીઓક્સિડેન્ટ ગુણો હોય છે, જે શરીર માટેસારા હોય છે. તે સ્વાસ્થ્યને ફાયદો થવાને બદલે નુકસાન પણ કરી શકે છે. તેથી તેને વધુ માત્રામાં ન ખાઓ.
તરબૂચ ખાવાના આશ્ચર્યજનક ફાયદા
- તરબૂચમાં લાઈકોપીન હોય છે, જે ત્વચાની ચમક જાળવી રાખે છે.
- તે હૃદય સંબંધિત બીમારીઓને દૂર રાખે છે. તે કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરે છે, જે આ રોગોનું જોખમ ઘટાડે છે.
- તરબૂચનું નિયમિત સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ સારી રહે છે. આ સાથે જ તેમાં મળતું વિટામિન A આંખો માટે સારું છે.
- તરબૂચની અસર ઠંડી હોય છે, તેથી તે મનને શાંત રાખે છે.
- તરબૂચ પોટેશિયમથી ભરપૂર હોય છે. જે ઈલેક્ટ્રોલાઈટ ફંક્શનને જાળવી રાખવામાં મદદરૂપ છે. તે હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે અને હાડકાં અને સ્નાયુઓને મજબૂત
- બનાવે છે.
- તરબૂચના બીજને પીસીને ચહેરા પર લગાવવાથી ગ્લો આવે છે. આ સાથે તેની પેસ્ટ માથાના દુઃખાવામાં પણ રાહત આપે છે.
- તરબૂચના નિયમિત સેવનથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. તેમજ એનિમિયાના કિસ્સામાં તેનો રસ ફાયદાકારક સાબિત થાય છે.
તરબૂચ ખાવાનો યોગ્ય સમય
રાત્રે તરબૂચ ક્યારેય ન ખાવું જોઈએ. તમે તેને દિવસના કોઈપણ સમયે ખાઈ શકો છો, પરંતુ તેનું સેવન કરવાનો યોગ્ય સમય બપોર છે.
ઉલ્લેખીય છે કે, તરબૂચના વેલા હોય છે, તે પોતાના વજનને કારણે જમીનપર રહે છે. જમીન પર રહેવાને કારણે તરબૂચના નીચેના ભાગનો થોડો રંગ ફીકો કે આછો દેખાય છે. ઉપરનો રંગ નોર્મલ લીલો હોય છે. જો તરબૂચ ઈન્જેક્ટે છે, તો ચારે બાજુથી એક જેવું જ દેખાશે. જેનો અર્થ છે, તેને આર્ટિફિશિયલ રીતે લીલું બનાવાયું છે.