વીંટી પહેરવાથી થાય છે આવા સ્વાસ્થય લાભો, વધુ જાણો અહીં
સામાન્ય રીતે વીંટી કે અંગૂઠીને સૌદર્ય અને શ્રૃંગાર સાથે સાંકળવામાં આવે છે. સગાઇમાં પણ વીંટીને આભૂષણની જેમ આપવામાં આવે છે. અને સામાન્ય રીતે તેનો ઉપયોગ મહિલા કે પુરુષને સુંદરતાને વધારવા કે પછી તેના મોભાને વધારવા માટે કરવામાં આવે છે. જો કે બહુ ઓછા લોકોને ખબર છે કે વીંટી સુંદરતામાં તો વધારો કરે છે સાથે જ સ્વાસ્થય માટે પણ ખૂબ જ લાભકારી છે.
અને આજ કારણ છે કે પ્રાચીન સમયથી આજ દિવસ સુધી મહિલાઓ અને પુરુષો પગ અને હાથની આંગળીમાં વિવિધ વીંટી કે અંગૂઠીઓ પહેરે છે. જે તેમને સુંદર તો બનાવે જ છે સાથે જ હેલ્થ પણ આપે છે. તો નીચેના આર્ટીકલમાં વાંચો સુંદરતાના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રીતે કેવા કેવા ફાયદાઓ થાય છે...
શ્રૃંગાર
મહિલાઓના 16 શ્રૃંગારોમાં 12માં નંબરનું સ્થાન વીંટીને જાય છે.
ત્રીજી આંગળી
સગાઇની વીંટી હંમેશા ત્રીજા નંબરની આંગળીમાં પહેરાય છે. કહેવાય છે કે આ આંગળીની નસ સુધી હદય સાથે જોડાયેલી હોય છે.
એક્યૂ પ્રેશન અને વીંટી
વીંટી પહેરવાથી હાથની આંગળીઓ પર એક સમાન પ્રેશર બને છે. જે રક્તચાપને સારો બનાવે છે. અને બીપીની સમસ્યામાં પણ લાભ થાય છે.
સોનાની વીંટીના લાભ
જો વીંટી સોનાની હોય તો વ્યક્તિને ખુશી અને વિકાસનો અહેસાસ કરાવે છે.
ચાંદીની વીંટીના લાભ
ચાંદીની વીંટીં પહેરવાથી વ્યક્તિને ધૈર્ય મળે છે. અને તે ધીરજવાન બને છે.
મોતીની વીંટી
જે લોકોને જલ્દી ક્રોધ આવતો હોય તેમને મોતીની વીંટી પહેરવાથી શાંતિ મળે છે.
હિરાની વીંટી
હિરાની વીંટી માણસને ધનવાન હોવાનો માનસિક ભાસ કરાવે છે. અને મગજ સ્વસ્થ રાખે છે. વળી હિરો નેગિટિવ વિચારો અને નકારાત્મક ઊર્જાનો અંત કરે છે.
ટચલી આંગળીની વીંટી
હાથની સૌથી નાની આંગળીમાં જો વીંટી પહેરવામાં આવે તો છાતીના દુખાવા અને અસ્થમામાં ફાયદો થાય છે.
તાંબાની વીંટી
તાંબાની વીંટી પહેરનાર વ્યક્તિ પેટના રોગોથી મુક્તિ મેળવે છે.